July 22, 2017

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૨

By Dinesh Makwana

હુ હવે એવી બાબતોનો ઉલ્લેખ કરવા માંગુ છુ જેના લીધે મારા સાથીઓ સાથેનુ જોડાણ તુટવા માટે મજબુર થયો.  જુદા જુદા કારણોને લઇને આ આવેગમાં છેલ્લા કેટલાય સમયથી વૃદ્ધિ થઇ રહી હતી.
સૌથી પહેલા હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જે તમારા અંગત ચારિત્ર્ય સાથે વણાયેલી હોય અને એવી ભુમિકા જેના લીધે હુ રાજીનામું આપવા પ્રેરાયો છુ. વાઇસરોય કારોબારી સમિતિના સભ્ય હોવાના કારણે હુ જાણતો હતો કે કાનુન મંત્રાલય વહીવટી દષ્ટિએ કોઇ મહત્વનું મંત્રાલય નથી. તે ભારત સરકારની કોઇ યોજના ને આકાર આપવા માટે કોઇ તક આપતું નથી. આપણે તેને ખાલી સાબુનું બોકસ કહીયે છે જેનો ઉપયોગ અનુભવી વકીલો કરી શકે.
જ્યારે વડાપ્રધાને મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે મારા શિક્ષણ અને અનુભવને કારણે હુ વકીલ હોવાથી આ ખાતું ચલાવી શકવા સક્ષમ હતો. અને જુની વાઇસરોયની કારોબારી સમિતિમાં મારી પાસે બે વહીવટી ખાતા હતા. તેમાં એક શ્રમ અને બીજું જાહેર બાંધકામ વિભાગ જેમાં મોટા પ્રોજ્કટ ના આયોજન માટેની ફાળવણી મારા હાથે થઇ અને તેમ છતા બીજા વહીવટી ખાતા સંભાળવાની ઇચ્છા રાખતો હતો. પ્રધાનમંત્રી તે અંગે સંમત થયા અને નવા બનાવવામા આવી રહેલા આયોજન વિભાગને તેઓ મારા કાનુન વિભાગની સાથે સાથે સંભાળવાનું કહેશે. કમનસીબે આયોજન વિભાગ બહુ મોડો ઉભો કરવામાં આવ્યો અને જ્યારે તે તૈયાર થઇને આવ્યો ત્યારે હુ કેબિનેટમાંથી બહાર નીકળી ગયો હતો.  મારા કાર્યકાળ દરમિયાન કેટલાય મંત્રીઓના વિભાગ બદલાયા, હુ પણ વિચારતો હતો કે મારો વિભાગ પણ બદલાશે. કેટલાય મંત્રીઓને બે કે ત્રણ વિભાગો આપવામાં હતા અને તે રીતે તેઓ કામના બોજા હેઠળ દબાયેલા હતા અને તેમાં મારા જેવા પણ હતા જે વધુને વધુ કામ ઇચ્છતા હતા. જ્યારે મંત્રી વિદેશ પ્રવાસે હોય ત્યારે થોડા સમય માટે ચાર્જ આપવા માટે પણ મારો વિચાર કરવામાં આવ્યો નહી.
તે સમજવું મુશ્કેલ હતું કે મંત્રીઓને જુદા જુદા ખાતા ફાળવવા પાછળ પ્રધાનની કયા સિધ્ધાંતોનુ પાલન કરી રહ્યા હતા. શુ મંત્રીઓની ક્ષમતા જોવામાં આવે છે? તેમની પર વિશ્વાસ છે કે તેઓ મિત્ર છે? કે પછી તેઓ ચાંપલુશો છે? જેમ વિદેશ બાબતોની કે સંરક્ષણ બાબતોની કમિટિ હોય તેવી કેબિનેટ ની મુખ્ય કમિટિના સભ્ય તરીકે પણ મારી નિમણૂક થઇ નહોતી. જ્યારે આર્થિક બાબતોની કમિટિની રચના થઇ ત્યારે અર્થશાસ્ત્ર અને નાંણાના વિધ્યાર્થી હોવાના નાતે મને આશા હતી કે તે કમિટિમાં મને નિમણૂક આપવામાં આવશે પણ મને બહાર રાખવામા આવ્યો. મને કેબિનેટમા નિમણૂક મળી જ્યારે પ્રધાનમંત્રી ઇંગ્લેંડના પ્રવાસે હતા. પણ જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમનુ ધ્યેય દરેક કમિટીઓની પુનર્રચના મા હતું. અને તેમણે મને બહાર રાખ્યો. ત્યાર બાદ મારો વિરોધ જોતા પુનર્રચના પામેલ કમિટિમા મારુ સ્થાન રાખવામા આવ્યું.
