July 02, 2017

सबसे सुंदर हसीन कल्पना : आत्मा-परमात्मा भाग - 1


(पिछली 2 पोस्ट गीता के रहस्य के बारे में थी उनमें बात छिड़ी थी कि गीता पे वार क्यों ? और मैने जवाब दिया था कि जिस ग्रंथ ने देश को गुलाम बनाया है और देश को विज्ञान से दूर रखकर हाँसी के पात्र बनाया है ऐसे ग्रंथो की सच्चाई तो बाहर लानी ही पड़ेगी न ! उसी परिप्रेक्ष्य में यह पोस्ट है)

संसार में मनुष्य समस्त प्राणियों में ज्ञानवान माना जाता है और इस ज्ञानवान की सबसे सुन्दर हसीन कल्पना यदि कोई है तो केवल आत्मा-परमात्मा की कल्पना ! इस हसीन कल्पना ने संसार के समस्त बुद्धिवादियों को चक्कर में डाला है। इस आत्मा-परमात्मा का न तो मनोवैज्ञानिक दॄष्टिकोण से कोई अस्तित्व है, न ही विकासवाद की दॄष्टि से अस्तित्व है, न प्राकृतिक रूप से अस्तित्व है, न वैज्ञानिक दॄष्टिकोण से अस्तित्व है और न अनुभव की कसौटी पर इसका अस्तित्व है। यह तो सिर्फ आत्मा-परमात्मा के नाम पर हलवा-मांडा खाने वाले पुरोहितों, मोटी-मोटी रकम डकार कर कवि-कर्म करने वाले कवियों की मात्र हसीन कपोल कल्पना है। अनुभव की कसौटी पर परखने के बाद ही सबसे प्रथम तथागत बुद्ध ने इस आत्मा-परमात्मा पर सशक्त हथौड़ा बजाया था। भदन्त आनंद कौशल्यायन कहते है, "कहने वालों का कहना है की तथागत बुद्ध ने ईश्वर का कहीं खंडन नहीं किया, वे ईश्वर के बारे में केवल मौन रहे। इस कथन में इतनी सच्चाई जरूर है की पालि त्रिपिटक में ईश्वर का अधिक खंडन-मंडन नहीं है। उसका कारण यह है कि उस समय तक स्वयं ईश्वर को पूरी तरह खड़ा नहीं किया गया था। तथागत बुद्ध के लगभग तीन सौ वर्ष बाद तक ईश्वर की कल्पना उत्तरोत्तर विकसित और परिवर्धित होती रही है। पतंजलि के समय तक कहीं जाकर 'ईश्वर' का अर्थ, जो आजकल ग्रहण किया जाता है, जड़ीभूत हुआ। किन्तु इसका यह मतलब नहीं की पालि-वांग्मय में ईश्वर का खंडन है ही नहीं। अंगुत्तर निकाय में तथागत बुद्ध का यह वचन सुरक्षित है, "भिक्खुओ कुछ लोग कहते ही की यह सृष्टि ईश्वरकृत है, तब तो वह ईश्वर बड़ा निर्दयी होगा, जिसने ऐसी दुखपूर्ण सृष्टि की रचना की है।"
वे आगे आत्मा के बारे में कहते है,"जो बात ईश्वर के बारे में कही जाती है अथवा जो भ्रांति जानबुझ कर ईश्वर के बारे में फैलाई जाती है, वैसी ही भ्रांति आत्मा के बारे में भी फैलाई जाती है कि तथागत बुद्ध ने आत्मा का कहीं खंडन नहीं किया अथवा उन्होंने आत्मा के अस्तित्व को कहीं भी अस्वीकार नहीं किया। बुद्ध ने संसार भर के चिंतन जगत को जो सबसे बड़ी और अनमोल देन दी है, वह उनका अनात्मवाद ही है। उन्होंने आत्मवाद को 'सम्पूर्ण मूर्खता' या 'परिपूर्ण बाल-धर्म' कहा है।
ईश्वर तथा आत्मा के लिए बौद्ध धम्म में कोई स्थान न होना कुछ लोगों की दृष्टि में बौद्ध धर्म की कमी है। यह ऐसा ही है कि जैसे कोई कहे कि किसी भी स्वतंत्र आदमी के हाथों में हथकड़ी और पैरों में बेड़ी न होना उसकी कमी है।"

