July 31, 2017

તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો

By Jigar Shyamlan ||  31 July 2017 


ભગવાન-ઈશ્વર, અલ્લાહ-તાલા, જિસસ એ એક એવી પ્રોડક્ટ છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જેને અલગ અલગ ધમઁના લોકો જુદા જુદા નામથી ઓળખાવે છે.
દરેક ધમઁમાં અમુક લોકો વિવિધ ધમઁના ધમઁગુરુઓ, મૌલવીઓ અને ફાધરો બની આ પ્રોડક્ટનું માકેઁટીંગ કરી સેલ્સમેનો બની ગયા છે તે સૌને સવાલ છે તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો..?
શું ખરેખર હશે ભગવાન.. ?
પૃથ્વીની રચનાનું કારણ બ્રહ્માંડનો વિસ્ફોટ.
તો પરમાત્માના નામે શાને ખોટી ઠોકાઠોક.
શા કારણથી આપીએ છીએ આટલુ માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉલટાવી દીધા ગ્રંથો વાંચી નાખી પોથી. 
પાને પાનાં ફેંદયા તોય નથી શક્યો ગોતી.
કોણ મને સમજાવશે કોણ કરાવે ભાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ફોટાઓ બધા જોઇને મને ઘણાય પ્રશ્નો થાય. 
ફોટામાં છે એ ગોડ,ખુદા,ભગવાન કહેવાય. 
થાય ખુશ જો કરીએ બાંગ, પ્રેયર,આરતી ગાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
અલ્લાહ, જીસસ, કુષ્ણનો કેવો હશે દેખાવ.
જોવા માટે તમામ જગાએ નાખી જોયા પડાવ. 
મારા પ્રશ્નનું હજીય નથી થયું સમાધાન. 
શું ખરેખર હશે ભગવાન..?
કેવું હશે દિવ્ય રૂપ એમનું એની કરવા ખોજ. 
મંદિર, મસ્જિદ,ચર્ચ, ગુરુદ્વારા ભટકું રોજ. 
કેવા હશે એ એનું હજીય મળ્યું નથી જ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
મંદિરે જઇ ફુલ, દૂધ, પ્રસાદીનો કરું અભિષેક. 
કોઇ સંજ્ઞા મળે માટે મૂર્તિને તાકી રહું અનિમેશ.
નથી આવતો કોઇ સ્વર ખુલા હોય છે મારા કાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગોતવા એને મસ્જિદમાં ગયો છું ઘણીયવાર.
ચાદર ચડાવી લોબાનના કર્યા ધૂપ અપાર.
ત્યાં પણ કોઇ હરકત એની આવી નથી ધ્યાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
શોધી કાઢવા મેં લગાવી ચર્ચમાં દૌડ.
કેન્ડલ સળગાવી તોય રીઝ્યો નહી ગોડ.
ત્યાં પણ નથી મળ્યું એનું કોઇ પ્રમાણ. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગુરુદ્વારામાં પણ મેં ચલાવી એની શોધ. 
એકવાર દર્શન દો એવો ખુબ કર્યો અનુરોધ.
અહીં પણ ન સમજાયુ એનુ કોઇ વિજ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ખરેખર અસ્તિત્વ હોય એનું તો આપો પ્રમાણ. 
એને રીઝવવા શા માટે આટલા બધા દબાણ.
કોઇ કરે કઠોર તપ કોઇ આપે મોટા દાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉકેલાતી નથી આ ગૂંચ ઉકેલું એમ ગૂંચવાય.
મને ચૂપ કરવા ધર્મોના ટોળા ભેગા થાય.
અસ્તિત્વ ન સ્વિકારે એને કેમ ન મળે સન્માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
- જિગર શ્યામલન 

श्री कोविन्द को देश के पहले दलित राष्ट्रपति और के आर नारायणन को ईसाई चित्रित करने का दुर्भावनापूर्ण प्रयास

