August 14, 2017

આજે શીતળા સાતમ ના દિવસે શીતળા થી બચાવનાર ડૉ.એડવર્ડ જેનર ને યાદ કરીયે.




              સાતમી સદીમાં જાપાન માં ત્રીજા ભાગની વસ્તી શીતળા ના લીધે મૃત્યુ પામી હતી, 8 મી સદીથી માંડી 16 મી સદી સુઘી તે યુરોપ, ભારત ,ચીન માં વ્યાપ્ત હતો,અને ૧૮મી સદીના અંત સુધીમાં શીતળા તે વિશ્વ ના લગભગ તમામ ભાગમાં ફેલાયેલ હતો અને કેવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં દર વર્ષે લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામતા અને 20 મી સદીમાં અંદાજિત 300 થી 500 મિલિયન લોકો શીતળા થી મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન છે. જે બાળકો ને આ રોગ લાગુ પડતો તેમાથી 80% -90% મૃત્યુ પામતા.. અને બાકીના તે કોર્નિયલ અલ્સરેશન અને કોર્નિયલ સ્કારીંગથી અંધાપા નો ભોગ બનતા, હોસ્ટેઓમાંયેલાઇટીસ અને આરથાઇટિસ થકી પગ ની ખોડખાપણ નો ભોગ બનતા.

         આજે સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે. તેનો  શ્રેય ડૉ.એડવર્ડ જેનર નામના તબીબને ફાળે જાય છે. આ તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬માંશોધી કાઢ્યો હતો.  તેમનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં  હતો.   ઈ.સ.૧૭૭૦માં તેઓ લંડન ગયા. અને ત્યાં ડૉ. જ્હોન હંટરના તેઓ શિષ્ય બન્યા. તેમણે પ્રાણીઓની વિગતો ભેગી કરવાની અને એનું સંકલન કરવાનું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન જાણવા મળ્યું કે ગાયના બળિયામાં બે રોગનું મિશ્રણ છે. જેમાં માત્ર એક રોગના જીવાણું બળિયાના રોગ અટકાવવા માટે ખૂબ ઉપયોગમાં આવે તેમ છે. આ ઉપરથી તેમણે ગાયના બળિયાની રસી જો માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે તો માનવી શીતળાના રોગથી બચી જાય છે. તેમણે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષના બાળકના શરીરમાં આ COWPOX થી ગ્રસિત જાનવર ની ફિડકલીઓમાંથી મેળવેલ પરુદ્રવ્ય દાખલ કર્યું. આથી એ બાળકને જીવનભર શીતળા નીકળ્યા નહિ. ત્યારપછી શીતળા રસીનો તેમણે ખૂબ પ્રચાર કર્યો.  આજે આપણે જાત જાતના રોગોની રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. કોલેરા, પ્લેગ, ડીપ્થેરીયા અને પોલીયો જેવા રોગો હવે રસી વડે કાબૂમાં આવી શક્યા છે. આ બધી રસીઓમાં મૂળમાં રહેલો સિધાંત શોધી કાઢનાર ડૉ.એડવર્ડ જેનર હતા. તેમને રોકપ્રતિકારકશાસ્ત્ર ના પિતા (Father of Immunology) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના વિરુદ્ધ બ્રિટનના પાદરીઓ અને જુનવાણી તબીબોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો. ડૉ.એડવર્ડ જેનર બહાર નીકળે તો તેના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ જેનર એનાથી હતાશ થયા વિના એમને ખુદ પોતાના પુત્ર પર શીતળાની રસીનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આખરે ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું. અને આ શોધનો સ્વીકાર કર્યો. બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને નાઈટહૂડની ઉપાધી આપી ૨૦ હજાર પાઉન્ડ આપ્યા હતા. જેમાંથી જેનરે નેશનલ વેક્સીન ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી. આ ઉપરાંત રશિયાના ઝારે (રશિયા ના સમ્રાટ) એમનું સુવર્ણ મુદ્રીકાથી સન્માનિત કર્યા હતા. શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ,શીતળાની રસીના શોધક ડૉ.એડવર્ડ જેનર ને યાદ કરીએ.
આભાર માનીએ કે,
તેમને માનવજાત ને શીતળા (Smallpox) થી બચાવી,
આભાર માનીયે કે તેમણે રોગપ્રતિકારક રસીઓ શોધવાનો સિદ્ધાંત આપ્યો.
આભાર માનીએ કે માનવજાત ને લુપ્ત થતા બચાવી...








(સંદર્ભ -ઇન્ટરનેટ)
(Created By Vishal Sonara)

No comments:

Post a Comment