January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....

January 05, 2018

काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

By Vijay Makwana  || 1 August 2017 at 23:25



काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

19 दिसंबर 1803 को चीतळ , जेतपुर, मेंदरडा और कुंडला के काठी दरबारो ने अंग्रेजी हुकुमत के कर्नल वोकर को पत्र लीख कर सौराष्ट्र मे गायकवाडी-पेश्वाओ से वो लोग कैसे तंग आ चुके है वो बताया और उनसे अनुरोध किया की वे सौराष्ट्र को अंग्रेजी हुकुमत के हाथो मे लेकर उनको पेश्वाओ के राज से छुडाए. उस के बाद 30 दिसंबर 1803 के रोज जोडिया के दरबार और फिर मोरबी के राजवी जयोजी जाडेजा ने , ध्रोळ-खीरसरा के दरबार ने और 26 मई 1807 को लाठी के राजवी सुरसींहजी तख्त सींहजी गोहील (कलापी) ने पत्र लिख कर अंग्रेजो से मदद की गुहार लगाई थी. उसके प्रत्युत्तर मे मुंबई सरकार ने कहा की, "सौराष्ट्र के तालुकदार अगर अंग्रेजी शाशन की शरण मे आने के लिए नीवेदन कर रहे है,  वो हमारे लिए हकारात्मक होते हुए भी उस की ठीक तरीके से जांच कर ले, और ब्रीटीश सरकार को अगर कोइ राज्य बीना कुछ खामीयाजा भुगते मिल रहा हो तो वह खुशी की बात है."

और उसी साल सन 1807 को सौराष्ट्र मे अंग्रेज हुकुमत की स्थापना हुई. काठीयावाड और अंग्रेजो के बीच वोकर करार थया.



अब दलितो की बात करते है, भीमा कोरेगांव का युद्ध अंग्रेज सल्तनत को और मजबुत करती है. कैसे? 500 महार योद्धा 28000 पेश्वाओ को शर्मजनक पराजय देते है वो घट्ना पेश्वा के दिमाग मे डर बिठा देती है. और ठीक पांच महीने बाद पेश्वा अंग्रेस सल्तनत के शरण मे आ जाता है. सन1818 तक पेश्वा का लश्कर गायकवाडी लश्कर के साथ मीलकर जुनागढ, जामनगर, भावनगर के पास से लगान वसुलते थे. पेश्वाओ ने पराजय स्वीकार कर लिया था अब सिर्फ गायकवाड फौज के  उपर ही लश्करी कार्यवाही करनी बची थी. 1818 मे पेश्वाओ के सामने लडी थी वो महार बटालीयन को 1820 मे बेटल ओफ काठीयावाड से जाना जाता युद्ध लडने के लिए काठीयावाड बुलाया गया. 1821 का साल पुरा होते होते पुरे गुजरात पर अंग्रेजो का कबजा स्थापीत हो चुका था. और ये सब वो विर महार योद्धाओ की वजह से था जो अपने आत्म सम्मन के लिए लड रहे थे. जीन योद्धाओ की कदर और मानव होने का हक भी उन पेश्वाओ ने नही दिया थी.



सोर्स : -
गुजराती पुस्तक સૌરાષ્ટ્ર નો ઇતિહાસ (1807-1947) लेखक एस वी जानी, सौराष्ट्र युनीवर्सीटी के इतिहास विभाग के मुख्य प्रोफेसर.



- कर्नल वोकर ने मोरबी के पास "घुंटु" गांव मे अपना प्रथम दरबार लगाया, उस मे 21 रजवाडे हाजीर रहे और बाकी के लोगो ने प्रशंसापत्र लीखे.

- 1818 अंग्रेजो के सामने पेश्वाओ की पराजय हुई और पेश्वाई का अंत हुआ.



-कर्नल वोकर को मुंबई सरकार की मंजुरी मीली


- अन्य पत्रो का उल्लेख


- महार रेजीमेंट 1826 तक बेटल ओफ काठीयावाड लडी थी. उस युद्द मे वो काठीओ, दरबारो, गायकवाड, नवाब और जाफराबाद के हबसीओ से लडे थे.