डॉ. आम्बेडकर का कथन है, "तथागत की दृष्टि में ईश्वर विश्वास बड़ी खतरनाक बात थी, क्योंकि ईश्वर विश्वास ही प्रार्थना और पूजा की सामर्थ्य में विश्वास का उत्पादक है और प्रार्थना कराने की जरूरत ने ही पंडा-पुरोहित को जन्म दिया और पुरोहित ही वह शरारती दिमाग था जिसने इतने अंधविश्वासों को जन्म दिया और सम्यक दृष्टि के मार्ग को अवरुद्ध कर दिया।"
बाबासाहेब प्रश्न करते हुए कहते है कि- "क्या तथागत बुद्ध आत्मा में विश्वास रखते थे ? नहीं, एकदम नहीं। आत्मा के संबंध में उनका 'अनात्मवाद' कहलाता है। यदि एक अशरीरी आत्मा को स्वीकार कर भी लिया जाय, तो उसके संबंध में बहुत से प्रश्न पैदा होते है। आत्मा क्या है ? आत्मा का आगमन कहाँ से हुआ ? शरीर के मरने पर इसका क्या होता है ? शरीर के न रहने पर यह परलोक में कैसे रहता है ? वहां यह कब तक रहता है ? जो लोग आत्मा के अस्तित्व के सिद्धांत के समर्थक थे, तथागत बुद्ध ने उनसे ऐसे प्रश्नों का उत्तर चाहा था।"
वैदिक साहित्य में कहीं आत्मा को 'अंगूठे' के समान, तो कहीं चावल के दाने के समान माना गया है। उपनिषदों ने एक निश्चित भ्रांति को पाला, उसका प्रचार कर भोले-भाले भारतीयों को गुमराह किया। इसका प्रभाव भगवद्गीता पर भी पड़ा है। गीता ने आत्मा-परमात्मा का प्रचार कर भारतीयों को अंधेरे में धकेला है।

(गीता और दूसरे धर्म ग्रंथो ने भारत की गुलामी में कैसे भूमिका निभाई है वह जानने और आत्मा-परमात्मा को जानने आगे पढ़ते रहिएगा... पढ़ेगा इंडिया...तभी तो आगे बढ़ेगा इंडिया...) भाग-2 जल्द ही आएगा...

संदर्भ:
1. तथागत का शाश्वत संदेश - भदंत आनंद कौशल्यायन
2. बुद्ध और उनका धम्म - डॉ. बी. आर. आम्बेडकर
3. गीता की शव परीक्षा - डॉ. सुरेन्द्र अज्ञात
4. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत

Facebook Post:-

July 01, 2017

હિંદુઓ દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર પ્રાણીસંગ્રાલય ના પ્રચાર જેવું છે : ડૉ આંબેડકર

By Rushang Borisa



મારી છેલ્લા મહિનાની હિન્દૂ ધર્મ અને આર્ય-સંસ્કૃતિ ઉપરની કેટલીક પોસ્ટ્સથી ઘણા સભ્યોની લાગણી દુભાયી હશે, આઘાત લાગ્યો હશે કે ચીડ ચડી હશે. નફરતખોર,અપપ્રચારક(?) કે 'પૂર્વગ્રહ'વાસી વગેરે વિશેષણો ના કરાયેલ કમેન્ટમાં પણ વંચાઈ જાય.પરંતુ નક્કર તથ્યો સાથેની પોસ્ટ્સમાં તેઓ ખાસ બચાવ કરી શકે નહીં.

હવે આ મુદ્દે થોડા વિશ્લેષણથી વાત કરીયે...

Behind curtains...