હુ ખાતરી આપું છુ કે પ્રધાનમંત્રી એ બાબતે જરુર સંમત થશે કે આ સંદર્ભમાં મે ક્યારેય કઇ ફરિયાદ કરી નથી. જુદા જુદા ખાતાઓમાં જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે તે ખાતું મેળવવા કેબિનેટ ની અંદર જે ગંદી રમતો રમાતી હતી તેનો હિસ્સો હુ ક્યારેય બન્યો નહોતો. હુ માત્ર સેવામાં માનુ છુ. અને કેબિનેટના વડા તરીકે પ્રધાનમંત્રીએ જે પદ માટે મને યોગ્ય ગણ્યો હોય તે પદને અનુલક્ષીને મારે જે સેવા કરવી જોઇએ તે મારે કરવી જોઇએ તેમ હુ માનતો હતો. છતાય મારી સાથે શુ ખોટું થઇ રહ્યુ છે તે સમજવા હુ અમાનવીય થઇ શક્યો નહોતો.
હવે હુ એવી બાબતોનો ઉલ્લેખ કરીશ જેના લીધે મને સરકાર પ્રત્યે અસંતોષ જાગ્યો. તે પછાત વર્ગ અને અનુસુચિત જાતિના લોકો સાથે જે વ્યવહાર થાય છે તેને અનુલક્ષીને છે. હુ દિલગીર છુ બંધારણમાં આ પછાત વર્ગ માટે કોઇ સંરક્ષણ ની વ્યવસ્થા નથી. અને તે કાર્ય રાષ્ટ્રપતિ દ્રારા નિમણૂક પામેલ પંચની ભલામણો અનુસાર કાર્યપાલક સરકારે કરવાનું હતું. અને બંધારણને પસાર કર્યાને એક વર્ષ થયુ હોવા છતા સરકારે આ બાબતમાં કોઇ પંચની રચના કરવાનું વિચાર્યું પણ નથી. ૧૯૪૬ ના વર્ષ દરમિયાન જ્યારે મારા હોદા પર નહોતો, તે વર્ષ મારા માટે અને અનુસુચિત જાતિના આગળ પડતા લોકો માટે ચિંતાજનક વર્ષ હતું. બ્રિટિશ લોકો તેમણે કરેલા વાયદામાંથી છટકી ગયા હતા જે તેમણે અનુસુચિત જાતિ માટે બંધારણીય વ્યવસ્થા માટે કર્યા હતા. અને અનુસુચિત જાતિના લોકોને તે પણ ખબર નહોતી કે બંધારણ સભા તેમના માટે આ બાબતમાં શુ કરવાની હતી. આ ચિંતાને લઇને અનુસુચિત જાતિના લોકોની સ્થિતિ વિશે એક રિપોર્ટ બનાવીને મે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મોકલવાનો વિચાર કર્યો હતો, પણ મે તે મોકલ્યો નહી. કારણ કે મને લાગ્યું કે બંધારણ સભા અને ભવિષ્ય ની ભારત સરકાર આ બાબતમાં શુ કરે છે ત્યાં સુધી રાહ જોવી. બંધારણમાં અનુસુચિત જાતિના લોકો માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેનાથી હુ સંતુષ્ઠ નહોતો.
તેમ છતા મે બંધારણ ને સ્વીકારી લીધું. તે આશામાં કે સરકાર તેને અસરકાર બનાવવાની દિશામાં યોગ્ય પગલા લેવા પ્રતિબદ્ધ થશે. આજે અનુસુચિત જાતિનો લોકો કેવા છે, તેમની સ્થિતિ શુ છે? પણ મને લાગે છે તેમની સ્થિતિ પહેલાના જેવી જ છે. તે જુના જુલમો, અત્યાચારો, પહેલાથી ચાલી આવતો ભેદભાવ હજુ પણ ચાલી રહ્યો છે. અને તે પણ બહુ ખરાબ રીતે ચાલી રહ્યો છે. મારી પાસે એવા કેટલાય કેસો છે જેમાં દિલ્હી અને તેની આસપાસ રહેતા અનુસુચિત જાતિના લોકો મારી પાસે તેમની દર્દનાક કથા લઇને આવ્યા હતા કે હિન્દુઓ તેમની સાથે કેવો વ્યવહાર કરે છે. અને પોલિસે તેમની ઁફરિયાદ લેવાની અને મદદ કરવાની ના પાડી દીધી હતી. મને એ આશ્ચર્ય થાય છે દુનિયામાં જે વ્યવહાર ભારતમાં અનુસુચિત જાતિના લોકો સાથે તે વ્યવહાર બીજે ક્યાંય થાય છે. આવી સ્થિતિ બીજે ક્યાંય છે?
હુ શોધી શક્યો નથી. અને તેમ છતા કેમ કોઇ રાહત પુરી પાડવામા આવતી નથી? સરકાર આ લોકો કરતા મુસ્લિમોની ચિંતા વધુ કરે છે. પ્રધાનમંત્રીનો મોટા ભાગનો સમય અને તેમનુ ધ્યાન ફક્ત મુસ્લિમોના રક્ષણ માટે વપરાય છે. હુ માનું છુ કે ભારતના મુસ્લિમો જ્યારે પણ જયા જરુર હોય ત્યાં તેમને રક્ષણ આપવું તે મારી ઇચ્છા હતી. પણ હુ જાણવા માંગુ છુ કે માત્ર મુસ્લિમોને જ રક્ષણની જરુર છે? શુ અનુસુચિત જાતિ કે જનજાતિ કે ખ્રિસ્તીઓને રક્ષણની જરુર નથી? જયા સુધી હુ જાણું છુ આ લોકોની ચિંતા આજસુઘી કોઇએ કરી નથી. હકીકત એ છે કે તેમને મુસ્લિમ કરતા વધુ દરકાર અને ધ્યાનની જરુર હતી.

