July 07, 2018

Who is backward?

By Raju Solanki  || Written on 26 May 2018


He who believes in caste-system is backward.
He who is proud of his caste is backward.
He who considers his caste higher than other caste is backward.
A Brahmin who considers his Janeu as a symbol of the superiority of his caste is backward.
Similarly, he who believes his caste lower than other caste is backward.
He who imitates so-called higher castes is backward.
I reject the theory of ‘sanskirtization’ mooted by M. N. Srinivas.
The process of emulating rituals and practices of upper caste is actually ‘backwardisation.’

July 04, 2018

पढीए स्वामी विवेकानंदने जातिवाद कर रहे ब्राह्मणो को क्या कहा

By Vishal Sonara || written on 27 March 2018


And to the Brahmins I say, "Vain is your pride of birth and ancestry. Shake it off. Brahminhood, according to your Shastras, you have no more now, because you have for so long lived under Mlechchha kings. If you at all believe in the words of your own ancestors, then go this very moment and make expiation by entering into the slow fire kindled by Tusha (husks), like that old Kumarila Bhatta, who with the purpose of ousting the Buddhists first became a disciple of the Buddhists and then defeating them in argument became the cause of death to many, and subsequently entered the Tushânala to expiate his sins. If you are not bold enough to do that, then admit your weakness and stretch forth a helping hand, and open the gates of knowledge to one and all, and give the downtrodden masses once more their just and legitimate rights and privileges."

- Swami Vivekananda (Complete Work of Swami Vivekananda, Vol 3, Chapter : THE RELIGION WE ARE BORN IN) 

Translation of the above para in Hindi Volume :
ब्राह्मणों से में कहना चाहता हूं कि तुम्हारा जन्मगत तथा वंशगत अभिमान मिथ्या है, उसे छोड़ दो. शास्त्रों के अनुसार तुम मे भी अब ब्राह्मणत्व शेष नही रह गया, क्योंकि तुम भी इतने दिनों से मलेच्छ राज्य (मुगल-अंग्रेज शासन) में रह रहे हो. यदी तुम लोगों को अपने पूर्वजों की कथा में विश्वास है तो जिस प्रकार प्राचीन कुमारील भट्ट ने बौद्धो के नरसंहार करने के अभिप्राय से पहले बौध्दो को शिष्यत्व ग्रहण किया पर अंत में उनकी हत्या के प्रायश्चित के लिए उन्होंने तुषाग्नी मे प्रवेश किया, उसी प्रकार तुम भी तुषाग्नी में प्रवेश करो. यदी ऐसा न कर सको तो अपनी दुर्बलता स्वीकार कर लो. और सभी के लिए ज्ञान का दरवाज़ा खोल दो और पददलित जनता को उनका उचित एवं प्रकृत अधिकार दे दो. 
- स्वामी विवेकानंद, ( विवेकानंद साहित्य, पंचम खंड 1973, पेज नं 348)

In this post, there is Not a single word of Mine.

स्वामी विवेकानंद और गौरक्षक दल

By Vishal Sonara || written on 28 March 2018


एक बार एक गौरक्षा से जुडी संस्था का एक प्रचारक स्वामी विवेकानंद से गौरक्षा के लिए दान लेने के लिए मीला. उन दोनो के संवाद के कुछ अंश :

विवेकानंद : मध्य भारत में एक भयानक अकाल पडा है. भारत सरकार ने नौ लाख भूखे लोगों की मौत का आंकडा दिया है। क्या आपकी संस्था ने अकाल के इस मुश्किल समय में पीडीत लोगों की मदद करने के लिए कुछ किया है?
गौ रक्षक : हम अकाल या अन्य संकटों के दौरान मदद नहीं करते हैं यह संस्था केवल गौ माता के संरक्षण के लिए स्थापित कि गई है.