By Vishal Sonara || 31 July 2017 at 15:05

भारतीय जनता पार्टी के सपोर्ट से बने भारत के वर्तमान राष्ट्रपती श्री रामनाथ कोविन्द को देश के प्रथम दलित राष्ट्रपती  दीखाने की चाह मे कुछ फेक न्युस साईट्स, मीडिया का कुछ तबक्का और सोशल मीडिया की कुछ टीम सक्रीय हो गई है और ऐसे मेसेज बना कर वोट्सप, फैसबुक ,ट्वीटर और साईट्स के माध्यम से इस गलत खबर को फैला रहे है. 
एक प्रोपेगेंडा वेबसाईट postcard.news ने बाकायदा लीख ही दीया "“Shocking! K.R. Narayanan was first Christian President, not Dalit President” बिना कुछ ज्यादा जाने बीना ऐसी हि खबरे फैलाई जाते है उस वेबसाईड पर. 
outlookindia.com ने भी अपनी वेबसाईट मे खबर लीखी है , उन्होने तो हेड्लाईन मे ही सनसनी फैला दी जो ईस प्रकार है "Was India's First Dalit President K.R. Narayanan Really A Christian?"
केरल की जनम टीवी  चेनल और जन्मभुमी दैनीक (दोनो RSS से संलग्न है) ने ईस खबर की रीपोर्टींग मे बताया की,  "के आर नारायणन अपनी मृत्यु के बाद ईसाई धर्म में परिवर्तित हो गए"  “K R Narayanan was converted into Christianity after his death"

बहोत सारी वेब पोर्टल और कुछेक न्युझ चेनल भी इस मुद्दे को लेकर वादविवाद मे पड गये है. फेसबुक और वोट्सप ये खबर फैलाने का एक बहोत हि सुलभ रास्ता बन चुका है.

के आर नारायण के नाम पर पहले भी ऐसी बाते की जा चुकी है
1997 मे जब उनको राष्ट्रपति बनाने की बात चली थी तब भी बहोत से हिंदुवादी नेता और संगठनो ने ऐसी हरकते की थी. विश्व हिंदु परीषद के नेता अशोक सींघल ने उनको राष्ट्रपती बनाने का विरोध करते हुई कहा था की वो दलित हिंदु सीर्फ कागज पर हि है, उनको राष्ट्रपती बनाना चर्च की साजीश है और उन्होने कभी दलितो के हक की आवाज नही उठाई नाही वो आंबेडकरवादी है और ना ही गांधीवादी. हैरानी की बात तो ये है की विश्व हिंदु परीषद भाजपा की सहयोगी रहि है भाजपा ने भी कांग्रेस के साथ मे रहते हुए के आर नारायण को एक दलित प्रत्याशी के स्वरुप मे समर्थन उस समय भी दीया था फीर भाजपा का ही सहयोगी दल ऐसी बाते कर रहा था. 
के.आर. नारायणन की धार्मीक आस्था और जाती को लेकर जो बहर उस वख्त थी और आज है दोनों ही  उनका अपमान और उनकी शख्शीयत पर दाग लगाने की कोशीष है और ये पुरे देश के लिए शर्मनाक है.

अब जरा रुख करते है वर्तमान कंट्रोवर्सी पर

सत्तापक्ष ने राष्ट्रपती के लीए दलित प्रत्याशी के रुप मे श्री रामनाथ कोविंद को आगे कीया था और सामने विपक्ष ने भी दलित कार्ड खेलकर हार नीश्चीत होते हुए भी मीरा कुमार को खडा कीया था. अब श्री रामनाथ कोविंद राष्ट्रपती बन चुके है पर पहले दलित राष्ट्रपती श्री के आर नारायण है ये बात सत्तापक्ष के आक्रमक समर्थको को पसंद नही है. श्री के आर नारायण को ईसाई चीत्रीत कर के भाजपा समर्थीत राष्ट्रपती को प्रथम दलित राष्ट्रपती साबीत करने की व्यर्थ कोशीष करते रहते है.
सोशल मीडिया पर एक सुव्यवस्थीत तरीके से और कुछेक वेब साईट पर दिल्ही स्थीत एक ईसाई कब्रस्थान मे श्री के आर नारायणन को दफनाया गया है ऐसा दीखा कर उनको ईसाई साबीत करने की साजिश हो रही है.

सच्चाई क्या है???

9 नवंबर, 2005 को नारायणन का निधन हो जाने के बाद, उनको 10 नवंबर को यमुना के तट पर पूरे सैन्य सम्मान और हिंदु रीत रीवाजो के साथ अग्नी दाह दीया गया था. नारायणन का अग्नीदाह उनके भतीजे एस रामचंद्रन ने कीया था. वो स्थल जवाहरलाल नहेरु के स्मारक शांतीवन और लाल बहादुर शाश्त्री के स्मारक विजय घाट के बिच मे स्थीत है. 