આટલું લખતા મારી આંખોમાંથી આંસુ ટપકી પડે છે. કેમ આ માણસ મહાન છે. હુ ચોક્કસ પણે માનું છુ આવનારી પેઢીના દરેક બાબાને ભગવાન જ માનશે. આ વ્યક્તિને કેટલી ચિંતા હતી. આપણે સો જન્મ બાદ પણ બાબા શુ તેમના દસમા ભાગનો અંશ બની ના શકીયે.


દિનેશ મકવાણા
વડોદરા
તારીખ ૨૬/૬/૨૦૧૭ સવારે ૭.૧૦

કાનુન કે કાયદા મંત્રી ના પદેથી રાજીનામું આપતા બાબા સાહેબ ની વેદના. ભાગ-૧

By Dinesh Makwana



આ મને ખાતરી છે કે આ ગૃહને પણ અઘિકારીક કે બિનઅધિકારીક રીતે જાણ હશે કે હવે હુ કેબિનેટનો સભ્ય રહ્યો નથી. મે મારુ રાજીનામું તારીખ ૨૭/૯ ના ગુરુવારના રોજ પ્રધાનમંત્રીને મોકલી આપ્યું છે. અને તેમને કહ્યું છે તેઓ વેળાસર આ કાર્યમાંથી મુક્ત કરી દે. પ્રધાનમંત્રી એટલા સારા હતા કે તેમણે બીજા જ દિવસે મારુ રાજીનામું સ્વીકારી લીધું. જો હુ ૨૮/૯ શુક્રવાર સુધી મંત્રી પદે ચાલુ રહ્યો હોય તો તેનું એક જ કારણ હતું કે પ્રધાનમંત્રીએ મને વિનંતી કરી હતી કે તમે આ સત્રના અંત સુધી રોકાઇ જાઓ. એક એવી વિનંતી જે બંધારણીય નિયમોના પાલન માટે હુ તેને સ્વીકારવા બંધાયેલો હતો.

આપણી પધ્ધતિના નિયમો મુજબ દરેક મંત્રીને પરવાનગી મળે છે તેમણે રાજીનામાની બાબતમાં અંગત નિવેદન આપીને દરેકને માહિતગાર કરવા જોઇએ. કેટલાય મંત્રીઓએ મારા કાર્યકાળ દરમિયાન રાજીનામા આપ્યા, અલબત દરેક રાજીનામું આપનાર મંત્રીએ નિવેદન આપવું તેવી કોઇ પ્રણાલિ નથી તેથી કેટલાક મંત્રીઓ નિવેદન આપીને ગયા, કેટલાકે કોઇ નિવેદન કર્યુ નહી. પરંતુ દરેક પ્રકારના સંજોગો જોતા હુ એવા નિષ્કર્ષ પર આવ્યો છુ કે રાજીનામું આપનાર મંત્રી ખુલાસો કરે અથવા નિવેદન આપે તે માત્ર જરુરી નથી, પણ તેની ફરજ પણ હોવી જોઇએ, છેવટે આ ગૃહ તે રાજીનામું આપનાર સભ્યનું જ છે.