પ્રચારમાધ્યમો જે રીતે હિન્દૂ સંસ્કૃતિના નામે બહુજનોનું ગર્ભિત શોષણ કરી જે-તે સંસ્કૃતિના બ્રાહ્મણીકરણના ધંધે લાગ્યા છે તે વિષય ખરેખર ગંભીર છે. આઝાદી બાદ દેશનું સઘળું તંત્ર બ્રાહ્મણવાદીઓના હાથમાં રહ્યું. કહેવાતી સુફિયાણી વાતો કરી જે-તે સંસ્કૃતિના વખાણ વડે લોકોને બહેકાવી આખરે બ્રાહ્મણ-સંસ્કૃતિ જ શ્રેષ્ઠ છે તે ખોટો ખ્યાલ હિન્દુઓના મગજમાં ફરી સ્થાપિત કરવા લગભગ દરેક તંત્ર એડી-ચોટીનું જોર લગાવે છે.

ભારત દેશ વિવધતામાં એકતા ધરાવે છે તેવી ઉપરછલ્લી દલીલ જ્યાં-ત્યાં સાંભળવા મળે.પણ આ મુદ્દે હિન્દુઓની માનસિકતામાં ઝાંખીયે તો નરી ઉપેક્ષા અને ઈર્ષા દેખવા મળે.સોસીયલ મીડિયામાં રખડતા મેસેજીસ-જોક્સ કે આપસી વાતચીતમાં આપણે બીજા પ્રાંત અને પારકી સંસ્કૃતિની મજાક ઉડાવતા રહીયે છીએ.યાદ છે જયારે કોલેજના પ્રોજેક્ટમાં એક કાઠિયાવાડી ક્લાસમેટ અંગ્રેજીમાં સ્પીચ આપતો હતો ત્યારે અંદરો-અંદર બધા હસતા.જો કોઈ મુસ્લિમ ક્લાસમેટ રમઝાન દરમ્યાન પોતાના પરંપરાગત ડ્રેસમાં કલાસીસ આવે તો હિન્દૂ બહુમતી ધરાવતા અમારા વર્ગના મગજમાં જાણે કોઈ એલિયન આવ્યો હોય તેવો ભાવ આવતો.તાજેતરમાં દક્ષિણ ભારતના વ્યવહારમાં "હિન્દી" ભાષા થોપવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર વડે કરવામાં આવ્યો.હમણાં જ દિલ્લીના એક ક્લબમાં મેઘાલયના મહિલાને બહાર નીકાળવામાં આવ્યા-કારણ તેમની પ્રાંતીય વેશભૂષા! આ એ જ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જ્યાં પારકી સંકૃતિના પહેરવેશ (લૂંગી), ભાષા (મલયાલમ-તેલુગુ) ,રહેણી-કરણી (આદિવાસી) , દેખાવ (આસામ) વેગેરે ને લઈને સામાન્ય ભારતીયો મશ્કરી કરતા હોય છે.

આ મશ્કરી દેખીતી રીતે લોકો સહજત થી લે છે; છતાં તેની પાછળનું પ્રેરકબળ "અણગમો" છે. અને તે અણગમા પાછળનું પ્રેરકબળ લોકોમાં ઊંડે સુધી સ્થપાયેલો "અલગાવવાદ" છે.મૂળ અલગાવવાદનો રોગ કોલોનાઈઝેશનમાં પરિણામે છે.અહીં, કોલોનાઈઝેશન એટલે જે-તે વસ્તુને પચાવી પાડવું. હવે, આ અલગાવવાદ પાછળનું કારણ આમ તો ભારતીયોની માનસિકતા જ છે પણ માનસિકતા માટે પણ પરંપરાગત શિક્ષા જવાબદાર હોય શકે.બીજી રીતે કહીયે તો બ્રાહ્મણવાદ તે પાછળનું એક મહત્વનું કારણ છે.વી મે ઈન્ક્લુડ ફોરેઈન ઇન્ટરેસ્ટ...પણ તે ઊંડે સુધી હજુ ઉતાર્યા નથી.

