June 16, 2017

No More Reaction.. Only Action...

આપણે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને જ લક્ષ્ય બનાવી તેમને બાબા સાહેબથી પરિચીત કરીએ અને તેમનાંમાં જ આંબેડકરવાદની જાગૃતિ ફેલાવીએ.
દરેક મિત્રોને માત્ર એક વિનંતી છે.

આપણે પહેલા બાબા સાહેબને વાંચીએ.
તેમનું જીવનચરિત્ર, તેમને લખેલા પુસ્તકો.
આ વાંચ્યા બાબા સાહેબને સમજીએ અને થોડું મનન કરીએ.
પોતાના જ અંતરના અવાજને અનુસરીએ.
જો લાગે કે ખરેખર બાબા સાહેબના વિચાર અનુસરવા જેવા છે, બાબા સાહેબના બતાવેલા રસ્તા પર ચાલવા જેવું છે. તો જ તેની ઉપર અમલ કરવાની હિંમત કરીએ.
કારણ બાબા સાહેબના વિચારો એ કોઈ સગવડતા ખાતર અપનાવવામાં આવે તેવા વિચારો નથી જ. આંબેડકરવાદ એ કોઈ સગવડીયો વાદ નથી. જો તમારામાં આંબેડકરવાદને ચિરકાળ મૃત્યું સુધી જાળવી કે ટકાવી રાખવાની હામ અને ખુમારી હોય તો જ તેને અપનાવજો એવી મારી નમ્ર વિનંતી છે..
જેઓ બાબા સાહેબને માને છે તે તમામ ભાઈઓને અંધશ્રધ્ધા અને પાખંડની માનસિક ગુલામીમાંથી મુક્ત બની સમાજના બાકી રહી ગયેલા યુવા વગઁને આંબેડકરવાદ પ્રત્યે જાગ્રત કરવા નમ્ર અપિલ છે.
હવે આપણો ધ્યેય સમાજનાં યુવા વગઁ અને યુવાન બનવા જઈ રહેલા કિશોર વગઁમાં આંબેડકરવાદની વિચારસરણી ફેલાવવી એ રાખવો જોઈયે..
આધેડો, વડીલો પર ઓછું ધ્યાન આપીએ કારણ એમને આ બધુ સમજાવવું એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે.
કારણ જેમણે પોતાના સમયમાં પોતાની યુવાનીમાં આંબેડકરવાદ ન અપનાવી શક્યા અને સહષઁ મનુવાદની ગુલામી સ્વિકારી લીધી તેઓની પાસે હવે બદલાવની કોઈ પણ અપેક્ષા રાખવી સાવ છેતરામણી છે.
હા... અગર કોઈ વડીલો આ કામમાં સહાયરૂપ બનવા માંગતા હોય.. તો અવશ્ય મદદ લો..
આપણી ટીકા થશે, આપણી પર કટાક્ષ થશે, લોકો પણ હસશે, 
કોઈ ગમે તે કહેશે, કોઈ ઉતારી પાડશે, 
પણ આપણો ઉત્સાહ ઠંડો પડવો ન જોઈયે, આપણે એ જ કરતા રહીએ જે આપણે કરવાનું છે.
આપણે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને જ લક્ષ્ય બનાવી તેમને બાબા સાહેબથી પરિચીત કરીએ અને તેમનાંમાં જ આંબેડકરવાદની જાગૃતિ ફેલાવીએ.... No More Reaction.. Only Action...
- જિગર શ્યામલન



Facebook Post : -

No comments:

Post a Comment