July 11, 2018

બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.

By Jigar Shyamlan ||  Written on 16 March 2018


એક જ વસ્તુના અનેક ગણા ફાયદા હોય છે. વસ્તુ એક હોય પણ સચોટ અને અસરકારક રીતે ઘણા બધા અલગ અલગ કામમાં ઉપયોગી થાય છે. આવી વસ્તુને મલ્ટીપર્પઝ કે ઓલરાઉન્ડર કહેવાય, મતલબ બધી જગ્યાએ ચાલે. આપણે કેટલીયવાર એવા અનુભવમાંથી પસાર થઈએ છીએ.

એવુ વિચારધારામાં ય બનતુ હોય છે પરંતુ તેની મર્યાદાઓ છે. કોઈ એક વિચારધારા માત્ર એકાદ બે પરિબળ માટે અસરકારક નિવડી શકે. પરંતુ એક વિચારધારા અનેક પરીબળોને સ્પર્શતી હોય અને તમામ માટે અસરકારક નિવડી શકે તેમ હોય આવુ જવલ્લે જ બને.

સમતા, સમાનતા, બંધુતા અને ન્યાય આ તમામ માનવીય અધિકારોને સ્પર્શતી હોય અને અસરકારક નિવડી શકે તેવી વિચારધારા માત્ર એક જ બુધ્ધ, જ્યોતિબા, આંબેડકરની વિચારધારા.

હવે હાલ આપણાં કેટલાક ભાઈઓ સર્વહારા, બુર્જવા, ક્રાન્તિ, નાસ્તિક વગેરે જેવા શબ્દોનો અર્થ સમજ્યા વગર એક ચોક્કસ રંગ તરફ ખેંચાઈ રહ્યા છે. જો કે મને પર્સનલ કોઈ અફસોસ નથી, પણ એક વાતનુ દુ:ખ છે કે આપણા જ લોકો આંધળા ધેંટા બની સામેથી જ ઉન આપવા જઈ રહ્યા છે.

કારણ એ સર્વહારા લોકો જે વર્ગહીન ક્રાન્તિ કરવા જઈ રહ્યા છે તે સમગ્ર ચળવળનુ રિમોર્ટ સદીઓથી એવી જમાતો પાસે છે જે લોકોને સર્વહારા બનાવી રાખવા જ માંગે છે.

મને બાબા સાહેબ પસંદ છે કારણ કે આજે આપણે જોઈયે છીએ સમાજમાં હજી પણ જાતિવાદ અને ઉચનીચના ભેદભાવ હયાત છે. તો કલ્પના કરો આજથી સૌ દોઢસૌ વરસ પહેલા આ ભેદભાવ કેવા હશે...?

હવે જે સમાજના

---) લોકોને રસ્તા પર ચાલવાનો અધિકાર ન હતો,

---) જાહેર જગ્યાએ જવાનો અધિકાર ન હતો,

---) શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો.

ટુંકમાં એક માનવ તરીકે જીવી શકાય તેવી આઝાદી આપતા કોઈ અધિકારો જેવુ જ ન હતુ તેવા સમય અને સંજોગોમાં બાબા સાહેબની આ તમામ સિધ્ધિઓ મારા માટે આદર્શ બનવા માટે પૂરતી છે.

ભારતમાં મોટાભાગના ઉચ્ચજાતિના કહેવાતા લોકો નીચ જાતિના લોકોથી અભડાય છે. કારણ..??? નીચ જાતિના લોકો ગરીબ છે એટલે નહી પણ તેઓ ઉચ્ચજાતિના નથી એટલે.

આ દેશમાં શરૂથી જ વર્ગનુ કોઈ અસ્તિત્વ જ નથી. અમીર ગરીબ એ ભેદ કરતા ઉચ્ચ અને નીચના ભેદ વધુ છે. જે દેશમાં એક જાતિ સમૂહના લોકો છ હજાર કરતા પણ વધુ જાતિઓમાં વહેંચાયેલ હોય ત્યાં વર્ગહીન સમાજ કરતા વર્ણહીન સમાજની જરૂરીયાત વધુ છે.