ગૃહને કશી જાણ હોતી નથી કે કેબિનેટ કેવી રીતે કાર્ય કરે છે. સભ્યોની વચ્ચે ભાઇચારાની ભાવના હોય છે કે તેમના વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય તેના વિશે કશી ખબર હોતી નથી.અને તેથી આવા એક સાદા કારણને લીધે એક એવા સભ્ય જે અલ્પસંખ્યકમા હોય તેને પોતાના મતભેદો વિશે માહિતિ આપવાનો અધિકાર નથી, પરંતુ આ સંયુક્ત જવાબદારી છે. તેને પરિણામે આ ગૃહ સતત વિચારતું રહ્યું કે દરેક સભ્યોની વચ્ચે સંઘર્ષ નહોતો પણ હકીકત તે હતી કે કેબિનેટ સભ્યોની વચ્ચે મતમતાંતર રહ્યા હતા.  તેથી વિદાય લઇ રહેલી મંત્રીની ફરજ છે કે તેમણે એક નિવેદન દ્રારા ગૃહને માહિતગાર કરવું જોઇએ કે તે કેમ રાજીનામું આપવા માંગે છે અને બીજી સંયુક્ત જવાબદારી લેવા કેમ ચાલુ રહી શકે તેમ નથી.

બીજું મંત્રી જો નિવેદન કે ખુલાસો આપ્યા વિના જશે તો પ્રજા તેમ વિચારશે કે મંત્રીના આચરણમાં કઇંક ખોટું છે કે મંત્રીના આચરણ વિશે શંકા છે.

જાહેરજીવન મા કે ખાનગી ધોરણે મને લાગ્યું કે કોઇ પણ મંત્રીએ શંકા પેદા થાય તેવા સંજોગો ઉભા કરવા જોઇએ નહી. મારી દષ્ટિએ સૌથી સલામત રસ્તો એ છે કે તેણે નિવેદન આપીને જવુ જોઇએ.

ત્રીજુ આપણા જે અખબારો છે તેઓ તેમની આદત પ્રમાણે તેઓ કોઇના સમર્થક છે તો કોઇના વિરોધી. તેમનુ આકલન ભાગ્યેજ કોઇ ગુણ કે અવગુણના આધારે કરવામાં આવ્યુ હોય છે. જ્યારે તેમને જગ્યા મળશે ત્યારે તે જગ્યા રાજીનામા માટેના એવા કારણોથી ભરી દેશે જે કારણો વાસ્તવમાં સાચા હોતા નથી. તે રીતે તેઓ તેમને જેઓ પસંદ છે તેમને લોકોની નજરમાં સહેલાઈથી લાવતા હોય છે. આવુ મારી સાથે કેટલીય વાર થયુ છે તે હુ સહેલાઇ થી જોઇ શકુ છુ. તે જ કારણોને લઇને  મે નિર્ણય કર્યો કે હુ રાજીનામું આપતા પહેલા એક નિવેદન આપતો જાઉં.

આજે તે વાતને ચાર વર્ષ, એક મહિનો અને છવ્વીસ દિવસ થયા જ્યારે પ્રધાનમંત્રીએ મને કેબિનેટ મા કાયદામંત્રી તરીકેનું પદ સ્વીકારવાનું કહ્યું. આ તક મારા માટે આશ્ચર્યજનક હતી. કારણ કે હુ વિરોધી છાવણીનો હતો અને ઓગસ્ટ ૧૯૪૬ મા જ્યારે અંતરિમ સરકારની રચના થઇ ત્યારે મારી નકામા સંગઠનો બનાવવા માટે ઝાટકણી કાઢવામાં આવી હતી. તેથી હુ જેવા માંગતો હતો કે પ્રધાનમંત્રીના વલણમાં ફેરફાર કેમ આવ્યો. તેના વિશે મારી પાસે કેટલીક શંકાઓ હતી. જેઓ મારા મિત્રો ક્યારેય બન્યા નહોતા તેમની સાથે હુ કેવી રીતે કાર્ય કરી શકીશ. મને એ પણ શંકા હતી કે ભારત સરકારના કાનુન મંત્રી તરીકે જેમણે કાર્ય કર્યુ છે તેમણે તેમના હોદ્દાને અનુરુપ જ્ઞાન વડે તે પદને શોભાવ્યુ છે, તેવી રીતે હુ શોભાવી શકીશ કે નહી તેના વિશે મને શંકાઓ હતી. પરંતુ તમામ શંકાઓને છોડીને દેશના નિર્માણ મા મારો પણ સહયોગ હોવો જોઇએ તેમ વિચારીને મે પ્રધાનમંત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એક કેબિનેટ ના સભ્ય તરીકે અને કાનુન મંત્રી તરીકે મે કેવું કાર્ય કર્યુ છે તે નક્કી કરવાનું હુ બીજા ઉપર છોડી દઉં છુ.