હિન્દૂ સંસ્કૃતિના નામે દેશના દરેક રાજ્યોને આવરી લેવા તે યોગ્ય નથી. દરેક પ્રાંત-સમૂહની પોતાની સ્વતંત્ર રીત-ભાત છે.સ્વદેશીની ભાવનાથી સંપ ના પ્રયાસોમાં એક પલ્લે બેસાડી તો શકાય...પણ વિવિધ સંસ્કૃતિમાં રહેલ મૂળભૂત તફાવતો દૂર ના થઇ શકે.પરસ્પરનો આદર-સન્માન ત્યારે જ શક્ય બને જો "પોતે શ્રેષ્ઠ છે" તે પાછળની અણગમાની છુપી ભાવના ના રહે. હવે, આ અણગમાના મૂળને નાથવા એકતાના પ્રચારો કરવા ખોટું તો નથી...પણ શું ખરેખર ધાર્યા પરિણામ મળે છે? જે રીતે આ દિશામાં કામ કરવામાં આવે છે માત્ર એક પ્રવાસી જયારે બીજા પ્રાંતોમાં ફરે અને મજા લે તે પૂરતું જ સીમિત છે.પરપ્રાંતીય લગ્નો ઈન્ટરનેટના જમાનામાં વધી રહ્યા છે, પણ તેમાં તો આખરી સ્ત્રીએ જ એડજસ્ટ થવાનું રહે.જો આપણે આપણા જ લોકોની ભાષા,પોશાક,વ્યવસાય,રીત-ભાત સહજ રીતે સ્વીકારી ના શકતા હોઈએ તો કેવી એકતા?

આંબેડકરે સરસ કહ્યું હતું કે જે રીતે હિંદુઓ ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર કરે છે તે પ્રાણીસંગ્રાલય(?) ના પ્રચાર જેવું છે. બંધિયાર રહેલ સંસ્કૃતિઓને "વિવિધતા માં એકતા" વડે જાગૃત ના કરી શકાય...તે માટે જે-તે પાંજરાના પ્રાણીઓએ ધર્મ-સંસ્કૃતિની વાહિયાત બેડીઓ માંથી મુક્ત બનવું પડે. સુપીરીયોરીટી કોમ્પ્લેક્સથી બહાર આવવું પડે. જે થઇ રહ્યું છે તે ધીમું ઝહેર છે, જે ધીમે ધીમે બ્રાહ્મણવાદના માધ્યમે લોકસંસ્કૃતિ ઉપર નિયંત્રણ મેળવી રહ્યું છે.બહુજન સંસ્કૃતિના દેવીઓ પાર્વતીના અવતારો હતા તેવો પ્રચાર કરી બ્રાહ્મણો વિકૃત કથાઓ વડે સાંસ્કૃતિક હત્યા કરી રહ્યા છે.ઈસાઈ મિશીનરીઓ પણ તે જ વાટે છે."વિવધતામાં એકતા"ની પાછળ જે તત્વો હિંદુઓ ઉપર નિયંત્રણ મેળવી રહ્યા છે તે લાંબે ગાળે દુષ્પરિણામો બતાવશે.

સંસ્કૃતિ ઉપર ઓત-પ્રોત થઇ મસીહા બનતા તત્વો પહેલા બંધારણને જાણે.જડ ધાર્મિક-સાંસ્કૃતિક વિચારો-રિવાજો "વિવધતામાં એકતા" ના માર્ગે બાધા છે. સંસ્કૃતિએ સમય પ્રમાણે પરિવર્તનશીલ બનવું રહ્યું.(ધર્મ તો સગવડ પ્રમાણે બને જ છે.)

અલગતાવાદ અને નફરતની ભાવના સેક્યુલરો નહીં, પણ ધર્મના ઠેકેદારો શીખવે છે.જો તમે માનતા હોવ કે હિન્દૂ ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિ અલગ અલગ છે તો .....હું તેમાં વધારો કરી શકું...(તમે પણ વધારો કરી શકો...)