એક અર્થશાસ્ત્રી, કાયદાવિદ, સંવિધાનવિદ, લેખક, પત્રકાર, નૃવંશશાસ્ર્તી, અનેક ભાષાના જાણકાર, સમાજ સુધારક, મજૂરનેતા, સ્ત્રી સશક્તિકરણ પુરસ્કર્તા, ફિલોસોફર અને સામાજીક ક્રાન્તિના પ્રણેતા...

આટલી બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.
# I_Love_Baba Saheb

સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો નો શાળા પ્રવેશ

By Raju Solanki



Date 09 July 2017
અમદાવાદની નવનિર્માણ સ્કુલ પછી સાયલાની નાલંદા વિદ્યાલય પણ બંધ પડી. કેરીનો રસ પીધા પછી ગોટલા અને છોતરા ફેંકી દેવામાં આવે છે. શિક્ષણના વેપારીઓ એમની દુકાનો નફો થાય ત્યાં સુધી ચાલુ રાખે છે અને ખોટ થાય તો બંધ કરે છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ખાનગી શાળાઓ અમદાવાદની કાપડ મીલોની જેમ મોટા પાયે બંધ પડવાની છે એ તમારી ડાયરીમાં લખી રાખો.


મૂળ કોંઢના અને હાલ ધ્રાંગધ્રા રહેતા કિશોર મકવાણાએ મને વોટ્સપ પર બંધ પડેલી નાલંદા વિદ્યાલયના સમાચાર મોકલ્યા એટલે મેં સુરેન્દ્રનગરના સાથી વિશાલ સોનારા અને સાયલાના નીલેશ રાઠોડ સાથે આજે વાત કરીને તેમને જણાવ્યું કે બંધ પડેલી શાળામાં ત્રણ બાળકોએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો અને હાલ તેમનું ભણતર જોખમમાં છે. આ બાળકો સાયલાના આંબેડકરનગરના છે, એમના વાલીઓનો તાત્કાલિક સંપર્ક કરીને સાયલા પોલિસ સ્ટેશનમાં નાલંદાના સંચાલકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.

નીલેશ રાઠોડ તૂરન્ત જ વાલીઓને જઇને મળ્યા. વાલીઓએ જણાવ્યું કે બીજી શાળામાં પ્રવેશની વ્યવસ્થા થઈ ગઈ છે.





Date 11 July 2017
સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો દોઢ મહિનાથી ઘરે બેઠા હતા. છેવટે શાળાના સંચાલકો સામે પોલિસ ફરિયાદ કરવાની માત્ર ધમકી આપતાં જ અન્ય શાળામાં પ્રવેશ માટે સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આદેશ આપવાની ફરજ પડી. આરટીઈ ક્ષેત્રમાં કામ કરવા માગતા યુવાન કર્મશીલોએ આવા પરીપત્રો સાચવી રાખવા પડશે. આવનારા દિવસોમાં ખાનગી શિક્ષણનો વેપલો કરતા વેપારી સંચાલકો રાતોરાત એમની શિક્ષણની દુકાનોને તાળા મારીને ભાગી જાય ત્યારે ગરીબ બાળકોના શિક્ષણના અધિકારોની હિફાજત માટે તાત્કાલિક નજીકના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.










Facebook Post : 

नारे संगठनों की पहेचान होते हैं

By Raju Solanki  || Written on 6 July 2018




संगठन नारों से नहीं चलता, मगर नारे संगठन की पहेचान होते हैं. दलित पेंथर्स की 1973 में सबसे पहली रैली के नारों के बारे में जे. वी. पवार उनकी किताब Dalit Panthers: An Authoritative History में लिखते हैं कि, “हमने स्टान्डर्डाइझ्ड स्लोगन्स का निर्णय लिया. कारण यह था कि हमारे कुछ साथी उनको जो नारे अच्छे लगते थे उसे बोलते थे. उनमें से कुछ अशिष्ट (indecent) भी होते थे.” भायखल्ला मार्केट के पास एक होटल में बैठकर जे. वी. और महातेकर ने रैली के लिए स्लोगन्स लिखे.

