June 22, 2017

સંઘવાદી, બ્રાહ્મણવાદી અને મનુવાદી તત્વોની અસર તળે અંગ્રેજોને ગાળો આપતા પહેલા અંગ્રેજો દ્વારા મળેલી સુવિધાઓ પણ જાણવી જરૂરી છે.

By Jigar Shyamlan
જો તમે એવું માનતા હો કે અંગ્રેજો લુંટારા અને અન્યાયી હતા તો તમે આજે પણ તમે કેટલાક બ્રાહ્મણવાદી, સંઘી અને મનુવાદી લેખકોનાં વિચારોની સીધી દોરવણી હેઠળ છો.
વાત વાતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ, અંગ્રેજો અને તેમની કેળવણીને રીતસર ગાળો ભાંડતા આ લેખકો ભારતની પ્રાચિન સંસ્કૃતિ, વારસા અને પરંપરાની દુહાઈ દેતા રહે છે.. અને ભોળપણમાં કેટલાક લોકો આવા લેખકોની વાતોમાં સુર પુરાવીને પાશ્ચાત શિક્ષણને ગાળો દેવા માંડશો.
પરંતુ કેટલાકને એ વાતની સહેજેય ખબર નથી કે તેઓનો વિરોધ અંગ્રેજો, અંગ્રેજી કેળવણી કે પાશ્ચાત સંસ્કૃતિનો નહી પણ અંગ્રેજોએ અપનાવેલી સમાનતાની નિતીનો છે.
કેટલાય આવા લોકો છે, જેઓ હજી પણ બ્રાહ્મણવાદી વિચારસરણી અને મનુવાદનાં ઘેનમાં છે. તેઓ હજી સુધી પોતાની સ્વતંત્ર વિચારસરણી વિકસાવી શક્યા નથી. જો કે એમાં એમનો વાંક નથી...!!
વાંક પેલી વરસોથી પડી ગયેલી ગુલામીનો છે. હાજી....હાજી... કરવા પાછળની માનસિક ગુલામીનાં મૂળ બહું જ ઉંડા છે. એમાં બદલાવ આવતા થોડોક સમય લાગશે.
સંઘવાદી, બ્રાહ્મણવાદી અને મનુવાદી તત્વોની અસર તળે અંગ્રેજોને ગાળો આપતા પહેલા અંગ્રેજો દ્વારા મળેલી સુવિધાઓ પણ જાણવી જરૂરી છે.
(1). 1795માં અધિનિયમ 11 દ્વારા શુદ્રોને સંપત્તિ રાખી શકે તેનો કાયદો બનાવી અધિકાર અપાયો... પહેલાં મનુસ્મૃતિના કાયદા મુજબ શુદ્ર સંપતિ રાખી શકતા ન હતા..
(2). 1813માં દરેક ધમઁ જાતિના લોકોને શિક્ષણનો અધિકાર અપાયો....વરસોથીશિક્ષણથી વંચિત શુદ્રોને શિક્ષણનો અધિકાર મળ્યો..
(3). 1813 દાસત્વપ્રથાનો અંત કરી સદીઓની ગુલામીથી શુદ્રોને છૂટકારો અપાવ્યો.
(4). 1817માં સમાન નાગરિક સંહિતા બનાવી જે મુજબ દરેકને સમાન સજા થાય તેવો કાયદો બનાવાયો. પહેલા મનુસ્મૃતિ મુજબ વણઁ મુજબ સજા થતી જેમાં બ્રાહ્મણને નહિવત સજા જ્યારે શુદ્રને કઠોર સજા થતી. જે સજાનું ધોરણ સમાન કરી નાખ્યું.
(5). 1804 અધિનિયમ 3 દ્વારા બાળકીઓને દૂધપીતી કરી થતી નિમઁમ હત્યાઓ પર રોક...
(6). 1833 અધિ.87 દ્વારા સરકારી નોકરીઓમાં ભેદભાવ હટાવી. યોગ્યતાનાં ધોરણે નોકરી મળે તેવો કાયદો અમલી બનાવ્યો...
(7). 1860 માં IPC ઈન્ડિયન પીનલ કોડ બનાવી મેકાલેએ તમામ ધમઁ, જ્ઞાતિ, જાતિના લોકોને એક જ સમાન કાયદો લાગુ પાડી શુદ્રોને મોટી રાહત આપી
અંગ્રેજી કેળવણી, વહીવટ દાખલ થતા એક પછી એક આ બધા જ પ્રહારોથી વરસોથી પરાણે થોપી બેસાડેલી મનુવાદી પરંપરાના મૂળીયા હલી ગયા હતા. સમાજમાં દરેક સ્તરે સમાનતા સ્થપાઈ રહે તેવા સંજોગો નિમાઁણ પામવા લાગ્યા હતા.
આ યાદી ધણી જ લાંબી છે જે લખવામાં ખાસ્સો સમય અને જગ્યા જાય તેમ છે..
પણ હવે આટલાથી એક વાતની તો ચોક્કસ ખબર પડવી જોઈયે કે બ્રાહ્મણવાદીઓ, સંઘીઓ અને મનુવાદીઓ પશ્ચિમી સંસ્કૃતિ અને અંગ્રેજી શિક્ષણને શા માટે ગાળો આપતા હતા..., આપે છે......અને હજીય આપતા જશે...
સમજદારકો ઈશારા કાફી...
- જીગર શ્યામલન





Facebook Post :-

No comments:

Post a Comment