July 11, 2018

ભારતીય સમાજમાં સામાજીક સુધારાના નામે બહુ દંભ ચાલ્યા છે

By Jigar Shyamlan ||  Written on 27 March 2018


એક સમય એવો હતો જ્યારે માનવામાં આવતુ કે -સામાજીક કૂશળતા વગર અન્ય કાર્ય અને ક્ષેત્રોમાં પ્રગતિ અસંભવ છે. કુ-પ્રથાઓથી ફેલાઈ ગયેલી બૂરાઈઓને કારણે હિન્દુ સમાજની કાર્યકૂશળતા સમાપ્ત થઈ ગઈ હતી.

આ બુરાઈઓને જડમૂળથી ઉખાડી ફેંકવા અથાગ પરિશ્રમ કરવો પડશે- આ તથ્યને સમજીને જ રાષ્ટ્રીય કોન્ગ્રેસના જન્મની સાથે જ સામાજીક સંમેલનની પણ સ્થાપના થઈ હતી.

આ બન્ને પૈકી કોન્ગ્રેસનુ કામ રાજનિતીક સંગઠનમાં રહેલા નબળા તથ્યોને શોધી સુધાર કરવાનો હતો, જ્યારે બીજી તરફ સામાજીક સંમેલન હિન્દુ સમાજના સામાજીક સંગઠનમાં રહેલ નભળા તથ્યોને શોધી સુધાર કરવાના કામમાં લાગેલ હતું.

કેટલોક સમય કોન્ગ્રેસ અને સંમેલન બન્ને એક જ હેતુ માટે કામ કરતા રહ્યા. બન્નેના વાર્ષિક અધિવેશનો પણ એક જ મંડપ નીચે યોજાતા હતા.

પણ જલદીથી આ બન્ને બે અલગ દળમાં વિભાજીત થઈ ગયા. એક રાજનીતિક સુધારા દળ તેમજ બીજુ સામાજિક સુધારા દળ. બન્ને વચ્ચે ઉગ્ર વિવાદો પણ થયા. રાજનીતિક સુધારા દળ રાષ્ટ્રીય કોન્ગ્રેસને જ્યારે સામાજીક સુધારા દળ સામાજીક સંમેલનને સમર્થન કરી રહ્યા હતા. આમ બે સંસ્થા બે વિરોધી છાવણીમાં વહેંચાઈ ગઈ.

મુદ્દો એ હતો કે - શું સામાજીક સુધારા રાજકીય સુધારા પહેલા જ થવા જોઈયે...??

લગભગ એક દશકા સુધી બન્ને શક્તિઓનું સંતુલન બની રહ્યું. કોઈના પણ વિજય વગર લડાઈ ચાલતી રહી, પરંતુ સામાજીક સંમેલનનું ભાવિ ઝડપથી અસ્ત થઈ રહ્યું હતું એ વાત સ્પષ્ટ હતી.

જે પણ સજ્જનોએ સામાજીક સંમેલન અધિવેશનોની અધ્યક્ષતા કરી હતી એ તમામ એ વાતથી દુ:ખી હતા કે બહુસંખ્યક શિક્ષીત હિન્દુઓ સામાજીક સુધારા પ્રત્યે ઉદાસીન વલણ ધરાવતા હતા પરંતુ રાજનિતીક ઉથ્થાનનાં પક્ષમાં હતા. કોન્ગ્રેસમાં જોડાનાર લોકોની સંખ્યા ઘણી મોટી હતી. જે લોકો કોન્ગ્રેસમાં ન હતા તેમની સહાનૂભુતિ પણ કોન્ગ્રેસ સાથે જ હતી.

જે લોકો સામાજીક સંમેલનમાં ઉપસ્થિત થયા તેઓની સંખ્યા ઘણી ઓછી હતી, આ ઉદાસીનતા અને કાર્યકરોના ઘટાડાને કારણે તરત જ રાજનીતિજ્ઞો તરફથી આનો સક્રીય વિરોધ શરૂ થઈ ગયો.

અત્યાર સુધી શિષ્ટતાને ખાતર કોન્ગ્રેસે પોતાના મંડપને સામાજીક સંમેલનને વાપરવાની પરવાનગી આપેલ હતી. ટિળકના નેતૃત્વમાં એ પરવાનગી પણ પાછી લઈ લેવાઈ અને દુશ્મનાવટની ભાવના એટલી બધી વધી ગઈ કે જો સામાજીક સંમેલન પોતાનો મંડપ બાંધવાનો પ્રયાસ પણ કરે તો તેના વિરોધીઓ તે સળગાવી દેવા ધમકીઓ આપી.

આમ સમયની સાથે રાજનીતિક સુધારા માનતા દળની જીત થઈ અને સામાજીક સંમેલન ગાયબ થતુ ગયું અને લોકો તેને ભૂલતા ગયા.
(Dr Aambedkar, Writings & Speeches)


Facebook Post

No comments:

Post a Comment