स्लोगन कुल मिलाकर उन्नीस थे. आप यह पढकर खुद तय किजीए कि आज के आंदोलनों में क्या ऐसे कोई स्लोगन बोले जाते हैं?
1. दलित पैंथर झींदाबाद,
2. क्रान्तिबा फूल्याचा विजय असो,
3. आनु आनु समतेचे राज्य आनु,
4. डो. बाबासाहेब आंबेडकर विजय असो,
5. दलितांची सत्ता, जनतेची सत्ता,
6. गाडु गाडु, हिन्दुत्व गाडु (हम हिन्दुत्व की विचारधारा को दफना देंगे)
7. हम उस देश के दुश्मन है, जहां नारी की इज्जत खतरे में हैं.
8. बोल दलिता, हल्ला बोल
9. लानी है, लानी है, हमें आझादी लानी है,
10. इस देश का क्या है नाम? भारत या हिन्दुस्तान?
11. आमदार, खासदार, जमीनदारों की औलाद (धारासभ्य, सांसद जमीनदारों की औलाद है)
12. उन्हें देश बेचना है, हमें देश बचाना है,
13. गोलीला दलित, पोलिला भट्ट (दलित को गोली, ब्राह्मण को पुरणपोळी)
14. जीथे गडतो एर्नागांव बावडा, त्या देशच्या छातीत रावडा (जिस देश में एर्नागांव बावडा जैसी घटना होती है, उस देश की छाती में आग लगती है)
15. जो देश को तोडते है, उस महात्मा कहते है
16. नई रोशनी लाई है, देश में आग लगाई है. (इन्दिरा गांधी के बारे में)
17. उठ दलिता भूखा कंगाल, बंदूकीला हाथ झाल,
18. दलित गुलाम देश गुलाम, दलित स्वतंत्र देश स्वतंत्र,
19. अबाउट टर्न, अबाउट टर्न, महार बटालीयन अबाउट टर्न (पुलीस ने इस स्लोगन का कडा विरोध किया था, कहेते थे यह स्लोगन राजद्रोह है.)

દલિત પેંથરનો ઇતિહાસ: જે. વી. પવારની નજરે

By Raju Solanki  || Written on 5 July 2018


દલિત પેંથરનો અત્યંત મૂલ્યવાન અને રસપ્રદ ઇતિહાસ એના સ્થાપકો પૈકીના એક જે. વી. પવારે મરાઠીમાં લખ્યો, તેનો અંગ્રેજી અનુવાદ રક્ષિત સોનવણેએ કર્યો અને Dalit Panthers: An Authoritative History નામથી તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે.


ડો. બાબાસાહેબ આંબેડકર પછી અને કાંસીરામની પહેલા દલિત પેંથર ભારતના દલિત આંદોલનનું એક રોમહર્ષક, ઉજ્જવળ પ્રકરણ છે, જેણે દલિત સ્વાભિમાનની પ્રચંડ જ્યોતને જલતી રાખેલી. આ પુસ્તકમાં ઘણી ઘણી બાબતો એવી છે કે જેની આપણાંમાંના મોટાભાગના લોકોને ખબર જ નથી. જે. વી. પવારને આનંદ તેલતુંબડે ‘આંબેડકર પછીના દલિત આંદોલનનો એનસાઇક્લોપીડીયા’ કહેતા હોય કે પ્રો. અવિનાશ ડોલાસ ‘દલિત આંદોલનના બીજા સી. બી. ખેરમોડે’ કહેતા હોય તો એમાં લગીર અતિશયોક્તિ નથી.

માત્ર 250 રૂપિયાની કિંમતના આ બહુમૂલ્ય ગ્રંથમાં પવારે પેંથર્સના સ્થાપકો અને અગ્રણીઓ રાજા ઢાલે, નામદેવ ઢસાલ, રામદાસ આઠવલે, અરુણ કાંબલે, કે. વી, ગમરે, ગંગાધર ગાઢે, અવિનાશ મહાતેકર અને દયાનંદ મહસ્કે વચ્ચેના વ્યક્તિગત અને સાંગઠનિક સંબંધો તેમજ વિચારધારાના ભેદભાવોનું બયાન કર્યું છે, જે વાંચતા ખબર પડે છે કે દલિત આંદોલનમાં વ્યક્તિગત અહમના ટકરાવો ક્યારેક વિચારધારા કરતા પણ મોટો ભાગ અચૂક ભજવી જાય છે, પરંતુ વિખરાવના આ બે મહત્વના કારણો તો છે જ.

