May 09, 2017

સહાનુભૂતિયો થી શકોરું પણ નથી મળવાનું.. - પ્રશાંત લેઉવા

આ દિયોરનું શું રોજે રોજ સવાર પડે ને દલિત પર ત્યાં અત્યાચાર થયો ને ફલાણે માર માર્યો ને અહીં ખૂન થયું......

હવે તો ગુસ્સો સામે વાળાઓ પર નહીં આપણા વાળાઓ પર આવે છે... એક કિસ્સો છેલ્લાં બે વર્ષથી નથી જોયો સાંભળ્યો કે સામેવાળાઓ ને બરાબર નો ઠમઠોર્યો હોય બોચી ઝાલી પાટા માર્યા હોય... કયા મોંઢે તમે દલિત દલિત અત્યાચાર અત્યાચાર કરી ખોટી સહાનુભૂતિ ઉઘરાવી લો છો એજ નથી સમજાઈ રહ્યું..

તમારે ખુદ ને બડઘાટી બોલાવી પડશે. સહાનુભૂતિયો થી શકોરું પણ નથી મળવાનું.. ભોજિયોભાઈ પણ ભાવ નહીં પૂછે આમ જ રોતા રહેશો તો.. કંઈક થાય એટલે અમે દલિત એટલે આવું થયું.. પણ અલ્યા તને કોણે દલિત કહ્યો ?? તું તારી જાતે મંડયું છે. શુ રોવા બેઠયું છે તને જવાબ આપતા નથી આવડતું ??? 

ઉભા થાવ કંઈક કરો લ્યા.. ૧૫-૩૦ હજાર નો મોબાઈલ રાખવા વાળા ભીમ ના છોકરાવ ૫-૧૦ હજાર નું હથિયાર પણ રાખતા સીખો.. સુરક્ષા રેહશે.. આમ રોજે રોજ ના વોટ્સએપિયા દલિત અત્યાચારના મેસેજીસ થી ઉબ આવી ગયો છું...

અશાંતવાણી: દલિત અત્યાચારના કિસ્સા અને મેસેજીસ હું વાંચતો નથી...

-- પ્રશાંત લેઉવા "અશાંત"













Facebook Post :-

No comments:

Post a Comment