विवेकानंद : अकाल के दौरान लाखों लोगों की मृत्यु हो गई है और बहोत से हमारे अपने ही भाई बहन मौत के समीप पहुंच गए है, क्या तुम ये नही सोचते की उनको इस आपदा मे खाना पहुंचाकर मदद करनी चाहिए??
गौ रक्षक : नहीं. ये अकाल मनुष्यो के कर्मो के कारण पडा है, उनके पाप के कारण पडा है. "जैसी करनी,वैसी भरनी" प्रकार की घटना है.
(ये सुनकर विवेकानंद को बहोत गुस्सा आया, पर गुस्से पर काबु कर के उन्होने कहा)

विवेकानंद : मुजे उन संस्था और संगठनो के लिए जरा सी भी संवेदना नही है जो अपने ही भाई बहनो को भुख से मरता देखे. ये संस्था पीडीतो को एक मुठ्ठी धान भी न दे रहें हो पर पशु पंखीओ को बचाने के लिए ढेर सारा खाना देने को तैयार हो. मुजे नही लगता कि ऐसी संस्थाओ से समाज का कुछ भला भी होता होगा.
यदि आप कर्म की यह दलील देते हैं कि मनुष्य अपने कर्म के कारण मर रहे हैं, तो वो एक स्थापीत तथ्य बन जाएगा कि इस दुनिया में किसी भी चीज़ के लिए प्रयास या संघर्ष करना बेकार है; और फिर तो आप के पशुओ को बचाने के काम का भी कोइ मतलब नही है.
और आप के कार्य के संदर्भ मे कहना चाहुंगा की ऐसा भी कह सकते है की गाय माता भी अपने कर्मो के कारण कसाई के पास मरने के लिए पहुंच रही है, और हमे भी इस कर्म के मामले मे कुछ नही करना चाहिए. 

गौरक्षक ने थोडी व्याकुलता से कहा : हां आप जो भी कह रहे है वो सच है पर शास्त्रों का कहना है कि गाय हमारी माता है.
विवेकानंद (मुस्कराते हुए) : हां , यह गाय हमारी माता है,वो मे समजता हु, गाय के अलावा और कौन ऐसे कुशल बच्चो को जन्म दे सकता है??

इतना कहकर स्वामी विवेकानंद ने उस गौरक्षक को पैसा देने से मना कर दिया और साथ मे ये भी कहा की "मै एक सन्यासी हु, मेरे पास आपको देने के लिए पैसे नही है पर अगर होते भी तो मै उन पैसो से मनुष्यो की सेवा करता . हमे मनुष्यो को सब से पहले बचाना है. सभी को खाना, शीक्षा और आध्यात्म मिलना ही चाहिए. इस के बाद अगर कुछ पैसे बचते है तो मे बाकी कि चीजो पर खर्च कर सकता हुं"

विवेकानंद के नाम पर हमे बहोत सी बाते जानने को मीलती है पर इस प्रकार की क्रांतिकारी बातो का प्रचार रुक सा गया है. और जो विवेकानंद को जानते भी नही ठीकसे वो विवेकानंद के अनुयायी होने की बात कर रहे है . ऐसे लोगो के लिए ये एक प्रयास था. 
- विशाल सोनारा

Ref.
Book :Talks with Swami Vivekananda 
Published by "Advaika Ashrama"

July 03, 2018

વળતરના ઢોકળાં અને દલિતની જિંદગીનું મૂલ્ય

By Raju Solanki  || 25 May 2018




સલમાનખાને ફુટપાથ પર સૂતેલા ગરીબોને કચડી મારેલા. એ ગરીબોનો ન્યાય પણ ના મળ્યો, વળતર પણ ના મળ્યું. સલમાને મરનારાના કુટુંબીજનોને રૂપિયા પાંચસો કરોડ વળતર પેટે ચૂકવવા એવો આદેશ અદાલતે આપ્યો હોત તો સલ્લુની ચરબી ઉતરી ગઈ હોત.