January 04, 2018

પ્રોફેસર આનંદ તેલટુંબડે ના "ધ વાયર" મા લખાયેલ લેખ પર પ્રત્યુત્તર

By Rushang Borisa   || 3 January 2018



પ્રોફેસર આનંદ તેલટુંબડે એ ભીમા કોરેગાંવ ના ઇતિહાસ ઉપર વિશ્લેષણાત્મક લેખ લખ્યો હતો.

તેના મુખ્ય મુદ્દાઓ જાણીયે:-

૧) ભીમા કોરેગાંવની લડાઈ ને લઈને મહારોનો અભિગમ ખોટો છે.
૨) ભીમા કોરેગાંવની લડાઈમાં કોઈ જ્ઞાતિનું કે શોષણનું પાસું હતું નહીં.
૩) ભીમા કોરેગાંવની લડાઈમાં મહારોએ આર્થિક ફાયદા માટે બ્રિટિશર્સની મદદ કરી હતી.
૪ ) લડાઈ માત્ર ૨ સત્તાબળો વચ્ચેની હતી જેમાં મહારોએ માત્ર સૈનિકોનો રોલ ભજવ્યો.
૫) આંબેડકરે વ્યૂહાત્મકપણે આ લડાઈ વિષે ભ્રામક વાતો ઉમેરી તેમાં જ્ઞાતિનું તત્વ ઉમેર્યું; જે જુઠાણું હતું.
૬ ) દલિતોએ હવે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ભીમા કોરેગાંવમાં જ્ઞાતિનું ગુમાન કરવા જેવું કઈ નથી; તે માત્ર ખોટો ઇતિહાસ હોય દલિતો જુઠા પ્રચારનો ભોગ બનેલ છે.
૭) આર્ટિકલના મૂળમાં પ્રોફેસર એવું કહે છે કે આવી જયંતિ ઉજવવી એ આઇડેન્ટિટી પોલિટિક્સ છે; જેના તથ્યો કવોસીં-હિસ્ટોરિકલ હોય દલિતોએ બિનજરૂરી અભિગમ ત્યજી વાસ્તવિક મુદ્દાઓ ઉપર સંઘર્ષ કરવો જોઈએ.

આનંદે બીજા જે પણ તર્કો આપેલ હોય છતાં મૂળ તેઓ એવું કહેવા માગે છે કે પેશ્વાઓની હારને લીધે મહારોએ બહાદુરીનું ગુમાન કરવાની જરૂર નથી; કારણ કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર જ નહતું.( મહારો જુઠા ઇતિહાસની ઉજવણી કરે છે.)

આનંદની રજૂઆત સાચી હોય કે કેમ; પણ આનંદ જે કહે છે કે મહારોએ કઈ જ્ઞાતિ શોષણને લીધે પેશ્વા વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા નહતા તેની સાથે સહમત ના થઇ શકાય. પેશ્વા બ્રાહ્મણોનું શાશન શુદ્રો-દલિતો માટે અન્યાયી જ હતું તેના તો સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા છે જ ! આ તથ્ય વિષે કેમ આનંદ ચૂપ રહ્યા? દલિતોને બાજુ પૂર રાખીયે ;પણ આ બ્રાહ્મણોએ તો રાજા શિવાજી ને નીચા દેખાડવાનું પણ ક્યાં બાકી રાખ્યું હતું? હવે જયારે આવા જાતિવાદી બ્રાહ્મણોનું શાશન આવે તો સહજ છે કે દલિતો ઉપર અત્યાચાર થવાના જ. વિચિત્ર એ જણાય છે કે આનંદ અંતમાં ખુદ કબૂલે છે કે પેશ્વાઈ શાશન ખોટું હતું. તો આનંદ એ કેમના ભૂલી ગયા કે આ અન્યાયી પેશ્વાઇનો સીધો ભોગ સ્વાભાવિક રીતે દલિતો જ બનવાના? જો કોઈ શાશનમાં શાષક પક્ષ કટ્ટર હિન્દુત્વ હોય તો સીધું છે કે તેઓ કટ્ટર જાતિવાદી હોય દલિતો ઉપર જાતજાતના અન્યાયી કાયદાઓ થોપવાના. ચાલો, આંબેડકરે વાર્તાઓ બનાવી તે વાત ૨ મિનિટ માટે માની પણ લઈએ; છતાં હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારોના ઘણા બનાવો અંગ્રેજો આવ્યા ત્યારે બાદ પણ ચાલુ જ રહ્યા. તેનું રિપોર્ટિંગ પણ સામયિકો/પાત્રોમાં અધિકૃત રીતે થતું આવ્યું હતું. જો અંગ્રેજો બાદ પણ દલિતો ઉપર અત્યાચાર ચાલુ હતા; તો વિચારો તેમના પહેલા શું સ્થિતિ હશે? એટલે કે આંબેડરે જે કહ્યું કે પેશ્વાઓના રાજમાં મહારો ઉપર અત્યાચારો થતા હતા તે કોઈ ગપ્પુ ના હોય શકે.