- રુશાંગ બોરીસા

June 30, 2017

બંધારણવાળો બાબો ભાગ ૪




By Raju Solanki

બંધારણના ઘડવૈયા કોને કહેવાય? સંવિધાનસભામાં 207 સભ્યો હતા. કેમ એ બધાને બંધારણના ઘડવૈયાનું બિરુદ ના મળ્યું? કેટલાક સભ્યો તો વાંધા વચકા કાઢનારા, પાણીમાંથી પોરા કાઢનારા ને માથાના વાળના બે ભાગ (hair-splitting) કરનારા હતા. એકમાત્ર બાબાસાહેબ એવા હતા કે જેમના શિરે એમણે લખેલા બંધારણના મુસદ્દાના એક એક શબ્દનો બચાવ કરવાની જવાબદારી આવી પડી હતી, જે તેમણે બખૂબી નિભાવી હતી. આનું સૌથી સચોટ ઉદાહરણ તમને લઘુમતીઓના બંધારણીય અધિકારો અંગેની ચર્ચામાં જોવા મળશે. 
પહેલી મે, 1947ના રોજ સરદાર પટેલે “અનુચ્છેદ 18 – સાંસ્કૃિતક અને શૈક્ષણિક અધિકારો”નો ઠરાવ રજુ કર્યો હતો. આ ઠરાવનો વિરોધ ક. મા. મુનશી અને ત્યાગી જેવા સભ્યોએ કર્યો હતો. ઠરાવના બચાવમાં બાબાસાહેબે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે આજે હિન્દુત્વના હિંસક વંટોળમાં કેટલા પ્રસ્તુત છે તે તમે ખુદ નક્કી કરજો. બાબાસાહેબે કહેલું, 
“(મુનશી અને ત્યાગી જેવા સભ્યોની) આ દરખાસ્તના સમર્થનમાં એક જ કારણ છે, જે સમજી શકાય છે, કે લઘુમતીઓના અધિકારો સાપેક્ષ હોવા જોઇએ. એટલે કે પાકિસ્તાનની સંવિધાનસભા ત્યાંના લઘુમતીઓને (હિન્દુઓને) શું અધિકારો આપે છે તેની રાહ જોવી જોઇએ અને પછી હિન્દુસ્તાનમાં લઘુમતીઓને (મુસ્લિમોને) અધિકારો આપવાનું નક્કી કરવું જોઇએ. હવે, અધ્યક્ષ મહોદય, તમામ મતભેદો સાથે, આવા કોઇપણ વિચારનો મારે વિરોધ કરવો જ જોઇએ. લઘુમતીઓના અધિકારો નિરપેક્ષ હોવા જોઇએ. આ અધિકારો એવી કોઇપણ વિચારણાને અધીન ના હોવા જોઇએ કે બીજો પક્ષકાર (પાકિસ્તાન) તેના અધિકારક્ષેત્રમાં લઘુમતીઓ જોડે શું કરવા ઇચ્છશે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ વોલ્યૂમ ત્રણ, પેઇજ ૫૦૩)
- રાજુ સોલંકી


Facebook Post:-

બંધારણવાળો બાબો ભાગ ૩



By Raju Solanki

ડો. બાબાસાહેબ આંબેડકર મહાન હતા, પરંતુ એ કઈ ઘડી હતી જ્યારે એમની મહાનતાનો સમગ્ર દેશને પરિચય થયો? એ કયો પ્રસંગ હતો, જ્યારે બાબાસાહેબે એમની વિલક્ષણ વિદ્વતા, પારદર્શક પ્રતિબદ્ધતા અને અદમ્ય દેશભક્તિથી તે સમયના દેશનેતાઓના મન હરી લીધાં હતા? એમના દુશ્મન સમા કોંગ્રેસીઓને નતમસ્તક કરી દીધા હતાં?
17 ડિસેમ્બર, 1946નો એ દિવસ હતો. એ દિવસે બાબાસાહેબ સંવિધાનસભામાં ડો. એમ. આર. જયકરે મુકેલા પ્રસ્તાવ અંગે પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયા હતા. જયકરે જવાહરલાલ નેહરુએ રજુ કરેલા ઠરાવમાં સુધારો સૂચવ્યો હતો. મુસ્લિમ લીગ સંવિધાન સભાનો બહિષ્કાર કરી ચૂકી હતી. મુસ્લિમ લીગ બંધારણના ઘડતરની પ્રક્રિયામાં જોડાય નહીં ત્યાં સુધી ઠરાવ પસાર ના થાય તેવું જયકર સૂચવી રહ્યા હતા. 
બાબાસાહેબ જયકરના પ્રસ્તાવ અંગે બોલવા ઉભા થયા ત્યારે સંવિધાનસભામાં ઉપસ્થિત કોંગ્રેસીઓને એવી અપેક્ષા હતી કે ડો. આંબેડકર જયકરને સમર્થન આપવાની મેલી રમત રમશે અને એવું ધારીને ડો. આંબેડકરને ભોંય ભેગા કરવાનો મનસૂબો કોંગ્રેસીઓ હૈયામાં ધરીને બેઠા હતા. પરંતુ, સૌના આશ્ચર્ય વચ્ચે બાબાસાહેબે તેમના સમગ્ર જીવનના અર્ક સમું, તેમની પ્રતિભાને અનુરૂપ એવું ઓજસ્વી વક્તવ્ય આપ્યું કે સમગ્ર સંવિધાન સભાએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં હતાં. 
બાબાસાહેબના એ વક્તવ્ય વિષે હું તમને અહીં વિસ્તારપૂર્વક જણાવીશ, પરંતુ અત્યારે તો એટલું જ કહીશ કે એ ઘડીથી બંધારણના ઘડવૈયા તરીકેની બાબાસાહેબની ભૂમિકાની શરૂઆત થઈ હતી.
- રાજુ સોલંકી

