March 03, 2018

Letter from Gujarat

By Raju Solanki  || 20 February 2018 at 17:26




Letter from Gujarat

How helplessly pathetic it has been to watch both political parties in Gujarat manipulating each and every atrocity on Dalits, getting political mileage out of it and using it for their narrow electoral gains during last forty years!
In the eighties when Congress was in power, BJP would exploit Dalit anger sending its Dalit stooges in Dalit protests and Dharanas, Modi would come with a glass of lemon to end daylong fast of his party's obedient Dalit leaders. The famous Sambarada struggle of 1989 was the glaring example of BJP's blatant manipulation of Dalit dissent, where the then Union finance minister B K Gadhvi was the villain as his caste men tormented Dalits of Sambarda village. The Samabarda struggle was one of the reasons for Congress' downfall in Gujarat.
Now, it is a turn of Congress, the opposition party to ride on Dalit anger and beat BJP with the same tactics and method. And Dalits are simply becoming pawns in the power struggle between two Brahmanical parties.
- Raju Solanki
(copy from 'Tamil-Gujarat Sangam')

પ્યાદા બનેલા દલિતો


By Raju Solanki  || 20 February 2018 at 17:26



છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.

એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.

હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.

સાંથણીની જમીન કોંગ્રેસનો લોલીપોપ હવે ભાજપ આપશે

By Raju Solanki  || 20 February 2018 at 21:13




જમીનના મુદ્દે અમે બહુ મોટા આંદોલન કરીએ છીએ એવી ડંફાશો મારતા કહેવાતા દલિત કોંગ્રેસી આંદોલનકારીઓની જાણ સારુ અહીં છેક 1982માં કોગ્રેસની સરકારે બહાર પાડેલો પરીપત્ર મુક્યો છે.





આ પરીપત્રનું શીર્ષક છે - સરકારી પડતર જમીન સાંથણીમાં મેળવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જમીનના વિકાસ માટે આર્થિક સહાયની યોજના. પરીપત્રનો ક્રમાક છે જમમ-3981-9839-અ-29-4-1982. આ પરીપત્ર તમને હાલ ઑનલાઇન પણ મળી શકશે.

36 વર્ષ પહેલાં મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી છગનભાઈ પટેલની સહીથી બહાર પડેલા આ પરીત્રમાં બહુ જ વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી છે કે સાંથણીની જમીન મેળવતા એસસી-એસટીને કઈ રીતે સરકારી રાહે સહાય કરવી. પરીપત્ર તો બહુ મજાનો છે. જો આનો પ્રમાણિકતાથી અમલ થયો હોત તો આજે દલિતોને સડકો પર ઉતરવાની હાકલો કોંગ્રેસને કરવી પડી ના હોત. એટલું જ નહીં ખામના નામે સૂંડલા ભરી ભરીને દલિતોના વોટો લઇને સત્તા ભોગવનારા અને મહાલનારા કોંગ્રેસીઓને ગામડાના ગરીબ, અભણ દલિતોએ આશીર્વાદ આપ્યા હોત અને ભાજપ જેવા નાલાયક પક્ષને સત્તા પર આવવાના કમનસીબ સંજોગો ઉભા જ થયા ના હોત.

જો અને તોની આ કરમકહાણી અત્રે મારે દોહરાવવી પડે છે, કેમ કે 1982માં આ પરીપત્રનો અમલ નહીં કરનારા કોંગ્રેસીઓના દીકરાઓ અત્યારે ફરી સત્તા પર આવવા માટે દલિતોને આત્મવિલોપનનો માર્ગ બતાવી રહ્યા છે. મારે તો લેખિત નિવેદન આ કોંગ્રેસીઓ જોડેથી લેવું છે કે નાલાયકો તમે સત્તા પર આવશો તો તમારા બાપાઓ પાંત્રીસ વર્ષ પહેલા જે નહોતું કરી શક્યા તે હવે આ વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની દુનિયામાં કઈ રીતે કરશો.

એને છેલ્લે બીજી મહત્વની વાત. જય ભીમ જય સરદાર બોલતા દલિત ક્રાંતિકારીઓ માટે. જ્યારે આ પરીપત્ર બહાર પડ્યો ત્યારે દલિતો જમીન મેળવવાનું તો દૂર પોતાની અનામતો બચાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા અને તમારા પરમ મિત્ર હાર્દિક પટેલના કાકા-મામાઓ અનામત હટાવવા ગુજરાતને બાનમાં લઈ રહ્યા હતા.

જય ભીમ.

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?

By Raju Solanki  || 2 March 2018



Caste based discrimination in Shree Shree Ravishankar's school. 
छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?
अहमदाबाद के श्री श्री रविशंकर विद्यामंदिर ने गरीब बच्चों के लिए अलग क्लास बनाया और उसको नाम दिया वाल्मीकि. मैंने अहमदाबाद के district primary education officer को लेटर लिख कर कहा है, स्कुल के खिलाफ कारवाई की जाय.


In casteist, fascist land of Gujarat Shree Shree Ravishankar segregates poor student under the tag of ' valmiki' Congratulations Chhi chhi!
Shree Shree Ravishankar Vidhya mandir has compelled poor students admitted under RTE Act to sit in a separate class and named it 'Valmiki'. Dalit Hakk Rakshak Manch has written a letter to district primary education officer to immediately stop this caste-based discrimination and initiate penal proceedings against the school.