આનંદ કહે છે કે મહારોના પક્ષે કોઈ અધિકૃત ઇતિહાસ નથી. પણ ભાઈ મારા, સદીઓથી ઇતિહાસની દોર તો બ્રાહ્મણવાદીઓના હાથમાં જ રહી છે. એટલે જ તો દલિતો ને જવા દ્યો; આદિવાસીઓનો પણ ક્યાં કોઈ અધિકૃત ઇતિહાસ છે? શું લેખિત ઇતિહાસ ના હોવા એનો મતલબ એમ કે બધું ખોટું જ રહ્યું?

મહારોએ બ્રિટિશરોને સાથ આપ્યો તેનું કારણ આનંદ આર્થિક હિત જણાવે છે.પણ તે એક માત્ર કારણ ન હોય શકે. મહારો પાસે તેથી પણ વિશેષ કારણ હોવું રહ્યું ; તેથી જ તેઓ અસાધારણ ઝનૂનથી પેશ્વાની સેનાએ સામે લડ્યા. નક્કી આ કારણ શોષણ સામેનો પ્રતિકાર હોવો રહ્યો.

આનંદ એવું પણ કહે છે કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર નથી. તેથી પણ આગળ તેઓ કહે છે કે અંગ્રેજો આવ્યા તે પૂર્વે દેશમાં જાતિવાદ સામે અવાઝ ઠ્યા નહતા; કારણ કે અંગ્રેજો આવ્યા બાદ દલિતોમાં શિક્ષણનો ફેલાવો થયો અને તેના ફળરૂપે દલિતોએ જાતિવાદ સામે આંદોલનો કર્યા.

આનંદ કહે છે કે અંગ્રેજો પૂર્વે દેશમાં જ્ઞાતિનો સ્વીકાર સમાજના દરેક સમૂહમાં હતો. એટલે કે સૌ પોતાની મરજીથી રાજીખુશી જ્ઞાતિગત કામો કરતા હતા.આનંદના આ તર્ક ને શિવાજી જ બુઠું સાબિત કરે છે. જો મહારોને પોતાના જ્ઞાતિગત કાર્યથી ખુશ હતા તો પછી શા માટે તેમને અંગ્રેજો સામે સૈન્યમાં કાયમી ભરતીની અપીલ કરી હશે? મહારો યુદ્ધ બાદ પણ સૈન્યમાં કાયમી પદ મેળવવા માંગતા હતા શું એ સ્પષ્ટ સંકેત નથી કે દલિતોમાં જ્ઞાતિગત કાર્યોને લીધે અસંતોષ હતો જ? સમગ્ર આર્ટિકલમાં આ મુદ્દો મને વધુ ખૂંચ્યો કે કેવી રીતે પ્રોફેસર આનંદ પોતાના વિશ્લેષણમાં થાપ ખાય શકે?

પ્રોફેસર મુજબ બ્રિટિશરોને અલગ-અલગ લડાઈમાં અલગ-અલગ સ્થાનિક સમૂહોએ મદદ કરી હતી; જેમાં મહાર સિવાય પરૈયા (એક સમયની તમિલ અછૂત જ્ઞાતિ) પણ મદદ કરી હતી.પણ અહીં ભીમા કોરેગાંવની લડાય માં શહીદોનું સ્મારક એ એક પ્રેરક બળ છે ; જેવું પરૈયા કે બીજા કિસ્સાઓમાં નહીં હોય.