समाचार एजेंसी "न्युज 18" ने श्री के आर नारायणन की बेटियां अमृता नारायणन और चित्रा नारायणन से स्पष्टीकरण करने के लिए संपर्क किया, ताकि पता लगाया जा सके कि कब्रिस्तान में मृतक राष्ट्रपति की कब्र कैसे हो सकती है जबकी उनका अंतिम संस्कार हिंदु रीत रीवाजो से किया गया था. उनकी बेटियों ने न्यूज 18 को एक ईमेल उत्तर में कहा कि वह एक हिंदू और सभी धर्मों का सम्मान करते थे. ये हाल की जो कोन्ट्रोवर्सी है वह एक निजी मामला है और इस तरह का विवाद बेमाईने है.

उनकी बेटीओ ने खुद जो बात बताई ये हम आप को हिंदी मे ट्रासलेट कर के बताते है, "अंतिम संस्कार के बाद, उन की अस्थीओ को चार भागों में विभाजीत किया गया था. उसमे से एक भाग को हरिद्वार मे सबसे बड़ी बेटी द्वारा गंगा में विसर्जित कीया गया था. अस्थीओ के दूसरे भाग को उनकी छोटी बेटी के द्वारा केरल में ले जाया गया जहां राज्य सरकार ने केरल की एक पवित्र नदी भरतपुज्जा में उस का विसर्जन कीया. नारायणन के छोटे भाई के आर भास्करन, जो भाजपा के करीबी सहयोगी थे उन्होने अपने हाथो से अस्थीओ को हिंदू संस्कारों के अनुसार विसर्जीत क्या. अस्थीओ के तीसरे भाग को नारायणन के दिवंगत माता-पिता की अस्थीओ के साथ मिलाया गया था. और अंतीम भाग को उनकी विधवा उषा नारायणन, जो की ईसाई धर्म को मानती थी,उन के देहांत के बाद साथ दफनाने के लिए रखा गया था. 2008 में उनके अवसान होने पर, शेष अस्थीओ को पृथ्वीराज रोड कब्रिस्तान में उनकी इच्छा के अनुसार दफ्न किया गया था. यह पूरी तरह से निजी इच्छा थी और उसे इस तरह ही सम्मान किया जाना चाहिए. "

उनकी बेटीओ ने ये पुरा मामला एक बेमतलब की बात है ये साबीत कर दीया. फीर भी अगर कुछ लोग ऐसे प्रेरणादायी व्यक्तीत्व की छबी खराब करने का प्रयास कर रहे है तो लोगो को सचेत हो जाना जरुरी है. 
उन की मंशा सीर्फ ये हि है की  "हमारे वाला दलित आप के वाले दलित से ज्यादा दलित है" और कुछ नही.






जालियाँवाला बाग हत्याकांड की सच्चाई : जानना जरुरी है

By Vishal Sonara || 31 July 2017 at 14:48


आज एक पुराना विडीयो मैने देखा उस विडीयो का टाईटल कुछ इस प्रकार है "Real History of 'Jallianwala Bagh Kand' By Prof. Gurnam Singh Mukatsar, University of Panjab, Panjab"

विडीयो मे दीखाई गई बात :-
विडीयो मे पंजाब विश्वविद्यालय के प्रोफेसर गुरनाम सिंह ठोस सबूतों के हवाले से बताते हैं कि जालियाँवाला बाग में उन अछुत सिखों की सभा चल रही थीं जिन्हें स्वर्णमंदिर में घुसने नहीं दिया गया था जहाँ वे प्रथम विश्वयुद्ध 1918 में भाग लेने के बाद 1919 में सकुशल बच आये थे और  गुरु का शुक्रिया अदा करने दरबार साहब अमृतसर गये थे।
पर उनको जातीवाद के चलते अंदर जाने नही दीया गया, उन का अपमान कीया गया , उन को गालीया दी गई। इन सब बातो का विरोध करने के लीये वह लोग ईकठ्ठा हुए, जालियाँवाला बाग में उन की मीटींग रख्खी गई। और उस सभा मे जो गोलीया चली वो जथेदार अरुर सींग के कहने पर जनरल डायर ने चलवाई थी, जो की उन दीनो स्वर्णमंदिर के मैनेजर थे।  जब गोली चली हजारो लोग मर गये तब वो जनरल डायर को दरबार साहब ले जाया गया वहा जा कर उस का सम्मान कीया गया उस को सरोपा (robe of honour) दीया गया।  और ये बात जगदेव सींघ जस्सोवाल (Former congress MLA, Died Dec 2014) ने पार्लीयामेंट मे एक डीबेट मे नोट करवाई हुई है। इतनी बडी एन्फोर्मेशन हमारे लोगो को नही है। जालियाँवाला बाग हत्याकांड अछुत लोगो पर हुआ था और उन पर गोली उंची जाती के लोगो के कहने पर चलाई गई और उस की रुपरेखा बदल दी गई।
***

