May 06, 2017

અરુણોદય થવાને ઘણીવાર છે : વિજય મકવાણા

સામાજીક ન્યાયના પાયા પર જ રાષ્ટ્રના વિકાસની ઇમારત ચણાય છે. વંચિતોને અવસરની સમાન તકો, સમાનતા, બંધુત્વ, સૌહાર્દની બંધારણીય સંકલ્પનાઓ જ બે વ્યક્તિઓ વચ્ચે આદર અને સ્નેહ પેદા કરે છે.
પશ્ચિમમાં એક સમય એવો હતો, બહું વર્ષો પહેલાં નહી બસ પચાસના દાયકાની જ વાત છે. ગોરા લોકો કાળા લોકોનો સ્પર્શ નહોતા કરતાં. આભડછેટ રાખતા. ગોરાઓએ નક્કી કર્યું કે હવે સુધરવું છે. વિકસીત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો સુધરવું પડશે. અને સુધરી ગયાં..!
વિશ્વના સૌથી ખ્યાતનામ તેજ રફતારવાળા દોડવીર યુસેન બોલ્ટએ પોતાની ફેસબુકવોલ પર 24 ફેબ્રુઆરીના રોજ રંગભેદીઓ, જાતિવાદીઓના ગાલ પર આ રીતે તમાચો માર્યો! તસવીરમાંની રુપાળી ગોરી ગોરી હથેળીઓ જુઓ! ધોળીયાઓની આ ઉદારતાને કારણે તેમના રાષ્ટ્રો વિકસીત છે.
ભારતમાં અપરકાસ્ટના લોકો હજી ઉંઘમાં છે. ભારતમાં હજી મધ્યરાત્રી છે. અરુણોદય થવાને ઘણીવાર છે.
-વિજય મકવાણા


Facebook Post :-

No comments:

Post a Comment