ખરેખર તો ન્યાયિક પ્રક્રિયામાં વળતરને સાંકળવાની જરૂર છે. વિકસિત દેશોમાં વળતર એટલે કે કમ્પેન્શેસનની બહુ મોટી અહેમિયત છે. એટલે જ સ્તો અમેરિકા-યુરોપની મલ્ટી નેશનલ દવા કંપનીઓ એમની ખતરનાક નવી દવાઓના અખતરા કરવા માટે ભારતને પ્રયોગભૂમિ બનાવે છે. ભારતમાં એથિક્સ કમિટી શું બલા છે એની જ કોઇને ખબર નથી. ભારતની અદાલતોને આવા કેસોમાં શું વળતર આપવું એનું જ ભાન નથી. ભારતમાં મનુષ્યની જિંદગીની કોઈ જ કિંમત નથી. આ જ કારણ છે કે યુરોપ-અમેરિકાના સંતાનો આણંદની ગરીબ માતાઓની કૂખે સરોગસીથી પેદા થાય છે. ભારતમાં ગરીબ માતાની કૂખ બટાકા-રીંગણાના ભાવથીય સસ્તી છે. અને એટલા માટે જ જે કાર્બાઇડના ઉત્પાદન પર અમેરિકામાં પ્રતિબંધ હતો તેની ફેક્ટરી ભોપાલમાં ખોલી શકાય છે, જેના ઝેરી ગેસથી એક જ રાતમાં માત્ર પાંચ મિનિટમાં પાંચ હજાર લોકો ઉંઘમાં જ મોતને શરણ થઈ જાય છે. કાર્બાઇડને ખબર હતી કે ભારતમાં જ્યારે મૃતકોના વળતરની વાત આવશે ત્યારે ચણા-મમારાના ભાવે વળતર ચૂકવવાનું છે.

એક સામાન્ય ભારતીયની જિંદગીનું કોઈ જ મૂલ્ય નથી. અને એમાં પણ દલિતની જિંદગીની શું કિંમત? દલિત એટલે ભાજી-મૂળા, મગતરું, મચ્છર. દલિત મરી જાય કે એની બહેન-દીકરી પર બળાત્કાર થાય તો આપી દો બે-પાંચ લાખ રૂપિયા. વાર્તા પૂરી. દલિતને ભાજી-મૂળ બનાવવાની પ્રક્રિયા કોંગ્રેસના રાજમાં શરૂ થઈ હતી, ભાજપના રાજમાં ચાલુ જ છે.

કેમ કે, દલિતોએ પોતે પોતાની કિંમત ઓછી આંકી છે. દલિત હત્યા પછી શોકસભામાં જાવ. શું થશે? વિપક્ષી રાજકારણીઓ હાથ જોડતા જોડતા આવે છે. ગુંજામાં બે-પાંચ લાખ લઈને આવે છે. જાહેરમાં પીડિત પરીવારને સહાયની જાહેરાત કરે છે. ફોટા પડે છે. પીડિતો બે હાથ જોડીને ઉભા રહે છે. તમે સત્તા પર હતા ત્યારે જેમના લોહી ચૂસી ચૂસીને તમે કરોડો રૂપિયા બનાવેલા, એ જ નાણાંના 0.00001 ટકો તમે દાનમાં આપીને મોટા દાતા બની ગયા. વિપક્ષના બે-ચાર ઢોકળાં. શાસકના બે-ચાર ઢોકળાં. દલિત રાજીનો રેડ. દલિતની કહાની પૂરી.

