June 02, 2017

લઘુમતી: ભીમરાવ આંબેડકર V/S માધવ ગોલવાકર

By Rushang Borisa

🌟 લઘુમતી: ભીમરાવ આંબેડકર V/S માધવ ગોલવાકર :=


દેશમાં આઝાદી બાદ થયેલા પ્રચારથી પ્રભાવિત આજની પેઢી લઘુમતી પ્રત્યે મુખ્યત્વે ૨ પ્રકારની માનસિકતા ધરાવે છે: (૧)તેમના હિતોના સમર્થક (૨) લઘુમતીદ્રેષ. આ વિષયે "રાષ્ટ્રીયતા" ને લઈને phd લેવલે મનોમન્થન કરેલ ૨ પ્રતિભાઓના મંતવ્યો જણાવું.



🔯માધવ ગોલવાકર ( RSS ના માનીતા "ગુરુજી")ના લઘુમતી અંગેના વિચારો:-



➟ લઘુમતી નામની અલગ રાષ્ટ્રીયતા સ્વીકારવી કે જેઓ સામાન્ય નાગરિક હકો ભોગવે છે અને સાથે સાથે પોતાના ધર્મ,સંસ્કૃતિ,ભાષા વગેરેના રક્ષણ હેતુ વિશેષ જોગવાઈઓ મેળવે છે-તે સમગ્ર દેશના શાસકીય અધિકારોના પાલન માટે બાધારૂપ છે.



➟ ધર્મ આધારિત લઘુમતીની ધારણાનો ત્યાગ કરો.



➟ અમારી માટે રાષ્ટ્ર એટલે માત્ર "હિન્દૂ" રાષ્ટ્ર;બીજું કશું નહીં.



🔯આંબેડકરના લઘુમતી ઉપરના વિચારો:



➟ ભારતના લઘુમતીઓની બદનસીબી છે કે ભારતીય રાષ્ટ્રવાદે એક નવો સિદ્ધાંત વિકસાવ્યો છે ;જે દર્શાવે છે કે લઘુમતીઓ ઉપર બહુમતીએ મનફાવે તેમ શાસન કરવું તે બહુમતીનો પવિત્ર અધિકાર છે.એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે લઘુમતીઓને શાસનમાં હિસ્સો આપવો કોમવાદ કહેવાય; જયારે સમગ્ર શાસનવ્યવસ્થાનું બહુમતી દ્વારા એકહથ્થુકરણ કરવું રાષ્ટ્રવાદ કહેવાય !! આવી અન્યાયી રાજકીય વિચારધારાથી પ્રેરાયેલા બહુમતીઓ લઘુમતિવર્ગોને રાજકીય અધિકારો આપવા રાજી નથી...ના કે તેમનામાં લઘુમતીઓ માટે કરવામાં આવતી જોગવાઈઓ પ્રત્યે આદર છે.



➟ ભારત જેવા દેશમાં આ બાબત સ્વીકારવી પડશે કે ભારતમાં લઘુમતી અને બહુમતી વચ્ચે સતત વિષમતાઓ રહેલી છે; જેથી બહુમતીઓ દ્વારા લઘુમતી ઉપર કોમવાદી ભેદભાવનો ખતરો મંડાયેલો છે.જે વર્તમાન સ્થિતિ દેખતા લઘુમતીઓ માટે હાનિકારક છે.એટલા માટે લઘુમતીઓ અંગે વિશેષ રાજકીય પ્રબંધ કરવો તે લેજિસ્લેટિવ અધિકાર કરતા ઘણું વધુ મહત્વ ધરાવે છે.



➟ "મેજોરીટી રૂલ્સ" ની થિયરીનું સમર્થન ના કરી શકાય ;.તેને વ્યવહારુ બનાવવી અક્ષમ્ય અપરાધ છે. બહુમતી વર્ગ કદાચ સાપેક્ષ બહુમતી(રાજકીય) મેળવી શકે ;પરંતુ તે કદાપિ સંપૂર્ણ બહુમતીનો દાવો ના કરી શકે.



➟ બહુમતીના હસ્તે ઘણા લઘુમતી વર્ગો શોષણનો ભોગ બની રહ્યા છે.માટે દેશના દરેક નાગરિકને સમાન રીતે કાયદા,નિયમો અને રેગ્યુલેશનનો લાભ મળી રહે તે માટે જરૂરી છે કે લઘુમતી વર્ગો માટે ફાળવણીઓ કરવામાં આવે.



આંબેડકરે લઘુમતી-વર્ગોના હિતો માટે ધારદાર રજૂઆતો કરી હતી.તેમના મત મુજબ લઘુમતીનું અસ્તિત્વ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને આધીન છે.(અહીં,પહેલો, ત્રીજો અને છેલ્લો ફકરો સામાન્ય લઘુમતીની વ્યાખ્યા સંબંધિત છે;જયારે બીજા પોઈન્ટમાં લઘુમતીના કેન્દ્રમાં વંચિત વર્ગને લીધા છે.)



માધવ ગોલવકરના લેખોમાં લઘુમતીદ્રેષ સ્પષ્ટ તરી આવે છે.લઘુમતીઓને રાજકીય રક્ષણ આપવાના તેઓ કટ્ટર વિરોધી હતા.આ મુદ્દે તેમણે અનેક દલીલો કરી છે.(વળી; ગોલવાકરે દલિતોને માત્ર ૧૦ વર્ષ સુધી વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી તેવો જૂઠી દલીલ પણ કરી છે !)



મુખ્ય મુદ્દો એ છે કે આંબેડકર અને ગોલવકર બંનેએ રાષ્ટ્રનો ખ્યાલ સમજાવેલો છે.(હું બંનેના વિચારોનું અર્થઘટન કરીશ તો પોસ્ટ ઘણી લંબાઈ જશે.)પણ ટૂંકમાં કહું તો ;રાષ્ટ્રવાદને લઈને ગોલવાકર થડ બતાવે છે; જયારે આંબેડકર મૂળિયાં સુધી પહોંચે છે.



RSS જે રીતે આંબેડકરને પચાવી પાડવાનો પ્રયાસ કરે છે....સાફ સાફ કહું -"સંઘ અને આંબેડકરની વિચારધારાનું સમન્વય પાણીમાં તેલ નાખવા બરોબર છે." આ વાત સંઘ સારી પેઠે જાણે જ છે.



{ગોલવાકરના વિધાનો "બંચ ઓફ થોટ્સ" અને "વી ઓર આર નેશનહૂડ ડીફાઈંડ" માંથી ;જયારે આંબેડકરનું લખાણ "Writings & speeches of Babasaheb :Volume -૧" માંથી લીધેલ છે.}



No comments:

Post a Comment