October 16, 2017

ક્યાં છે જાગૃતિ?

By Raju Solanki  || 13 October 2017 at 15:30 




આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’એ દલિતો પર વધતા જતા અત્યાચાર પર સ્ટોરી કરી છે. એમાં એક તારણ એવું કાઢ્યું છે કે દલિતોમાં જાગૃતિ વધી હોવાથી અત્યાચારો વધી રહ્યા છે.
શું આ તર્ક સાચો છે?
શું મોટા સમઢીયાળાના બાલા બાપા જાગૃત થયા એટલે એમના પર લાઠીઓ વીંઝાઈ હતી?
ગુજરાતના કોઈ અંતરીયાળ ગામડામાં મરેલા ઢોર ખેંચતા પરીવારનો મોભી ‘જાગૃત’ થાય તો એ શું વિચારશે?
સૌથી પહેલા તો એ એવું વિચારશે કે મેં ભલે મરેલા ઢોર ખેંચવામાં મારું આયખું પૂરું કર્યું, પરંતુ મારા સંતાનો આ કામ હવે પછી કદી નહીં કરે.
આને કહેવાય જાગૃતિ.
જાગૃતિ એટલે સમજદારી.
આવી જાગૃતિ આવે એટલે એ માણસ એ ગામ છોડી દેશે, બીજું કોઈ કામ કરશે અને એના સંતાનોને ભણાવવા માટે પ્રયાસ કરશે.
એ માણસનો સમાજ પણ તો જ જાગૃત કહેવાય જો તે સમાજ એને વૈકલ્પિક આજીવિકા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
આવું કરવાના બદલે સમાજ મૂછો જ આમળ્યા કરશે મીડીયાને સ્ટોરી બનાવવામાં ચોક્કસ રસ છે.

October 07, 2017

अगर मै गलत हूं... तो फिर कौन सही..????

By Vishal Sonara || 07 Oct 2017 09:34 PM


गुजरात की बाहोश पुलिस ने मूंछ कांड की एक घटना को गलत साबित कर दिया है. और उस मे फरियाद  करने वाले 17 साल के लडके ने पुलिस के सामने कबुल कर लिया है कि ये सब उसने पब्लिसिटी के लिये किया है. पुलिस के काम की हम सराहना करते है. और इसी प्रकार की बाहोशी पिछले साल की  घटना उनाकांड , थानगढ (2012 मे) मे तीन बच्चो को पुलिस ने ही मार दिया था उस प्रकार के केसीस मे दिखायें ऐसी अरज है. 
वो तो छोड़िए पिछले हप्ते की हि घटना मे आणंद ज़िले के भादरणीया गांव मे गरबा देखने गये दलित लडके को पीट पीट कर मार देने वाली घटना मे भी उसने खुद अपने को पीटवाया था ऐसी बात तो नही है ना वह तो जरुर चेक करीयेगा. 

अब बात करते है उस घटना की जो मीडिया मे उछाला जा रहा है की मूंछ कांड पुरा गलत है. 

पुरी घटना इस प्रकार है जीसे गुजरात के जातिवादीयो का मूंछ कांड कहा गया है. 

25 सितंबर को गुजरात की राजघानी गांधीनगर के लिंबोदरा गांव में मूंछ रखने के मामले में एक दलित युवक की पिटाई कर दी गई.  उस दिन राजपूत समुदाय के कुछ सदस्यों ने पीयूष परमार (24) की कथित तौर पर पिटाई का आरोप लगाया था. 
इस के बाद मे पुरे देश मे से दलित समाज के युवाओ को इस व्यवस्था पर गुस्सा दिख रहा था.  इस घटना के बाद एक और घटना को मीडिया ने आश्चर्यजनक महत्व दिया और पहले वाली घटना को थोडा डीम कर के इस दुसरी घटना जो की पहली घटना के ठीक चार दिन बाद 29 तारिख को घटी थी. 
मीडिया मे आने लगा दलित को ब्लेड से मारा, चाकु मार दिया , बेरहमी से ये किया वो किया न जाने क्या क्या प्लोट लोगो के सामने रखे गये. 

दलितो को ये सब सुन सुन कर ज्यादा तकलिफ हो रही थी. 
इसी बिच दशहरा (30 अक्टुबर) पर रात मे गरबा देखने गये एक युवक कि पीट पीट कर हत्या कर दि गई ऐसी खबरे आने लगी. 