હવે તમને બે-પાંચ લાખનું વળતર સરકાર આપે છે, એ તમે ના લેવાની ધમકી આપો તો શું ફેર પડે છે? કેટલાક દોઢ ડાહ્યા પાછા એવું કહે છે કે અમે ક્રાઉડ ફન્ડથી ઉઘરાવીશું? શું કરવા ઉઘરાણા કરવાના? કોંગ્રેસ-ભાજપમાં ઓછામાં ઓછા સો દલિત નેતાઓ માત્ર ગુજરાતમાં એવા છે, જેમની પાસે સો-સો કરોડની સંપત્તિ છે. લઈ લો એમની પાસેથી. સરકાર પાસે એક કરોડ માંગો. ભાજપ-કોંગ્રેસ મળીને પણ એક કરોડ રૂપિયા આપી શકે છે. પાંચ હજાર વર્ષથી ભયાનક અસ્પૃશ્તાથી પીડાતા સમાજની વ્યક્તિનું આજે પણ એ જ કારણસર ખૂન થાય છે તો એની વિધવાને એક કરોડનું વળતર બિલકુલ ઉચિત છે. સરકાર સાવ મામૂલી વળતર આપે છે, એને ફગાવી દેવાની તમારી ધમકીનો કોઈ મતલબ નથી. તમે દુશ્મનના જ નિયમો પ્રમાણે રમો છો.

બાબાસાહેબે કહેલું કે માણસ સામાજિક રીતે મુક્ત ના હોય તો એને આર્થિક રીતે મુક્ત કરો. પૈસા બહુ મહત્વની બાબત છે. એટલે મારા વહાલા દલિતો, ભિખારીની જેમ ભલે જીવ્યા, ભિખારીની જેમ ભલે મર્યા, તમારા મરનારનું વળતર તો કરોડપતિને છાજે તેવું માંગો. તમારા કહેવાતા નેતાઓ ભિખારીની માનસિકતા ધરાવે છે. તમને ભિખારી જ બનાવશે. યાદ રાખજો.

દલિત મૃતકનું વળતર બમણું કરાવો, પાછુ આપવાની વાત ખોટી.


By Raju Solanki  || 24 May 2018




આજે ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના અહેવાલ પ્રમાણે રાજકોટના શાપર વિસ્તારમાં હત્યા કરાયેલા દલિત યુવાનના કુટુંબે વળતરના સરકારે આપેલા ચાર લાખ પાછા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એમને કેટલાક લોકોએ લેવડાવ્યો છે. કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે મૃતક વાણીયાનો કેસ અ ઉના-દમનના કેસની ઝડપી કાર્યવાહી ના થાય તો વળતર પાછું આપી દેવામાં આવશે. આ કયા પ્રકારની રાજનીતિ છે? કોઇપણ પીડિતનો પરિવાર અત્યારે લાગણીના આવેગમાં ઉશ્કેરાઈને આવી કોઇપણ વાત માની શકે છે, પરંતુ તેમને મળતા વળતર સાથે કાયદાકીય પ્રક્રિયાને શા માટે સાંકળવી જોઇએ? શું ભાજપની જગ્યાએ બીજો કોઈ પક્ષ સત્તા પર હોય તો ઝડપી પ્રક્રિયા થશે એની કોઈ ગેરન્ટી છે? ગુનેગારોને સજા એ તો ન્યાયિક પ્રક્રિયાની વ્યવસ્થા સાથે સકંળાયેલી બાબત છે. અને પીડિતને મળતું વળતર એનો અધિકાર છે. આ પૈસા તો પ્રજાના છે. રૂપાણી એમના ગજવામાંથી આપતા નથી. એવું હોય તો ભાજપની સરકાર દ્વારા ધારાસભ્યોને અપાતી તમામ સવલતો વિપક્ષી સભ્યો કઈ રીતે લઈ શકે? એ વખતે એ પૈસા પ્રજાના ગણીને મજેથી ગજવામાં મૂકી શકાતા હોય તો એક પીડિત પરિવારને આ રીતે ઉશ્કેરવો તદ્દન ગેરવાજબી છે. રાજકોટના દલિતોને વિનંતી કે પીડિત પરિવારને આ બાબતમાં સમજાવે. વળતર બમણું કે ત્રણગણું કરવાની વાત કરો. પાછું આપવાની નહીં.