- દિનેશ મકવાણા
વડોદરા તા ૨૧/૬/૨૦૧૭ સવારે ૭.૦૦

July 21, 2017

આંબેડકરવાદ એટલે આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ

By Vijay Jadav


હુ ધીમી પરંતુ મક્કમ ગતિએ વિચારધારા ઉપર ચાલનાર છુ.
બે પાસા વિચારવાના છે.
એક જાતિવાદ સામેની લડાઇ અને બીજી ગરીબો અને મજુરો ના શોષણ સામે ની લડાઇ.
તમે ગમે કેટલા આંદોલન કરી લો, અમીર વર્ગ અને ગરીબ વર્ગ તો રહેવાના રહેવાના અને રહેવાના જ.
બ્રાહ્મણ પણ ગરીબ હોય છે અને દલિત પણ ગરીબ હોય છે.
વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલ કામ મુજબ બ્રાહ્મણ ગમે તેટલો ગરીબ હશે તે અમીર ના ઘરે કોઇ પ્રસંગમાં જશે તો એને બીજા તમામ મહેમાન જેટલુ અથવા એનાથી પણ વધુ માન સન્માન મળશે.
જ્યારે દલિત એનુ કામ કરવા જશે તો તેને હંમેશા અપમાન અને તિરસ્કાર જ મળશે. આ #જાતિવાદ ને લીધે છે નહી કે અમીરી કે #ગરીબી ના લીધે.

બીજા અનગીનત કીસ્સાઓ છે જેમ કે બહેન માયાવતીએ 2007 માં મુકેશ અંબાણી કરતા પણ વધુ ટેક્સ ભર્યો હતો તેમ છતા અમીર તરીકે નુ બહુમાન ના મળતા ફક્ત દલિતોની નેતા બની ને રહી ગયા.
માંઝી મુખ્યમંત્રી હોવા છતા મંદિર માં ગયા બાદ મંદિર પરિસર નુ શુદ્ધીકરણ કરવામાં આવ્યુ હતુ.
બાબુ જગજીવન રામ પાસે એ સમયે 600 કરોડ ની પ્રોપર્ટી હતી તેમ છતા દલિત ના દલિત જ રહ્યા
શિવાજી ને રાજ્યાભિષેક કરવા વાળો ગરીબ બ્રાહ્મણ હોવા છતા તેણે તેના પગ ના અંગુઠાથી તીલક લગાવેલ..!
હમણા કાલે જ બનેલ રાસ્ટ્રપતિ દલિત રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવા લાગ્યા છે!

એટલે કે તમે દલિત તરીકે ગમે તેટલા અમીર અને સ્ટેટસ કે ગમેતેટલા પાવર વાળા બની જાવ તમે આખરે #દલિત જ રહેશો.. જાતિવાદ તમારો પીછો નહી છોડે,
એટલે આપણી આ લડાઇ જાતિવાદ સામે ની લડાઇ છે.
જો કોઇ તમને કહેતુ હોય કે તમે ગરીબ છો એટલે તમારી સાથે જાતિવાદ રાખવામાં આવે છે,  તો તમને કોઇ મુર્ખ બનાવી રહ્યુ છે. હવે તમને એ કેમ મુર્ખ બનાવી રહ્યા છે?  એ તમારે જાતે તર્ક કરી શોધવાનુ છે.  હુ કહુ એનો પણ વિશ્વાસ કરવાનો નથી.

