June 15, 2017

સંતોની વિચારધારામાં પણ કન્ફયુઝન.....!!!!!!!!

ભારત સંતોની ભુમિ તરીકે ઓળખાય છે.. તો પણ અનેક બદીઓ જોવા મળે છે. જેમાં આભડછેટ સૌથી મોટી અને કલંકરૂપ બદી છે. એક વસ્તુ માકઁ કરવા જેવી છે... જ્યાં કહેવાતા સંતો કે ભકતો વધુ પાક્યા તે પ્રદેશમાં આભડછેટ વધુ છે.
ગુજરાતનું સૌરાષ્ટ્ર સંતો ભક્તોની ભુમિ કહેવાય છે. ત્યાં આભડછેટનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે. બીજા નંબરે કચ્છ.., પછી ઉત્તર ગુજરાત.
ખરા અથઁમા કહીએ તો આ સંતોએ જ રેશનાલીઝમની પથારી ફેરવી નાખી છે. આજે સમાજમાં જડ બની ગયેલી અંઘશ્રધ્ધા અને ઈશ્વરપુજાનો ફેલાવો કરવામાં આ સંતોનો ફાળો સવિશેષ છે.
આંગળીના વેઢે ગણી શકાય તેટલાને બાદ કરતા બાકીના બધાય સંતો કે ભક્તો ઈશ્વર અને ભગવાનનાં પરચાઓ તથા લીલાઓમાં જ રચ્યા પચ્યા રહ્યા...તેને સમઁથન આપતા રહ્યા.
નરસિંહ મહેતા અને મીંરાબાઈ આ બન્નેના ભક્તિગીતો, રચનાઓ, ભજનો જોઈયે તો તેમાં વણઁવેલી વાતો બસ કોરી કલ્પનાઓ અને અંધશ્રધ્ધા પોષક લાગે છે. કારણ પોતાની રચનાઓમાં અંધશ્રધ્ધાને પોષવામાં આ બન્ને સંતોએ કંઈ બાકી રાખ્યુ નથી..
ગોપનાથ મંદિરમા કૃષ્ણ રાસલીલા જોવા મશાલ પકડી ઊભેલ નરસૈયો ભાન ભુલી પોતાનો અડધો હાથય બાળી નાખે... અને તે ભગવાન બળી ગયેલ હાથને સજઁરી કરી ફરી સરખો કરી આપે.
ઝેરના પ્યાલા અમૃત બનાવે તે મીંરાનો પ્રસંગ હોય. પ્યાલામાં ખરેખર ઝેર હતુ કે પાણી એ તો પુરાવાનો વિષય કહેવાય. બન્ને પ્રસંગોમાં સત્ય શું એ તો તેઓ જ જાણે.. આ બે સિવાય આ બન્ને સંતો કમ ભક્તો ના જીવનમાં એવા કેટલાય પ્રસંગો છે જે સીધા જ ઈશ્વર ચમત્કાર સાથે સંકળાયેલ છે અને અંધશ્રધ્ધાને પોષતા રહ્યા છે.
પછાત સમાજમાં પણ કેટલાક સંતો થયા. કબીર, રોહીદાસ, ચોખામેલા etc મોટાભાગે સંતોની વિચારસરણીમાં ચોખ્ખો ભેદ દેખાય છે.
1. કારણ એક ઈશ્વરનું ભરપુર સમઁથન કરે તો બીજા ઈશ્વરની માન્યતાનો છેદ ઉડાવે..
2. એક મુતિઁપુજાને જબરજસ્ત સમથઁન આપે તો બીજા મુતિઁપુજાને મુખઁતાપુણઁ ગણાવે...
3. એક ધામિઁકવિધીઓને યોગ્ય ગણાવે તો બીજા તેને પાખંડ કહી ટીકા કરે....
એટલે બસ.. કન્ફયુઝન.... કન્ફયુઝન..... કન્ફયુઝન
- જિગર શ્યામલન

Facebook Post :-

No comments:

Post a Comment