બ્રિટિશર્સ વિરુદ્ધ પેશ્વા ની ભીમા કોરેગાંવની લડાય માં ચાહે જેટલા પણ પરિબળો સામેલ હોય; પણ મહારો માત્ર આર્થિક લાભ ખાતર મદદ કરે તે સંપૂર્ણ હકીકત ના હોય શકે. મહારો ચોક્કસ પોતાનું શાપિત જીવનધોરણ સુધારવા માટે જોડાયા હશે તે પણ મુખ્ય કારણ હોવું રહ્યું.

અહીં અટકીએ.

વેલ, આનંદનો લેખ એવું જણાવે છે કે પેશ્વાનું કુલ લશ્કર ૨૮૦૦૦ બળનું હતું જેમાં, આશરે ૨૦૦૦ જેટલા સૈનિકોએ ભીમા કોરેગાંવની લડાય લડી હતી. જયારે બ્રિટિશરોનું લશ્કર ૮૦૦ બળ નું હતું જેમાં મહારોની સંખ્યા આશરે ૫૦૦ જેટલી હતી. વળી, ૪૮ શહીદોની યાદીમાં ૨૨ મહાર હતા.

December 25, 2017

जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

By Social Media Desk




जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

आज 25 दिसंबर है न...

जी हाँ मैं बाबासाहब अम्बेडकर और मनुस्मृति की ही बात कर रहा हूँ

ब्राह्मणवाद के खिलाफ एक बहुत ही बड़ा क्रांतिकारी कदम जो इतिहास में दर्ज हो चूका है |

महाड महासंघर्ष का हिस्सा बनी हुई इस क्रांतिकारी घटना से कुछ ऐसी बाते भी जुडी हुई है जिसे आज के दिन  याद करना जरूरी है |

इस दिन के अवसर पर.....

मुस्लिम सज्जन फत्ते खान को याद करना जरुरी है क्योंकि  मनुवादियोने तो भरसक प्रयास किया था की मनुस्मृति दहन के इस क्रांतिकारी कार्यक्रम के लिए कोई मैदान ही न मिले; ऐसे में फ़तेह खान ने अपनी निजी जमीन Free of Cost दी थी |

मनुवादीयो ने  इस बात का भी ध्यान रखा था की वहां पर पानी, खाना और यहाँ तक की वहां तक पहुँचने के लिए कोई वाहन  भी न मिले |

इसीलिए तो.... 

स्वयं बाबासाहब को मुंबई से पदमावती नामक बोट से वाया धरमतार आने की बजाय दसगाँव पोर्ट से आना पड़ा था और वह भी 5 किलोमीटर तो चलना पड़ा था | क्योंकि कोई भी वाहन चालक मनुवादियों के विरोध के चलते  ले जाने के लिए तैयार न था |

कार्यकर्ता ओको पानी और खाना साथ लेकर आने के लिए कहा गया था |

कार्यकर्ताओ को शपथ दिलाई गई थी की....

1. मैं चातुर्वर्ण में विश्वास नहीं रखूंगा ।

2. मैं जाति आधारित भेदभाव को नहीं मानूंगा ।

3. मैं अश्पृश्यता को हिंदुत्ववादी अभिशाप मानूंगा और उसे ख़तम करने का हर संभव प्रयास करूँगा ।

4. मैं असमानता का विरोध करूँगा और खान-पान के किसीभी प्रतिबन्ध का पालन नहीं करूँगा ।

5. मैं इस बात को भलीभांति मानूंगा की अछूतों को भी मंदिर प्रवेश, जलसंसाधन, पाठशाला एवं अन्य सुविधाओ का समान अधिकार है |

बाबासाहब ने अपना ऐतिहासिक भाषण देते हुए... 