ये तीनों घटना ने मीडिया और अलग अलग माध्यमो के जरिये पुरे देश के दलित समाज के दिमाग मे एक तुफान खड़ा कर दिया था.  गुजरात का दलित समाज अपने आप को असुरक्षीत महसुस करने लगा. इसी असुरक्षा की भावना मे सारे देश के दलित गुजरात के दलितो के साथ आकर खडे रहने लगे. सोशल मीडिया से एक दुसरे को जोडने लगे और एक बडा आंदोलन खडा हो गया जिसे तीन हैशटेग के जरिये ट्वीटर पर हम देख सकते है #RightToMoustache #MrDalit और #DalitWithMustache .

इस प्रकार दलितो के पास तीन रोशपुर्ण घटनाए थी जो उन के जहन मे कांटे की तरह चुभती थी. और कई घटनाए और भी है पर वो भुतकालीन है. 
- 25 सितंबर को मूंछो के लीए पियुश परमार को पीटने वाली घटना
- 29 सितंबर की ब्लेड / छुरी वाली घटना
- दशहरा (30 अक्टुबर) मे गरबा देखने गये युवक को मार डालने की घटना

पुरानी घटनाएं भी जब तक न्याय न मीले भुली तो नही ही जा सकती. और इस देश का भी अजीब रेकॉर्ड है दलितो की ज्यादातर घटनाओ मे न्याय मीलता ही नही है. चाहे हत्याकांड ही क्यों न हो. 

पर हाल मे इन तीन घटनाओ के कारण गुस्सा सोशल मीडिया पर केंपेईन के माध्यम से शांतीपुर्ण तरीके से हो रहा था. और ये विरोध मे देश विदेश मे से भी कई लोग जुडे थे. बहोत आंतर राष्ट्रीय न्युस चैनलो ने भी इन सभी घटनाओ की बहोत नींदा की. 

अब पुलिस का काम देखते है. 
तीन मे से एक उपर की और एक नीचे की इस प्रकार दो घटनाओ पर मौन रख कर काम कीया उन्होने, बाहोश है तो बाहोशी से ही काम किया होगा ये मान लेते है. पर बीच वाली घटना की जीस पर (पुलीस की ही तरह) बाहोश मीडिया ने भी बहोत डराया था दलितो को इस घटना का केस सोल्व कर दिया...!!!!

इस घटना का संज्ञान देश मे तो चलो ठीक है विदेशो मे भी लीया जाना चाहिये. इतने कम समय मे इतनी बडी कामीयाबी. 29 सितंबर की उस घटना को पुलीस ने गलस साबीत कर के कुछेक रेकोर्ड तो तोड ही दिये होगे. अब थानगढ, आणंद, उना और भी कई घटनाओ की बारी हो ऐसी हम सब की मांग है. 


पुलीस के इस काम को ट्रीब्युट देती हुई भारत देश की जातिवादि मीडिया ने शुरु कर दिया मूंछ कांड जुठ था, फरेब था,  सुर्खीओ मे आने के लिए किया गया था. पर मीडिया को इस घटना को छोड कर बाकी की दोनो घटना भी जुठी लगने लगी है क्या?? उस पर तो कवरेज मानो कही से ब्लोक ही कर दिया हो. सब जगह से जातिवादी सोच वाले लोगो को भी अब सवाल उठाने का मौका मील गया. उन के सवाल कुछ अंश तक वाजीब भी है ये हम मानते है. पर वो सीर्फ और सीर्फ दुसरी घटना तक ही सीमीत है.   25 सितंबर और दशहरा वाली घटना को भी मानो वह गलत ही मान रही है इस प्रकार की जातिवादी रीपोर्टींग कर रहे है कुछ लोग. 

मीडिया तो छोडो जातिवादी लोगों को मानो कुछ बडा खजाना हाथ आ गया हो इस प्रकार सोशल मीडिया पर लग गये है.  एक केस गलत साबीत हुआ तो सब गलत ये मान नेऔर मनवाने लगे, अरे वो गरबा देखने गए युवक का  खुन हो गया वो भी गलत कैसे साबीत करोगे मनोरोगीओ??? जातीवाद के चलते और दलितो के प्रती ध्रुणा मन मे होते हुए लोग इस प्रकार कि बाते कर रहे है. इस को भीमराव आंबेड्कर ने मनोरोग कहा है. और ये देश इस प्रकार के मनोरोगीओ से भरा पडा है. और ये इस प्रकार का रोग है की समजाने या हकिकत को सामने लाने से नही मीटेगा. इस के लीए भीमराव आंबेडकर जैसे मनोवैग्यानीक की जरुरत है इन लोगो को. 