લેખક નોંધે છે કે, રીપબ્લિકન પક્ષના નેતાઓએ તત્કાલીન કોંગ્રેસ પક્ષ સાથે કરેલા રાજકીય સમાધાનોથી ક્રોધે ભરાયેલા દલિત યુવાનો પેંથર્સ જેવા નવોન્મેષની રાહ જોતા હતા અને આ આક્રોશિત યુવાનોએ 1972માં પેંથર્સને એક ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ આપ્યું હતું. પાંચ વર્ષ પછી જ્યારે રાજા ઢાલે અને લેખક પોતે પેંથરનું વિસર્જન કરવા બેસે છે ત્યારે આવા જ કારણો, સમાધાનકારી વલણો તેમની સામે આવે છે. તેઓ લખે છે કે, 1977માં નામદેવ ઢસાલ કોંગ્રેસનો, ભાઈ સંગારે અને અવિનાશ મહાતેકર જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા અને લેખક પોતે ભૈયાસાહેબ આંબેડકરનો પ્રચાર કરતા હતા. દલિતો સામાજિક ભેદભાવો સામે લડવા જ્યારે જ્યારે સંગઠિત થાય છે, ત્યારે ત્યારે કોંગ્રેસ, જનતા પક્ષ (અને હવે ભાજપ) તેમને રાજકીય ખેમાઓમાં વિભાજીત કરતા રહે છે. ગુજરાતના દલિત આંદોલનકારીઓ આમાંથી બોધપાઠ લેવો જોઇએ.

જે. વી. પવાર અને રાજા ઢાલેએ દલિત પેંથરનું વિસર્જન કરીને માસ મુવમેન્ટની સ્થાપની કરેલી. 1985માં અમે અમદાવાદના જ્યોતિસંઘ હૉલમાં એક કાર્યક્રમ કરેલો એમાં બંનેને બોલાવેલા. ત્યારે મને રાજા ઢાલે બહુ જ ઘમંડી અને સ્વ-કેન્દ્રિત લાગેલા. જે. વી. સાથે ખાસ કોઈ વાતો થયેલી નહીં. પરંતુ તાજેતરમાં વાલજીભાઈ પટેલે જે. વી. વિષે એક વાત કરી એ સાંભળીને મને થયું કે જે. વી. ખરેખર લીજેન્ડ છે. 1975માં વાલજીભાઈ મુંબઈ ગયા ત્યારે એક રાત જે. વી. પવારના ઘરે રોકાયા હતા. ઘર નાનુ હતું. પવાર દંપતિએ એમના ગુજરાતી મહેમાનને પલંગ પર સૂવડાવ્યા. મધરાતે પલંગ નીચે કંઈ અવાજ થયો. વાલજીભાઈ જાગી ગયા અને કૂતુહલવશ પલંગ નીચે નજર કરી તો જોયું કે પલંગ નીચે ફરસ પર જે. વી. પવાર, તેમના પત્ની અને બાળકો સહિતનું સમગ્ર કુટુંબ સૂતું હતું. આવા છે દલિતોના નેતાઓ. નાના ઘરોમાં બહુ મોટા ગજાના લોકો રહેતા હોય છે.


Facebook Post :