इस मीटिंग  की तुलना  24 जनवरी 1749 के दिन फ्रांस में मिली किंग 16th लुइ की मीटिंग के साथ की थी; जहाँ पर समानता की एक ऐसी ज्योत जली थी की जिसमे राजा रानी समेत कई सामंत जलकर खाक हो गए थे | और उसके बाद 15 साल तक फ्रांस में गृहयुद्ध चलता रहा |

 इस फ्रेंच क्रांति ने न केवल फ्रांस के लिए सुख समृद्धि की नींव डाली बल्कि समूचे यूरोप में क्रांतिकारी परिवर्तन लाया |

बाबासाहब ने यह भी कहा था की केवल मनुस्मृति को जलाने मात्र से ब्राह्मण्य ख़तम नहीं होगा; हमें हमारे अन्दर जो  ब्राह्मण्य ग्रस्त व्यक्ति है उसको भी जलाना होगा ।

यह भी कहा था की....

अश्पृश्यता को ख़तम करना है तो हमें अंतर्भोज एवं अंतरजातीय विवाह को मान्यता देनी होगी |

उन्होंने उच्चवर्णीयो को हिदायत देते हुए कहा था की.....  

वे इस सामाजिक क्रांति को रोकने की कोशिश न करे, न्याय के सिद्धांत के आधार पर उसे शांतिपूर्ण तरीके से  आकार लेने दे; अगर वे चाहते हे की भविष्य में सशस्त्र संघर्ष न हो |

25 दिसंबर 1927 के दिन रात 9 बजे 
बापुसाहिब सहस्त्रबुध्धे और अन्य 5-6 अछूत संतो के करकमलो से मनुस्मृति का दहन किया गया |

उस वक्त के प्रचार माध्यमो ने बाबासाहब को भीमासुर नाम से नवाजा था |

मगर बाबासाहब को इस बात की जरा से भी परवाह नहीं थी क्योंकि 

वे समता, स्वतंत्रता, बंधुता एवं न्याय के आन्दोलन को आगे ले जाने के लिए अपनी जान के किम्मत पर भी प्रतिबध्ध थे |

