June 22, 2017

જે નડતર હોય તેને જ દૂર કરો..

By Vijay Makwana
એક મિત્રએ ટકોર કરી..તમે માત્ર હિંદુધર્મની બુરાઇઓ વિશે વધુ લખો છો. ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મની બુરાઇઓ સામે કેમ ચૂપ રહો છો?? મેં કહ્યું હું એક સામાન્ય દલિત માણસ છું. મેં ક્યારેય સેક્યુલર હોવાનો દાવો નથી કર્યોં. મને કોઇ જાતિવાદી કહે તો તરત સ્વીકારી લઉં છું. કારણ કે મને મારી જાતિના લોકો માટે અગાધ સ્નેહ છે. હું ફક્ત મને અને મારા સમાજને સ્પર્શતી બાબતો વિશે જ લખવાનો આગ્રહ રાખું છું. હું સમગ્ર દુનિયાની સુધારણાનો ઠેકો લઇને બેઠો નથી. હું એ સત્ય જાણું છું કે, મારું તથા મારા સમાજનું શોષણ અન્ય ધર્મનાં લોકો નથી કરી રહ્યાં. હિંદુધર્મની વર્ણવ્યવસ્થાને કારણે દલિતોની સામાજીક-આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. એટલે હિંદુધર્મ તથા સવર્ણ હિંદુઓ મારા નિશાન પર કાયમ રહેશે. અને એક સામાન્ય નિયમ છે કે, પોતાનું ઘર બળી રહ્યું હોય ત્યારે બીજાનું ઘર ઓલવવાં દોડાદોડી ન કરાય! મુસલમાનોને તથા ખ્રિસ્તિઓને તેમનાં ઘર જાતે ઓલવવાં દેવાં જોઇએ! તમારે કે મારે શું કામ ચંચુપાત કરવો જોઇએ?? ગાંધી જ્યારે ભારતને આઝાદ કરવા સત્યાગ્રહ કરી રહ્યાં હતાં ત્યારે વિશ્વના 27 દેશો બ્રીટીશરોની એડી નિચે હતાં..ગાંધીએ બાકીનાં 26 દેશોની વકિલાત નહોતી કરી! સમજ્યાં??
-વિજય મકવાણા


Facebook Post :-

No comments:

Post a Comment