ડૉ ભીમરાવ આંબેડકર ના જીવન મા ગૌતમ બુદ્ધ ના વિચારો નો પ્રવેશ

By Vishal Sonara || Written on 06 July 2018


બાબા સાહેબ આંબેડકર ના પિતાશ્રી રામજી માલોજી સકપાલ એક આર્મી ઓફીસર હતા. તેઓ કબીર પંથી હતા તથા ખુબ જ ધાર્મિક વૃત્તી ધરાવનાર વ્યક્તિ હતા. આર્મી ની ટ્રેનિંગ ને કારણે તેઓએ પોતાના સંતાનો ને પણ એ જ પ્રમાણે શિસ્ત થી ઉછેર્યા હતા. ડૉ આંબેડકર જ્યારથી સમજણા થયા ત્યાર થી તેઓ ને પોતાના પીતાશ્રી સાથે ધર્મ અંગે ધણી ચર્ચાઓ થતી રહેતી. આંબેડકર ના દાદા એટલે કે રામજી માલોજી સકપાલ ના પિતાશ્રી રામાનંદી સંપ્રદાય મા માનતા હતા અને આંબેડકર ના પિતા કબીર પંથી હતા. સામાન્ય ભારતીય કુટુંબો મા જે પ્રમાણે બાપ દાદા જે ધાર્મિક માન્યતા ધરાવતા હોય એવી જ માનસીકતા કેળવાતી હોય છે પરંતુ એ પ્રકારની મનોવૃત્તિ મોટા ભાગના બહુજન પરીવારો મા નથી હોતી તેઓ ખુદને જે શ્રેષ્ઠ લાગે તે જ પંથ કે ધાર્મિક માન્યતા પર ચાલે એનુ આ શ્રેષ્ટ ઉદાહરણ છે. આંબેડકર ના પિતાશ્રી ને કબીરપંથ મા વિશ્વાસ હોવાથી તેઓ એ પોતાના પિતાશ્રી ના જેમ રામાનંદી પંથ પર જ ન જતા પોતે કબીરપંથ પસંદ કર્યો.

ભીમરાવને પોતાના પિતાજી સાથે હંમેશા તેમની અમુક ધાર્મિક પ્રવૃત્તિઓ ને લઈ ને વાંધો રહેતો. જેમ કે કબીરે મુર્તિપુજા નો સખત વિરોધ કરેલો અને મોટા ભાગના સાચા કબીરપંથીઓ પણ મુર્તિપુજા મા નથી માનતા હોતા. આંબેડકરના પિતાજી પણ નહોતા માનતા પરંતુ પોતાના બાળકો અને પરીવાર ની ખુશી માટે ગણપતિ પુજા કરતા અને ઉજવણી કરતા, જે આંબેડકર ને પસંદ નહોતુ. તદુપરાંત રામજી માલોજી સકપાલ કબીર પંથ ના પુસ્તકો તો વાંચતા તેમજ વંચાવતા જ પરંતુ રોજ રાત્રે સુતા પહેલા રામાયણ અને મહાભારત માથી અમુક અંશ ને ઘર ના અન્ય સભ્યો સાંભળે તે રીતે ભીમરાવ અને એમના ભાઈ પાસે મોટે મોટે થી વંચાવતા. આ પ્રકારની ધાર્મિકતા આંબેડકર ને પસંદ નહોતી તેમ છતા પોતાના પિતાશ્રી નુ મન રાખવા માટે વર્ષો સુધી આ પ્રથા ચાલુ હતી.