मनुस्मृति दहन दिन के इस ऐतिहासिक अवसर पर सामाजिक क्रांति की ढेर सारी मंगल कामनाए

ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 



મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
આજે 25 ડિસેમ્બર..!!
નાતાલ..! મોટાભાગના લોકોના મોંઢે આ શબ્દો સાંભળવા મળશે. 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી મોટાભાગના સેલિબ્રેશન મોડમાં જ રહેવાના.
સેલિબ્રેશન અથાઁત ઉજવણી....!!
મસ્તી, મઝા અને આઝાદી. જેમ કરવું હોય અને જે કરવું હોય તે કરી શકવાની છૂટ. ઉજવણી એ તમે મુક્ત છો એ અહેસાસ કરાવતી એક અવસ્થા છે. 
પણ આજના આ ઉજવણીભયાઁ માહોલમાં તમને એ વાતની ખબર નહી હોય કે.., 25 ડિસેમ્બર એટલે પછાતો આઝાદ બની, મુક્ત બની, કોઈનીય રોકટોક કે કોઈ પાબંદી વગર આઝાદીથી ઉજવણી કરી શકે તે દિશામાં પછાતોને માનસીક અને સામાજિક ક્રાન્તિ કરી સક્ષમ બનાવવાની શરૂઆત કરવાનો પ્રથમ તબક્કો.
મિત્રો, આજે તમે હાલના જેવી આઝાદી ભોગવી શકો...,
શરાબ, બિયરના ગ્લાસને ચિયસઁ કરતા ટકરાવી મસ્તીમાં ઝૂમી ઝૂમીને ક્રિસમસ અને 31 ની ઉજવણી કરી શકો..
તમને ગમે તે રીતે સમાજમાં દરેકને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી શકો... 
તમે આ તમામ બધુ કરી શકો અને આ બધી બાબતો તમારા માટે હકીકત બને તે હેતુ ધ્યાનમાં રાખી એક માણસે એક પ્રબળ ઈચ્છા રાખી હતી.
પછાતોની મુક્તિ અને સ્વતંત્રતાના ધ્યેયની આવી ઈચ્છા રાખનાર માણસ એટલે "બાબા સાહેબ આંબેડકર" અને તે ધ્યેય સાકાર કરવા માટે તેમણે ઉઠાવેલ પહેલુ ચરણ એટલે મનુસ્મૃતિ દહન. આજના દિવસે 25 ડિસેમ્બરે બાબા સાહેબે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વો દ્વારા સ્થાપિત સામાજીક વ્યવસ્થા સામે પછાતોને આઝાદ કરાવવા સામાજિક આંદોલન ઉઠાવેલું.
જો માનવામાં ન આવતુ હોય તો તમારો ભૂતકાળ ફંફોસી લો.., ગુલામી અને દાસતાની બેડીઓમાં જકડાયેલા તમારા પુવઁજોના હાડપીંજરના ઢગલાઓ મળી આવશે. 
આ ગુલામીની જનક મનુસ્મૃતિએ સદીઓ સુધી શુદ્રોનું સામાજિક, આથિઁક અને માનસિક શોષણ કયુઁ છે. મનુસ્મૃતિ એક એવો ગ્રંથ જેણે સદીઓ સુધી સમાજના ચોક્કસ વગઁના બહુમતી સમાજના લોકોને શુદ્ર ગણાવી ધમઁની આડમાં શોષીત કરવા માટે વ્યવસ્થિત પીઠબળ પુરુ પાડ્યું.
મનુસ્મૃતિ એટલે બ્રાહ્મણોને બ્રહ્માના મુખથી, ક્ષત્રિયોને બ્રહ્માના બાહુથી, વૈશ્યને સાથળ અને શુદ્રોને પગમાંથી ઉત્પન્ન થયાનો દાવો કરી સમગ્ર શુદ્ર સમાજને માથે પરાણે ઠોકી બેસાડેલી અન્યાયી અને શોષણકારી ચાતુવણઁ સમાજ રચનામાં ની જનક.
મનુસ્મૃતિએ જ લોકોના ચાર વણઁ બનાવી તેમની વચ્ચે કામની પણ વહેંચણી કરી તે મુજબ બ્રહ્માના મુખેથી પેદા થયેલ બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગણાવાઈ તેમને ભણવાનું અને ભણાવાનું, યજ્ઞો-હવનો અને પૂજા પાઠ કરવાનું કામ સોપી રીતસર લહાણી કરવામાં આવી.... ક્ષત્રિયોનું કામ રાજ્યનુ રક્ષણ કરવાનું.... વૈશ્યોને વ્યાપાર પર એક હથ્થુ શાસન કરવાનું અને શુદ્રોને માત્ર અને માત્ર ઉપરના ત્રણેય વગઁના લોકોની સેવા કરવાનું કામ પરાણે લાદવામાં આવ્યું.... બસ અહીંથી જ ઘોર અન્યાયની શરુઆત થઈ જે સદીઓ સુધી ચાલતી રહી.
મનુસ્મૃતિ થકી પછાતોના આજિવન શોષણ માટે એક એવી સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી વળી એને ધમઁનું રક્ષણ આપી આ વ્યવસ્થા કાયમી રહે તે માટે શક્ય તમામ પગલા લેવાયા. મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનું બંધારણ ગણાતી હતી. તેમાં બતાવેલ કાયદાઓ અમલી હતા. આમાં પછાતોને કોઈ પણ પ્રકારનો હક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. મનુસ્મૃતિના પાને પાને શુદ્રોનું અપમાન કરવામાં આવ્યું છે.
આવા અન્યાયી ગ્રંથથી સમાજ સદીઓ સુધી પિડાતો રહ્યો એટલે બાબા સાહેબે આજના દિવસે 25 ડિસેમ્બરે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વોના પાયાઓ હચમચાવવાની શરૂઆત કરેલી...
મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
બાબા સાહેબે શરૂ કરેલ ક્રાન્તિ રાખના ઢગલામાં દબાઈ ગયેલ માત્ર એક ચિનગારી બનીને ન રહી જાય એ માટે સમયાંતરે એની પર ફુંકો મારતા રહીને ચિનગારીને ભભકતી જ્વાળા બનાવી રાખવાની છે. જ્યાં સુધી વ્યવસ્થા પરિવતઁન અને બાબા સાહેબનું મિશન પુરૂ ન થાય ત્યાં સુધી.
ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા...