August 26, 2017

રાજકીય સતા, ધાર્મિક સતા અને આર્થિક સતા - સ્વપ્ન અને હકીકત

By Dinesh Makwana  || 24 August 2017 


બૌધ ભીખ્ખુ કરુણાશીલ રાહુલ ના કાર્યક્રમમાં હુ ઝોળ ખાતે રોહિતભાઇ અને કુન્દન ના કહેવાથી હુ હાજર રહ્યો હતો..બીજી બધી વાતો કરતા મને ઉપરના ત્રણ વિષયોમાં તેમણે કહેલી વાત મા બહુ રસ પડ્યો. તેથી આજે આ વિષય પર લેખ.

આર્થિક સત્તા :
અનામતનો લાભ આપણે માત્ર નોકરી પુરતો રાખ્યો, બસ સરકારી નોકરી મળી જાય, મારા દીકરાને મળી જાય ત્યાં સુધી આપણી વિચાર શક્તિ ચાલતી ગઇ. અનામત વ્યવસ્થા માત્ર નોકરી પુરતી નથી તે તો ખરેખર તમારું પ્રતિનિધિત્વ છે જે દરેક ક્ષેત્રોમાં હોવું જોઇએ. તેથી ધંધા માટે આપણે કોઇ હિંમત બતાવી નહી, આજેય મોટા ભાગના બતાવી શકતા નથી, તેના કારણે એક નોકરી કરતો પિતા માત્ર પુત્રને નોકરી મળે તેના જ પ્રયાસો કરતો રહે છે. તેણે ક્યારેય એવું વિચાર્યું નથી કે જો તે કોઇ ધંધો કરશે તો કદાચ તેને સંઘર્ષ કરવો પડશે પણ આવનારી પેઢીશાંતિથી તેના ધંધાને આગળ લઇ જશે, બીજું તેને ટેન્શન નહી રહે તે દીકરો શુ કરશે, કારણ કે દીકરાને તૈયાર પ્લેટફોર્મ પર ગાડી ચલાવવાની છે. પણ છેલ્લા પચાસ વર્ષમાં આ થઇ શક્યુ નથી તે હકીકત છે. સરકાર અનામત દુર કરવાની નથી, પણ અનામતનો સૌથી લાભ તમે જેમાં લઇ રહ્યા છો તે નોકરીઓ જ ખતમ કરી નાંખવાની છે. આપણી પેઢી હજુ ઘોર નિદ્રામાં છે. કારણ કે હજુ આપણે સ્વરોજગાર વિશે વિચારતા નથી. હવે તમારી પાસેથી નોકરી છીનવી લેવામા આવે તો શુ રહે તમારી પાસે? આપણા સામાજિક રિવાજોએ આપણી બચત પણ ખતમ કરી નાંખી છે. અપવાદોની વાત નથી પણ સરેરાશ વ્યકિતઓની પાસે કેટલું ભંડોળ છે જેને લીધે તમે આર્થિક સતા પ્રાપ્ત કરી શકો. આપણે એવો કોઇ ધંધો કે રોજગાર કર્યા નથી જેના લીધે આર્થિક રીતે મજબુત સમાજનું નિર્માણ થાય. તમે ગમે તેટલી વાતો કરો પણ આર્થિક રીતે મજબુત નહી હો તમારા આંદોલનો, જાગૃતિના કાર્યક્રમો નહી જ થઇ શકે. જે લોકો વોટ્સ પર મોટું ભાષણ આપે છે, જો તેમની નોકરી કે રોજગાર નહી હોય તો બીજા દિવસથી તમને છોડીને જતો રહેશે. આપણે બાબા નથી તે કડવી હકીકત તમારે સ્વીકારવી પડશે. ટુંકમા મારી દષ્ટિએ આર્થિક સતા મેળવવામાં સંપુર્ણ નિષ્ફળ રહ્યા છે.