આપણે આઝાદી પહેલા જે સ્થિતિ નાં હતા તેના કરતા હાલ તો સારી સ્થિતિ માં પહોંચી ગયા છીએ. બાબાસાહેબે પહેલાથી જ કહ્યું છે કે ગામડા છોડી શહેરોમાં વસો, ત્યા તમારી સ્થિતિ સુધરશે અને જેટલા પણ વ્યક્તિઓ ગામડા છોડી શહેરોમાં વસ્યા છે એ તમામ ની સ્થિતિ ગામડાના દલિતો કરતા સારી જ છે.
અત્યારે RTE એક્ટ મુજબ સારી સ્કુલોમાં બાળકોને ભણાવો શહેરો તરફ તમામને લાવવા પ્રયત્નો કરો. તમારી તાકાત પણ વધશે. વંશ પરંપરાગત ધંધા છોડી બીજો વ્યવસાય, નોકરી પકડો તમે નહી તો તમારી આવનારી પેઢી માં ચોક્કસ પરિવર્તન આવશે.
આપણે છેલ્લા પાંચ હજાર વર્ષ થી ગુલામી માં જીવી રહ્યા છીએ તો તાત્કાલિક આખો સમાજ આગળ નહી આવી જાય, સમય તો જશે જ.
હુ માનુ છુ કે કારણ વગર આપણુ અમુલ્ય યુવાધન વેડફવાની જરુર નથી.
એનો મતલબ એ પણ નથી કે ગામડામાં ક્યાંય અત્યાચાર થાય તો આપણે બેસી રહેવાનુ.... ના કદાપી નહી .. ત્યારે પુરી તાકાતથી ઉતરી પડવાનુ, થાનગઢ, ઉનાકાંડ, વેમુલા
કાંડ, સબુત છે આપણે પાછા નથી પડતા.

યાદ રાખજો આઝાદી બાદ તમારી સ્થિતિ માં જે કોઇ ફેરફાર આવ્યો છે એ માત્ર અને માત્ર બાબાસાહેબ તથા બંધારણમાં તમને આપેલ હક્કો ના પ્રતાપે છે.  અને હજી સુધી પુર્ણ બંધારણ લાગુ નથી. કારણકે મનુવાદી તાકતો તે લાગુ થવા દેતા નથી.  તમારી લડાઇ તમારી ગરીબી માટે નથી. તમારી લડાઇ તમારા આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ છે.
ગરીબો દરેક સમાજ, દરેક ધર્મમાં,  દરેક દેશમાં છે. ગરીબી હટાવવા, ગરીબોને ઉપર લાવવા સરકાર ની ઘણી સ્કીમો ચાલે છે. તેમના શોષણ અને અન્યાય સામે કાયદા મજબુત બનાવાય એવુ ઇચ્છીએ.

બાબાસાહેબે આપેલ અમુલ્ય સુચન ને સમજવા પ્રયત્ન કરીએ.

#શિક્ષિત બનો,  ગામડામાંથી બહાર આવી જશો.
બહાર આવી #સંઘઠીત થાવો.. જે શહેરોમાં ધીરે ધીરે દેખાઇ રહ્યુ છે ..
ત્યાર બાદ શોષણ સામે #સંઘર્ષ કરો.
તમારી જીત તમારી સામે જ હશે.