बहोत हैरानी की बात है की इतिहास से यह सब गायब है।

हमारे देश के इतिहास को जितना जातिवादी लोगो ने तोड़ मरोड़ कर पेश किया गया है शायद ही दुनिया के किसी और देश में किया गया हो, दरसल यह सब एक साजिश के तहत किया गया ताकि इस देश के मूल निवासी अपना सही इतिहास ना जान पाए।

जिस जलियावाला काण्ड को हम यह कह कर पढ़ते है की वहा पर देशभक्तो की कोई देश की आजादी के लिए मीटिंग हो रही थी दरअसल वहा पर देशभक्तों की तो ठीक है पर सुवर्ण मंदिर से जलील किए गए "अछूतों की मीटिंग" हो रही थी जो अपने उच्च जातीय भेदभाव के मुद्दों पर विचार करने के लिए इकट्ठे हुए थे।

जालियांवाला हत्याकांड के मुजरिम जनरल ड़ायर को स्वघोषित उच्च जाति के बड्डे बड्डे महान क्रांतिकारीयों ने क्यों नहीं मारा ? दलित उधमसिंह ने ही उसे लंदन में घुसकर मारा, क्यों ?

इतिहास में हम दफन है पर हमें इतिहास दफनाने वालों का पढ़ाया जाता है।

जय भीम, जय भारत!!!

Watch The Video 

July 30, 2017

ડૉ બાબાસાહેબ આંબેડકરનાં અંતિમ દિવસો.. - રાકેશ બૌદ્ધ

સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.

18 માર્ચ 1956 આગરા માં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે.

બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના  છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.

તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવામાં વ્યસ્ત રહેતા હતા.

તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા પુસ્તક બુધ્ધ અને તેમનો ધમ્મનું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.

6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને પણ થાક લાગે કે નહિ ?


તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.

ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈએ બેઠેલા.  બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.

બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.

કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુ માંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?

 7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.

કેમ કે સાહેબ હવે નથી રહ્યા...

બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને વિધિ પુરી થઇ ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.

બાબાસાહેબને અણસાર આવી ગયો હશે એટલેજ કદાચ એમણે આ ફાની દુનિયામાં વધારે ના રહેવાનું પસંદ કર્યું હોઈ શકે. કારણકે એ વધારે જીવ્યા હોત તો આ સમાજે જ એમને બદનામ કરી દીધા હોત.

સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.

હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે. સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે  અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.

હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?

-- રાકેશ બૌદ્ધ

સ્મૃતી અને સહનશીલતા

By Dinesh Makwana  || 28 July at 08:20

અજય દેવગનનુ એક પિકચર આવ્યુ હતું. DRISHYAM. મુળ સંસ્કૃત શબ્દનો અર્થ એવો થાય છે તમારી નજર સમક્ષ રહેવું. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ આ પિકચર ઘણી બાબત શીખવાડી જાય છે. તમારી નજરની આસપાસ સતત જે ફરતું રહે તેને તમે જલદી યાદ રાખો છો, તેની જ ચર્ચા કરતા રહો છો.

દુનિયામાં સૌથી વધુ ભારતના લોકો વાતને ભુલી જાય છે. વિરાટ કોહલી દસ ઇનિંગમાં નિષ્ફળ જાય અને અગિયારમી ઇનિંગમાં સદી મારે એટલે આપણે આગળની તમામ દસ ભુલીને હાલમાં મારેલી સદીને યાદ કરતા રહીયે છે અને તેની જ ચર્ચા કરીયે છે.