રાજકીય સતા:
બાબા સાહેબનો ડબલ વોટનો અધિકાર જ તમને રાજકીય રીતે મજબુત બનાવી શકે. બહુજનોના ૮૫ ટકા પણ સરકાર કેટલી જગ્યાએ ? જેમને અનામત સીટ આપી તેઓ તેમના પક્ષને વફાદાર રહ્યા. ભલા રહે પણ જરુર હોય ત્યારે આ સમાજ માટે વિચાર્યું હોત તો ઘણું હતું. સરકારની વિરુદ્ધ કે પક્ષની વિરુદ્ધ કહેવાની જરુર નથી પણ સમાજ વતી બોલી તો શકો છો. દરેક જાતિના લોકો પોતાના સમાજને ભુલી જતા નથી. આપણે ત્યાં રાજકીય સત્તા બદલાતી રહે છે, તેથી તેમાં કેટલાક સમાધાનો કરવા પડે છે. જે બીજેપીને તમે ભાંડી રહ્યા છે તેનો જ ટકો લઇને યુપીમા સરકાર બનાવી હતી. બીએસપી પણ તેમની સાથે હતી. જે બ્રાહ્મણોને તમે દુશ્મન કહો છો તેમને જ તમારે સતામાં ભાગીદાર બનાવવા પડયા હતા કારણ કે તે રાજકીય મજબુરી છે, કરવું પડે છે પણ ખોટું કોઇ કહેતું નથી કારણકે તમને સતા મળે છે, જો રાજકીય સતા હોય તો તમે કશુંક સમાજને આપી શકો છો, હક અને અધિકારનું રક્ષણ કરી શકો છો. પણ માત્ર અને માત્ર યુપી સિવાય કોઇ રાજ્યમાં એવો બીજો કોઇ પ્રાદેશિક પક્ષ બની ના શક્યો જેને બહુજનો પોતાનો ગણી શકતા હોય, બીએસપી એક મજબુત વિકલ્પ બની શકે છે. પણ તેની સામેના બ્રહામણ વિરોધી સંગઠનો તેને મજબુત બીજા પ્રદેશોમા થવા દેતા નથી. આ સંગઠનોએ સમજવું જોઇએ કે સામાજિક અને રાજકીય બાબત વિભિન્ન છે. રાજકીય સત્તા મેળવવા માટે તમે કઇ સમાધાન કરો તે ખોટું નથી. પણ અલગ અલગ ચોકો રહેવાથી સમાજ વહેંચાતો રહે છે અને કેટલીક વાર મને લાગે છે આપણે બીજાના જ હાથા બનીને કામ કરીયે છે. પણ શરુઆત કરવી પડશે, આ બાબતોમાં સતત પ્રચાર અને પ્રસાર જ હકારાત્મક પરિણામ લાવી શકે. લોકોને અહેસાસ કરાવવો પડશે આ પક્ષ તમારો પોતાનો છે. પક્ષના કાર્યકરો માત્ર રાજકીય હેતુ માટે જ સમાજની વચ્ચે જશે તો સફળ નહી થાય તેમની તકલીફોમાં પણ જવુ પડશે. પણ હાલ પુરતા રાજકીય સત્તાથી આપણે હવે દુર જઇ રહ્યા છે.


ધાર્મિક સતા:
સમાજને જોડવા માટે સોથી મહત્વનો પણ અત્યંત સંવેદનશીલ મુદો ધાર્મિક છે. વર્ષો જુની હિન્દુની માન્યતાઓ ખોટી હોવા છતા આપણે છોડી શકતા નથી તેનું કારણ કદાચ આર્થિક રીતે મજબુત નહોતા. પણ જો એક મજબુત વિકલ્પ શોધ્યો હોત તો જરુર આ દિશામાં આપણે સફળ થઇ શક્યા હોત. બૌધ એ બહેતર વિકલ્પ બની શકે છે. નવી પેઢી તેને ગંભીરતાથી લઇને બૌધ તરફ પ્રયાણ કરી રહી છે, પણ બૌધ હજુ તમને અહેસાસ નથી આપી શક્યો તે તમે બૌદ્ધ અપનાવશો તો સલામત છે. દરેક વ્યકિત ધાર્મિક સુરક્ષા પણ ઇચ્છતો હોય છે. બૌધ તરફના પ્રયાણ કરવાના આપણા પ્રયાસો નકારાત્મક છે, આપણે બૌધ ને અપનાવવા માટે હિન્દુ ધર્મ કેટલો ખરાબ છે તેની જ વાતો કરીયે છે પણ નકારાત્મકતાથી જે અસરો જોવા મળે તેના કરતા બૌધમા શુ હકારાત્મક છે તે કહેવાથી વધુ લોકો તમારી સાથે જોડાશે..