1907 મા સોળ વર્ષ ની ઉમરે જ્યારે ભીમરાવે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી. (1901 માં બાબા સાહેબ નો પરીવાર સતારાથી મુંબઈ સ્થળાંતરીત થયેલો) એ પરીક્ષા મા એમવો નો સામાન્ય દેખાવ રહેલો તથા મુખ્ય ભાષા તરીકે પર્શીયન ભાષા હતી. (બાબા સાહેબ સંસ્કૃત ભાષા રાખવા માંગતા હતા પરંતુ એ વખત ના જાતિવાદી તત્વો એ બ્રાહ્મણ સીવાય ના લોકો અને એમા પણ અછુત ને તો ક્યારેય સંસ્કૃત સીખવવા તૈયાર નહોતા) મેટ્રીક્યુલેશન પાસ થવાના કારણે ભીમરાવ ને બોમ્બે યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ મા એડમીશન મળવા પાત્ર હતું. સમાજ ના લોકો એ ભીમરાવનુ સમ્માન કરવા માટે એક સમારંભ યોજવાનુ વિચાર્યું. અન્ય સમાજ ની સરખામણી મા મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટા બહુમાન ની વાત નહોતી. તેમછતાં અછુત સમાજ માંથી પ્રથમ વિદ્યાર્થી આ લેવલ સુધી પહોચ્યો હોવાના કારણે સમાજ ના લોકો ઉત્સાહિત હતા. સમાજ ના પ્રતિનિધિઓ બાબા સાહેબ ના પિતાશ્રી પાસે ગયા અને આ પ્રકાર ની વાત કરી પરંતુ બાબા સાહેબ ના પિતાજી એ એમ કહી ને ના કહી દિધી કે આ એવી કોઇ મહાન સિધ્ધી નથી કે એની ઉજવણી થવી જોઇએ અને આમ પણ આવુ કરવા થી છોકરો ફુલાઈ જશે અને એના મગજમાં રાઈ ભરાઈ જશે. આવુ સાંભળીને નીરાશ થઈ ગયેલા સમાજ ના પ્રતિનીધીઓ રામજી માલોજી સકપાલ પરીવાર ના પારિવારીક મીત્ર અને મરાઠા સમાજ ના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્રિષ્ણરાવ અર્જુન કેલુસ્કર કે જેને દાદા કેલુસ્કર તરીકે પણ ઓળખવામા આવે છે, એમની પાસે ગયા. દાદા કેલુસ્કર વિલ્સન હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ હતા અને ભૂતકાળમાં પણ એમણે ભીમરાવ ને ચર્ની રોડ ગાર્ડન મા પુસ્તક વાંચતા જોયેલા ત્યારે એમણે તપાસ કરતા જાણ થઈ કે શાળા મા તથાકથીત ઉચી જાતિના આવારા છોકરાઓની ગુંડાગર્દી થી ત્રાસી ને ભીમરાવ આ રીતે બગીચામા બેસી ને પોતાનો અભ્યાસ કરતા હતા. ત્યાર થી જ બાબા સાહેબ પર દાદા કેલુસ્કર ને અપાર લાગણી હતી. મહાર પ્રતિનીધીઓ ની વાત સાંભળી ને એમણે ભીમરાવ ના પિતાશ્રી ને મળ્યા અને ભીમરાવ ની સમ્માન સભા માટે મનાવી લીધા.

સમ્માન સમારોહ ના અંત મા દાદા કેલુસ્કરે બાબા સાહેબ ને એમણે ખુદ લખેલું પુસ્તક બુદ્ધ ચરીત્ર (મરાઠી મા ગૌતમ બુદ્ધાંચે ચરીત્ર) ભેટ મા આપ્યું. ભીમરાવ પોતાને મળેલી આ ભેટ થી બેહદ ખુશ હતા. તેમણે ખુબ જ રસપુર્વક એ પુસ્તક વાંચ્યું. બુદ્ધ અને તેમના વિચારથી ભીમરાવ ખુબ જ પ્રભાવિત થયા. એ પુસ્તક વાંચી ને ભીમરાવ વિચારતા હતા કે અત્યાર સુધી એમના પિતાજીએ એમને અન્યોને બુદ્ધ અને તેમના વિચારો થી કેમ પરિચિત ન કરાવ્યા, કેમ એમને બૌદ્ધ સાહિત્યથી દુર રાખવામા આવ્યા?? ખુબ જ મનોમંથન ના અંતે એમણે પોતાના પિતાજી સાથે આ બાબત પર ચર્ચા કરવાનુ નક્કી કર્યુ. તેમણે સીધા પોતાના પિતાજી પાસે જઈ ને પુછી લીધુ કે કેમ તમે અમારા પાસે રામાયણ અને મહાભારત જેવા બ્રાહ્મણો અને ક્ષત્રીયો ને જ ગૌરવાન્વીત કરતા તેમજ પછાત જાતિઓ (શુદ્રો) અને અછુતો ના અધઃપતન દર્શાવતા ગ્રંથો જ વંચાવવાનો આગ્રહ રાખ્યો. ભીમરાવ ના પિતાશ્રી ને આ સવાલ ન ગમ્યો. તેમણે ભીમરાવ ને એમ કહી ને વાત ટાળી દિધી કે , "આ બધી ચર્ચા કરવાની તારી ઉંમર નથી. તને જે કહેવામા આવે છે એ કર." તેમ છતા સવાલ કરવાથી થાકે તો ભીમરાવ શાના? તેમણે થોડા દિવસો બાદ ફરી આ જ વાત નીકાળી અને એ જ સવાલ કર્યો. આ વખતે તેમના પિતા પણ તૈયારી મા જ હતા. તેમણે તરત જ જવાબ આપ્યો, "હું તમને લોકો ને રામાયણ અને મહાભારત વાંચવા માટે પ્રેરીત કરું છું કારણ કે આપણે લોકો અછૂત સમાજ માંથી આવીએ છીએ, અને તેના કારણે લઘુતાગ્રંથી થી પીડાવુ એ આ સમાજ મા સામાન્ય બાબત છે. રામાયણ અને મહાભારત વાંચવાના કારણે આ લઘુતાગ્રંથી દુર થઈ શકે છે. જેમ કે દ્રોણ અને કર્ણ નાના માણસો હતા તેમ છતા તેઓએ આટલી ખ્યાતી પ્રાપ્ત કરી, વાલ્મીકી કે જે કોલી જાતિના અછૂત હોવા છતા રામાયણ ની રચના કરી. આટલા માટે જ હુ રામાયણ તથા મહાભારત વાંચવા માટે જણાવુ છુ."

