July 09, 2018

રેશનાલિઝમનો પ્રચાર કઈ રીતે થાય?

By Raju Solanki  || Written on 15 June 2018


રેશનાલિઝમનો પ્રચાર શિક્ષણના પ્રચાર વિના થઈ જ ના શકે.
અંધશ્રદ્ધા અને નિરક્ષરતા બે સગી બહેનો છે. બંને એકબીજાના સહારે જીવે છે.
તમે તમારા સમાજમાં શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે કશું જ ના કરો અને રાત-દિવસ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ભાંડ્યા જ કરો તો તમારા જેવો મોટો ગધેડો કોઈ નથી.
જે મહાપુરુષો ફેસબુક અને વોટ્સઅપ પર હિન્દુ ધર્મના દેવી દેવતાઓની સતત ખોદણી કર્યા કરે છે એમની મને બહુ ઇર્ષા થાય છે. એમની પાસે કેટલો બધો સમય છે. એમને ‘ચૌદસીયા’ કહીને હું મારી કલમને લજ્જિત નહીં કરું.
મારે તો એટલું જ કહેવું છે કે, તમને તમારા સમાજની બે પૈસાનીય ચિંતા હોય તો રાઇટ ટુ એજ્યુકેશનને પ્રાયોરિટી આપો, એ સિવાયનું તમારું રેશનાલિઝમ નરી ભડવાખાની છે.


Facebook Post :

No comments:

Post a Comment