Facebook Post:-

શહેરી જાતીવાદ : સમય સાથે જાતીવાદ સ્વરુપ બદલતો રહે છે

By Prashant Leuva

અમારા વિસ્તારમાં ત્રણ દુકાન છે. પહેલી દુકાન પટેલ ભાઈની, વચ્ચેની અમારી અને ત્રીજી બીજા એક પટેલ ભાઈની. ૧૫ વર્ષથી કોઈ જાતનો કશો ભેદભાવ નહિ, રોજ બેસવા ઊઠવાનું સાથે. ખરો કિસ્સો હવે થયો. ઘણા વર્ષો પછી મહેનત કરી મારા પપ્પાએ નવું સરસ ડુપ્લેક્ષ લીધું. સ્વાભાવિક રીતે બંને દુકાનદાર પડોશીઓ હરખાયા. સોસાયટી નવી બની હતી એટલે સોસાયટી તરફથી જમણવાર રાખવામાં આવ્યો. દરેક સભ્યોને જોઈએ એટલા પાસ આપવામાં આવ્યા. અમે પણ પાસ લઇ બંને દુકાનદાર પડોશીઓને આપ્યા. પહેલી દુકાન વાળા પાડોશીએ ફટાક કરતો પાસ લીધો અને કહ્યું અમે ચોક્કસ આવશું .ત્રીજી દુકાન વાળા તૈયાર ના થયા આવવા, કહે કે તમારામાં અમે ના આવીએ. મારું છટકયું, ઘણું બોલ્યો પપ્પાને કે શું લેવા આપવા પડે પાસ આમને ? આપણે પણ નહી જઈએ એમના ત્યાં પ્રસંગમાં. મેં પણ આ વાતનો જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી રાખ્યું હતું.
આ બધું પત્યાંને પંદર દિવસ થયા હશે. ત્રીજી દુકાન વાળા માસી આવ્યા એમની દુકાને. હું મારી દુકાને ઉભો હતો. મને કહે કે નવા ડુપ્લેક્ષની પાર્ટી ક્યારે ? કઈ હોટેલમાં જવું છે જમવા ?
મોકો મળી ગયો પછી મને, મેં કહ્યું ઘરે હોટલને પણ ટક્કર મારે એવી વાનગીઓ બનાવીએ, તમે તૈયાર થઇને આવો ફેમીલી. એમણે કહ્યું ના ઘરે તો ના આવીએ.
મેં કહ્યું અચ્છા એમ ? ઘરે આવવું હોય તો આવજો બાકી હોટેલ ફોટેલ માં કોઈ દિવસ નહિ...અને હા તમારા ઘરે અમે આવીશું એવી કોઈ ખોટી આશા ના રાખતાં હવે...ભૂલી જજો કે અમે આવીશું...
માસી ત્યારના હજુ ચુપ જ છે એ બાબતે....
આ પોસ્ટ લખાય છે ને ત્રણ દુકાન વાળા અમે જોડે બેઠા છીએ !!

- અશાંત