#વિજય_જાદવ

#જય_ભીમ

વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ




આધ્યાત્મિકતાની ચરમસીમા પામી સાક્ષાત્કાર કરી લીધો હોય અને બ્રહ્મ પરબ્રહ્મને ધોળી પી નાખ્યો હોય એવો દેખાડો કરતા પ.પુ. ધ.ધુ. (પ.પુ.-પરમ પુજ્ય, ધ.ધુ.-ધર્મ ધુરંધર) આવનારી સદીમાં ભારત વિશ્વગુરુ બની દુનિયાને નવી રાહ ચિંધશે એવી આગાહીઓ તેમનાં પ્રવચનોમાં અનેકવાર કરતા જોવા મળે છે. આ લોકો ભારત વિશ્વગુરુ બનશે તેવુ સખત ભાર પુર્વક કહે છે.
એ પરિવર્તન ચોક્કસ આવકાર દાયક છે પણ તે જોવાનો અવસર પ્રાપ્ત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. આપણે હાજર હોઈએ પણ ખરા અને ન પણ હોઈએ..
વિશ્વગુરુ આ શબ્દ સાંભળવામાં જબરો પ્રભાવશાળી લાગે છે. પરંતું આ સાડા ચાર અક્ષરોમાં ક્યાંકને ક્યાંક અબાધિત સત્તા ભોગવવાની લાલસા અને જગત જમાદારી કરવાની પ્રબળ ઝંખના ગર્ભિત રીતે છુપાયેલી હોવાનુ મને સદા લાગ્યુ છે.
જે પણ હોય મારા મતે વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ ભ્રમિત કરવા રચવામાં આવેલ હોય તેવું લાગે. રણમાં દેખાતા મૃગજળ જેવો...
બાકી આવી આગાહીઓ ક્યા આધાર પર કરવામાં આવે તે સમજાતુ નથી.
જે દેશમાં હજી સુધી કોઈ ક્રાન્તિકારી શોધ કે સંશોધન ન થઈ શક્યું હોય....,
દેશના વિજ્ઞાનીઓ અને બુધ્ધિજીવીઓ પોતાની મૌલિકતા નિખારવા વિદેશની વાટ પકડતા હોય...,
વરસોથી દેશમાં ધર કરી ગયેલ ગરીબી, ભુખમરો, ભ્રષ્ટાચાર અને જાતિવાદ મિટાવી ન શકાયો હોય...
જ્યાં લાયબ્રેરીઓ અને લેબોરેટરીઓ કરતા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા એજન્ટોના પ્રવચનોમાં વધુ ભીડ ઉમટતી હોય....
લોકોને વિજ્ઞાન કરતા ચમત્કારોમાં વધુ શ્રધ્ધા હોય....
ધમઁએ ડરાવીને પૈસા ખંખેરવાની ચાલાકી બની ગયો હોય...
આવા માહોલમાં વિશ્વગુરુ બનીને આપણે કેવી રાહ ચિંધવાના...???
આ વિશ્વગુરુનો ખ્યાલ એ ધર્મ અને આધ્યાત્મિકતાના નામે લોકોને સતત ઘેનમાં રાખવા અપાતો ઓવરડોઝ છે..Nothing else...
જિગર શ્યામલનનાં જયભીમ.....................

બાબા સાહેબની વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!



બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!