ભીમરાવ ને એમના પિતાજી નો આ ખુલાસો સંતોષકારક ન લાગ્યો. ભીમરાવ ને મહાભારત ના એક પણ પાત્ર પસંદ નહોતા. તેમણે પણ પોતાના પિતાજી ને જવાબ આપ્યો કે , "મને ભીષ્મ અને દ્રોણ પસંદ નથી તેમજ કૃષ્ણ પણ. ભીષ્મ અને દ્રોણ દંભી લોકો હતા. તેઓ કહે કંઈ અલગ કરે કંઈ અલગ. કૃષ્ણ કપટી હતા. તમની કથા છળ કપટની હારમાળા થી વિશેષ કંઈ નથી. રામ પર પણ મને એક સમાન અણગમો છે. શૂર્પણખા અને વાલી-સુગ્રીવ ના બનાવ પર તેમની હરકતો તપાસો તેમ જ સીતા સાથે કરેલો ધ્રુણાસ્પદ વ્યવહાર તપાસીએ તો ખ્યાલ આવે."

આ સાંભળી ને ભીમરાવ ના પીતાજી કશુ ન બોલ્યા. તેઓ સમજી ગયા હતા કે આ વિદ્રોહ ની શરુઆત છે....!!!!

આ રીતે દાદા કેલુસ્કર દ્વારા આપવામા આવેલા પુસ્તક ના કારણે બાબા સાહેબ પોતાના જીવન ના શરુઆતના દિવસો મા જ બુદ્ધ અને તેમના વિચારોથી પરિચિત બન્યા હતા તેઓ નાની ઉમર થી બુદ્ધ અને તેને લગતુ સાહિત્ય વાંચતા રહેતા અને અન્ય ફિલોસોફી અને ધર્મ સાથે સરખાવતા રહેતા. ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને તેમના વિચારો બાબા સાહેબ ના જીવન સાથે મૃત્યુ સુધી જોડાયેલા જ રહ્યા. અંતે તેમણે પોતાના લોકો ની વૈચારીક અને સામાજીક ઉન્નતી માટે બુદ્ધ નો ધમ્મ અપનાવી ને એક દિશાસૂચન કરતા ગયા. અને આગળ ની જવાબદારી બાબાસાહેબ બહુજન સમાજ ના લોકો પર છોડતા ગયા છે. સામાજિક જાગૃતી ના આ યુગમાં આપણે એક તકેદારી તો ચોક્કસપણે રાખવી જ પડશે કે આપણા સંતાનો પણ મોટા થઈને જાતે જ બાબા સાહેબ અને બુદ્ધ ના વિચારો જાણતા થાય અને પછી બાબા સાહેબ જેમ આપણને પ્રશ્ન ન કરે કે, "કેમ આટલા વર્ષો થી અમને આંબેડકર અને બુદ્ધ ના વિચારો થી અળગા રાખવામા આવેલા છે...????" 

Facebook Post :