दलित युवाओ ने इस मूंछ केंपेईन को चलाया और मे भी इस का हिस्सा रहा हु. तीन मे से एक घटना के चलते मे अपनी गलती ना होते हुए भी स्वीकार कर रहा हु की मै गलत हु. पर अब हमे ये भी जवाब चाहीये " तो फिर कौन सही है" ???? जातिवाद कर रहे हैं वो?  या मूंछ से विरोध कर रहे हैं वो?? 

जो लोग समजदार है उनके लिए ये बात है बाकी के लोगो को उनकी मानसीकता मुबारक हो. 

આ અત્યાચારનું શું?

By Raju Solanki  || 07 October 2017 


અમદાવાદના રાજપુર ગોમતીપુર વિસ્તારમાં મગન કુંભારની ચાલી, ખાડાવાળી ચાલી અને કુંડાવાળી ચાલી કે પછી નરોડા રોડ પર અશોક મિલની ચાલી અને કલેક્ટરની ચાલી કે પછી અસારવામાં અનાજ ગોડાઉનના છાપરા અને કડીયાની ચાલી કે પછી ઓઢવમાં સોનીની ચાલી અને જનતાનગર કે પછી વાડજમાં રામાપીરનો ટેકરો અને ગાંધીનગરનો ટેકરો, આવી હજારો ચાલીઓ અને સેંકડો ટેકરાઓમાં દર વર્ષે જન્મતા છ લાખ બાળકોના લલાટે લખાયેલું છે કે તમારે મોટા થઇને તમારા ઘરની બાજુની પેલી ગંધાતી સરકારી સ્કુલોમાં ભણવાનું છે,
જ્યાં તમારે તમારી જિંદગીના બહુમૂલ્ય વર્ષો રીતસર વેડફવાના છે,
જ્યાં કહેવાતા ભણતર પછી તમે ઢબૂ પૈસાના ઢ થઇને બહાર નીકળવાના છો અને માંડ માંડ આઠમુ-દસમુ ભણ્યા પછી તમે કમરતોડ ખાડા ખોદવામાં, સાયકલ લઇને કુરીયર સર્વિસમાં ઢસરડા કરવામાં, સીક્યુરિટીના કપડાં પહેરી મૉલમાં સીસોટીઓ મારવામા અને સલામો ઠોકવામાં તમારી બાકીની જિંદગી પૂરી કરવાના છો.
દર વર્ષે છ લાખ બાળકોના ભવિષ્યમાં ઓપરેશન બ્લેકબોર્ડના નામે અંધારુ કરનારાઓના કોઈ છાજિયા લેવાતા નથી. દર વર્ષે છ લાખ બાળકોને મૂછો વગરના નમાલા બનાવનારી શિક્ષણ વ્યવસ્થા સામે કોઈનું લોહી ઉકળતું નથી. શરમની વાત છે.
દર વર્ષે છ લાખ બાળકોના નાગરિક તરીકેના અધિકારો છીનવાઈ જાય એને તેને કોઈ અત્ચાચાર પણ ગણતું નથી. ક્યાંક કોકને ટપલી પડી કે કોકને કોઈ ગાળ બોલ્યું કે કોકને કોઈએ છરી મારી તો મીડીયામાં કાગારોળ થઈ જાય છે. અહીં છ લાખ બાળકોને જિંદગીભર ટપલીઓ ખાતા કરી દેનારા શિક્ષણ અંગે એક શબ્દ ઉચ્ચારાતો નથી.
કમાલ છે. તમારા બધાની સંવેદનશીલતા.
ધન્ય છે તમારી ચળવળો.
ધન્ય છે તમારા આંદોલનો.
ધન્ય છે તમારી કર્મશીલતા
ધન્ય છે તમારી નેતાગીરીઓ.