એક વાત આનંદની તો છે કે બાબા સાહેબનું નામ અને જય ભીમનો નારો પહેલા કરતા વધુ સાંભળવા મળે છે. આ પાછળ સૌથી મોટો શ્રેય શિક્ષણને જ આપવો રહ્યો. પહેલા શિક્ષણનું પ્રમાણ નહીવત હતુ એટલે લોકોને બાબા સાહેબ આંબેડકર વિશે ઝાઝી સમજ ન હતી. આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યુ છે, એના પરિણામ સ્વરૂપ બાબા સાહેબના પુસ્તકો, તેમના ભાષણો લોકો વાંચતા થયા છે. બાબા સાહેબ કોણ હતા...?? અને તેમણે શું પ્રદાન કયુઁ..??? એ આજે દરેક સમજી શકે છે. 
સમાજમાં ભીમ ચેતના જગાડવામાં બામસેફ, એસ.એસ.ડી., ભારત મુક્તિ મોરચા, મુળ નિવાસી સંઘ તેમજ બીજા અનેક સંગઠનોએ ક્યાંક એકલ દોકલ માણસે પોતાની રીતે સરસ કામગીરી બજાવી છે. 
દરેકે પોતાના પુરતા પ્રયાસ કયાઁ પરંતુ હજી આપણાં પ્રયાસોમાં ક્યાંક કચાશ રહી હોય તેવું લાગ્યા કરે કારણ આપણે આંબેડકરવાદી બન્યા પણ અડધાને અધુરા..!!!
બાબા સાહેબની વિચારધારા સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારાની વિચારધારા છે. આ વિચારધારા સ્વાભિમાનની વિચારધારા છે, અભિમાનની નહી..!!
આપણે બાબા સાહેબની વિચારધારા માનતા હોઈએ, તેની પર અનુસરણ કરતા હોઈએ એ બહુ સારી બાબત છે પણ આપણી આ વિચારધારા આપણાં ખુદના આચરણ માટે હોવી જોઈયે અને અડધુ પડધુ નહી પણ સંપુણઁ આચરણ હોવું જોઈયે જેથી ખુદને આત્મ સંતોષ થાય. કોઈ બીજા કે ત્રીજા આગળ દેખાડો કરવા કે પ્રદશઁન કરવા તો હરગીજ નહી.
તમે આંબેડકરવાદી છો એનો પહેલો અહેસાસ તમને પોતાને થવો જોઈયે.., બાદ બીજા લોકોને અહેસાસ થાય એ જરૂરી છે.. પણ તમે જ આંબેડકરવાદી છો એવું સતત કરવામાં આવતુ પ્રદશઁન કે અતિરેકપણું યોગ્ય નથી. 
બાબા સાહેબના કારણે આપણને કેટલાક અધિકારો મળ્યા. આજની આપણી પરિસ્થિતી મહદઅંશે બાબા સાહેબના સંધષઁને પરિણામે જ છે. 
હું આંબેડકરવાદી છું.... આમાં આપણો આત્મવિશ્વાસ પ્રગટ થાય છે. પરંતું હું જ આંબેડકરવાદી છું એમાં આપણું મિથ્યાભિમાન પ્રગટ થાય છે. 
મિત્રો.. આત્મ વિશ્વાસ અને અભિમાન વચ્ચે પાતળો જ ફેર છે. દરેક આત્મવિશ્વાસુ અભિમાની હોય જ એની મને બહુ ખબર નથી પરંતુ દરેક અભિમાનીમાં આત્મવિશ્વાસ નહી જ હોય એ વાત હું ગેરંટીથી કહી શકું.
કોઈના આંબેડકરવાદી હોવું કે ન હોવું એ વ્યક્તિની પોતાની પસંદગીની બાબત છે. એ પોતાની રીતે સ્વતંત્ર છે. એવી જ રીતે કોઈના બૌધ્ધ હોવું કે ન હોવું એ પણ તેની પોતાની પસંદગીની બાબત છે.
આપણું કામ એક જ હોવું જોઈયે 
  1. લોકોને ઈતિહાસથી વાકેફ કરવા.
  2. લોકોને બહુજન સમાજના મહાપુરૂષોના કાયોઁ, વિચારોની માહિતી આપવી.
  3. લોકો સમક્ષ બાબા સાહેબના વિચારો મુકવા.
  4. લોકોને બાબા સાહેબના જીવન, સંધષઁથી અવગત કરવા.
  5. બાબા સાહેબના વિચારોને લોકો સમક્ષ રજુ કરવા.
  6. અંધશ્રધ્ધા, ખોટા રિવાજ વગેરે બાબતે તાકિઁક વિચારસરણીથી સમજણ આપવી.
બસ આટલુ કયાઁ પછી આપણે લોકોને તેમની રીતે વિચારવા, મનન કરવા છોડી દેવા. લોકોને શું કરવુ એનો નિણઁય એમને જાતે જ લેવા દો.., કોઈને શું કરવુ એ આપણે નક્કી કરવાવાળા કોણ..??
આપણે માત્ર લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જોઈયે. 
કારણ જ્યાં સુધી તમારામાં વિશ્વાસ નહી બેસે ત્યાં સુધી તમારી કોઈ વાત માનશે નહી. એટલે પહેલા લોકોનો વિશ્વાસ જીતીએ...
આપણે એક વાત ખાસ યાદ રાખવી આપણે વારંવાર લોકોને આંબેડકરવાદી બનો..., મનુવાદને ત્યાગો,....., હિન્દુ ધમઁ ત્યાગો-બૌધ્ધિષ્ટ બનો જેવી અપિલો કરીએ છીએ પણ આપણી લાચારી કહો કે કરૂણતા આપણને આવી અપિલ કરવા બાબા સાહેબ જેવી વિશ્વ વિભૂતિની દુહાઈઓ દેવી પડી રહી છે. આ આપણાં માટે તો એક પ્રકારની દયાજનક અવસ્થા થઈ કહેવાય. 
જો વરસો લગી આપણે બાબા સાહેબની વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હોય.. અને તેમાં જોઈયે તેટલી સફળતા ન મળતી હોય તો આપણે ખુદને વિચારવું જોઈયે... આપણે ક્યાંક કોઈ ભુલતો નથી કરી રહ્યાને.??
આપણે જે સંદેશ ફેલાવવા મથીએ છીએ તે યોગ્ય રીતે સામા છેડે પહોંચી રહ્યો છે કે નહી..??? આપણને ધારી સફળતા નથી મળી રહી મતલબ ક્યાંક તો કોઈ ક્ષતિ છે જ.
બસ આ જ ક્ષતિ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ..... ક્ષતિ શોધવી જોઈયે......, ક્ષતિ સ્વિકારવી જોઈયે અને બની શકે તો તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈયે... અને ખાસ ફરી કામે લાગી જવુ જોઈયે...
- જિગર શ્યામલન- એક નાસ્તિક આંબેડકરવાદી