આ બાબત કહેવાતા સવર્ણો બહુ પહેલા સમજી ગયા હતા અને તેથી આપણે કેવી રીતે જીવન જીવતા હતા તેને કોઇ યાદ કરતું નથી. ઇતિહાસની વાતો કેમ બાબાના અનુયાયી સતત કરતા રહે છે? વાત પાછી બહુ જુની પણ નથી. જે તકલીફ કે અત્યાચાર ની વાતો કરીયે છે તે માત્ર ૧૦૦ વર્ષ પહેલાની જ છે પણ આપણે ભુલી ગયા છે. તે તકલીફો અને અત્યાચાર માથી બહાર કાઢનારને આપણે ભુલી ગયા છે. બાબાના અનુયાયીઓ ઘાંટા પાડી પાડીને કહે છે કે આ તો યાદ રાખો. પણ આપણે ભુલવાનુ કામ કરી રહ્યા છે. આપણે કોઇના હાથા બનીને કામ કરી રહ્યા છીએ. આપણે કોઇના અજન્ડા પર કામ કરી રહ્યા છે.

બાબાની મુર્તિ કોઇ જગ્યાએ તોડી હોય તો તેના ફોટા અને કડવા શબ્દો જુદા જુદા ગ્રુપ પર ફરતા રહે છે. માત્ર વોટ્સ અપ પર આક્રોશ વ્યક્ત કરાતો રહે છે. પણ આની પાછળના હેતુને આપણે ક્યારેય સમજી શક્યા નહી. આપણે સહનશીલ નથી, નવી પેઢી તો બિલકુલ સહનશીલ નથી, તેથી તે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આપણે પોતાનો સમય બરબાદ કરતા રહીયે છે, પણ મુળ હેતુ આપણને વિચલિત કરીને મુખ્ય મુદ્દામાંથી તમને બધાને બીજે હટાવવાનો છે.

એક ઉદાહરણ આપું: આખા ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. બનાસકાંઠા અમદાવાદ મહેસાણા જેવા વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લોકોને અત્યારે સૌથી વધુ રાહત સામગ્રીની જરુર છે. દરેક લોકો આગળ આવી રહ્યા છે, પણ સરકારની નિષ્ફળતા ના દેખાય એટલે ગઇ કાલે ત્રણ કોગ્રેસ ના ધારાસભ્યો ભાજપમાં ગયા તેના વિશે સતત સમાચાર જુદી જુદી ગુજરાતી ચેનલ પર આવતા રહે છે. તમારું ધ્યાન હટાવવામા તેઓ સફળ થાય છે અને દરેક ગ્રુપ પર આ મેસેજ ફરતા થાય છે.

મોદી સાહેબે સંસદમાં સૌ પ્રથમ ભાષણ આપ્યું ત્યારે કહ્યુ હતું પહેલા ત્રણ વર્ષ આપણે બધા વિકાસની વાતો કરીયે. છેલ્લું વર્ષ આપણે રાજનીતિની વાતો કરીશું. આ દર્શાવે છે તમે પહેલા ત્રણ કે ચાર વર્ષની નિષ્ફળતા ભુલી જજો.

હકીકતમા આપણે તેજ યાદ રાખીયે છે જે અત્યારે બન્યું હોય અને સતત તમારી આસપાસ ફરતું રહે. આ કમજોરીનો લાભ રાજકીય ક્ષેત્રે લેવામા આવતો રહ્યો છે અને તમે તેના ભોગ બની રહ્યા છો.

પણ સારુ છે કે સોશિયલ મીડીયા ના કારણે આપણે ઘણું બાદ યાદ કરી શકીયે છે. કારણ કે પ્રિન્ટ મિડીયા અને ચેનલ પર તો સંપુર્ણ નિયંત્રણ છે ત્યારે આ સોશિયલ મીડીયા જ તમને સાચી અને તાજેતરની માહિતી આપી શકે છે.

આખી વાતનો હેતુ છે કે તમે લાગણીના પ્રવાહમાં કે બીજા સમાચાર મા તમારા ઇતિહાસને ભુલો નહી. જિગરે બહુ સરસ વાત મને કહી હતી અત્યારે બાબાના સૌથી વધુ મેસેજ દરેક ગ્રુપ પર ફરે છે તેના કારણે હેમરિંગ જેવું લાગે ખરું પણ તે જરુરી છે. કારણ કે જેઓએ મહાભારત કે રામાયણ વાંચ્યા નથી તેમને તે ગ્રંથોના દરેક પ્રસંગો યાદ છે કારણ કે તે તેમને સતત સંભળાવવામા આવતા. તેનો સતત મારો થતો રહેતો.

આપણે આપણા ઇતિહાસ ને અને બાબાના સંઘર્ષને યાદ કરતા રહીયે.


દિનેશ મકવાણા
૨૮/૭/૨૦૧૭ સવારે ૮.૨૦
અજમેર રાજસ્થાન