October 03, 2017

વિશ્વ હિન્દુ પરિષદનો દંભ છતો થયો

By Raju Solanki  || 1 October 2017 at 10:02 



“દલિતોનું બૌદ્ધ ધર્મ પરિવર્તન શું હિન્દુ ધર્મ માટે ખતરાની ઘંટી છે?” આ વિષય પર ગઈ કાલે વી ટીવી ચેનલ પર ડીબેટ રાખવામાં આવી હતી. સ્ટુડીયો પર પહોંચ્યા પછી મને ખબર પડી કે ડીબેટમાં માત્ર હું એકલો જ છું. વિશ્વ હિન્દુ પરિષદના મીડીયા મંત્રી હેમેન્દ્ર ત્રિવેદીએ ડીબેટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. કારણ પૂછતાં તેમણે જણાવેલું કે ચૂંટણી આવી રહી છે એટલે દલિતોના મુદ્દે કંઈ જ ના બોલવું એવો અમને આદેશ છે.
વડોદરામાં સો દલિતોએ સંકલ્પ ભૂમિ પર બૌદ્ધ ધર્મ પરિવર્તન કર્યું હતું. તેના સંદર્ભમા આ ડીબેટ રાખવામાં આવી હતી. ચેનલે મને જણાવેલું કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રવક્તા ડીબેટમાં જોડાવાનો છે. હવે વિશ્વ હિન્દુ પરિષદ પોતે જો ચૂંટણીના કારણે મહત્વના નીતિ વિષયક મુદ્દા પર બોલવા માંગતી ના હોય તો એનો સ્પષ્ટ અર્થ એવો થયો કે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરતી નિષ્ઠાવાન સંસ્થા નથી, બલકે ચૂંટણીની ગણતરીઓથી કામ કરતી સ્વાર્થી, લાલચુ અને દંભી લોકોની જમાત છે.
આ ડીબેટમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તાએ આવીને કહેવું જોઇતું હતું કે દલિતોએ બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નથી. અમે તેમના હિતોની રખેવાળી કરવા બેઠા છીએ. અથવા તો એમ કહી દેવાનું હતું કે અમે દલિતોને માત્ર હુલ્લડોમાં મુસલમાનો સામે લડાવવા પૂરતા જ હિન્દુ ગણીએ છીએ.

Watch Videos :-




આંદોલનો અને રાજનીતિ

By Raju Solanki  || 1 October 2017 at 15:55



એ કેટલું આઘાતજનક છે કે ગઈકાલે એક્સપ્રેસ અડ્ડામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઇએ એવો સવાલ જ ના પૂછ્યો કે છેલ્લા વીસ વર્ષથી તમારા પક્ષે ગુજરાતના શિક્ષણનું ખાનગીકરણ કરીને જે પત્તર ઠોકી છે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે છે કે કેમ? કે પછી રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના ઉમેદવારોની સીબીએસઈ ભણેલા રઇશજાદાઓ સામે સ્પર્ધામાં ટકવાની અક્ષમતાનો તમારી પાસે કોઈ હલ છે ખરો? કે પછી કિસાનોની આત્મહત્યાઓ અને યુવાનોની બેકારીને નાથવાનો કોઈ રોડ મેપ છે કે કેમ?
આવા સવાલો પૂછવાના બદલે રૂપાણીને ફલાણા આંદોલનખોરો વિષે ટીપ્પણી કરવા જણાવવામાં આવ્યું હતું. અને રૂપાણીએ કહ્યું કે એમણે ચૂંટણી લડવી જોઇએ, જેથી એમની લોકપ્રિયતાની કસોટી થાય. જાણે અમુક લોકોના રાજકારણમાં જોડાવાથી પ્રજાની કારમી સમસ્યાઓ હલ થઈ જવાની હોય.
એક્સપ્રેસ અડ્ડાની કાલની બેઠકમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો પણ હતા, પરંતુ તેમણે પણ રૂપાણીને ગુજરાતીઓની શૈક્ષણિક દુર્દશા અંગે કોઈ સવાલો ના કર્યા. કદાચ એમને અડ્ડાની બેઠકોનું છાપાની પહેલા પાની બોટમ સ્ટોરી સિવાય કશું જ વજુદ નથી તેની ખબર હશે.
શું મોદી કે શું રાહુલ કે શું રૂપાણી – રાજકારણમાં એમના આવવાથી લોકોને શું ફરક પડ્યો છે? કેટલાક ભક્તોને મંજીરા વગાડવાના મનગમતા પ્રતીકો મળ્યા છે કે બીજું કંઈ? તમારા નેતાઓની આખરી કસોટી તો એ જ છે કે લોકોના પ્રશ્નો ઉકેલવાની એમની કેટલી આવડત છે.
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, નોકરીના સવાલો ઉકેલવામાં મોદીની નિષ્ફળતાને કારણે છેલ્લા એક વર્ષમાં આંદોલનો આવ્યા છે. કોંગ્રેસે એનો લાભ ઉઠાવ્યો છે એટલું જ. રૂપાણીએ કોંગ્રેસને દોષ દેવો ના જોઇએ. પાંત્રીસ વર્ષ પહેલાં એમના પક્ષે પણ અનામત આંદોલનોનો ઉપયોગ કે દુરુપયોગ કોંગ્રેસવિરોધી લાગણીઓ ભડકાવવામાં કર્યો હતો. આંદોલનો તો લોકશાહીમાં પ્રજાને મુરખ બનાવવા થાય છે. સત્તા પર તો મુડીવાદીઓ, બિલ્ડરો, માલેતુજારો જ આવે છે. પક્ષ કોઈ પણ હોય.