મધર ટેરેસા ની વાત કરીને મે ખ્રિસ્ત ધર્મના ઉમદા કાર્યોની પ્રસંશા કરી હતી, ખરેખર આવા કોઇ પ્રયાસો આપણા દ્રારા થતા જ નથી. આપણે અત્યાચાર કરીયે છે, બાબાના ગદાર કહીયે છે, આના કારણે બાબાના સાચા અનુયાયીઓ અને જાગૃત યુવા હજુ આ બોધથી દુર છે. બીજું બૌધ નું શિક્ષણ મળે તેવી કોઇ વ્યવસ્થા નથી કે જગ્યા નથી કે ત્યાં જઇને આપણા લોકો જાણી શકે. બૌધ ભંતેજી ના કાર્યક્રમો નિયમિત રીતે થઇ ના શકે પણ જો એવી કાયમી વ્યવસ્થા જે તે શહેરમાં હોય તો પરિણામ સારા મળી શકે. હજુ ગામડામાં આપણા યુવાનો મીટીંગ કરવા જાય છે ત્યારે બૌધ ધર્મ વિશે બહુ ઓછી વાત કરે છે. બૌધને ફોટો જરુર હોય છે પણ આપણે તેમને સમજાવી શકતા નથી. એક ગામમાં મે એક ભાઇને પુછયુ હતું કે ખબર છે આ બૌધ કોણ છે? તેમણે કહ્યુ બાબાના ગુરુ છે. જો આ સમજણ હોય તો થઇ રહ્યું. પણ જિગર ભાઇ શ્યામલન કહે છે તેમ પહેલા હિન્દુના પાખંડ કે અંધશ્રદ્ધા માથી મુક્ત કરવાના પ્રયાસો થશે પછી આપોઆપ લોકો બૌધ તરફ પ્રયાણ કરશે. મોટા ભાગની મીટીંગમા બૌધ છોડો આપણે અંધશ્રદ્ધા વિશે વાત કરતા જ નથી. છેલ્લા બે ત્રણ ગામમાં મને આ જ જોવા મળ્યુ. રાંધણ છઠ વિશે મે લખ્યુ અને બીજા દિવસે એક ગામમાં મીટીંગ હતી ત્યાં મારે આ કહેવુ હતું પણ મિત્રોએ મને ના પાડી. તેમનુ કહેવુ હતું કે ઓવરડોઝ થઇ જશે. વ્યકિત  ધર્મ વિના રહી શકે નહી પણ તમે કેવી રીતે લોકોને બૌધ તરફ લઇ જાવ છે તે પણ જરુરી છે. આ બાબતમાં હુ એટલું જ કહીશ કે હિન્દુ મા શુ ખરાબ છે તે સતત કહેવાથી લોકો પ્રભાવિત નહી થાય, તમારે હકારાત્મક બાજુ જ રજુ કરવી પડશે.

પણ હજુ આપણે ધાર્મિક સતાથી દુર છીએ

દિનેશ મકવાણા
૨૪/૮/૨૦૧૭
અજમેર રાજસ્થાન

ધર્મ અને માનવી



"પથ્થરમાં ભગવાન છે એ
સમજાવામાં ધર્મ સફળ રહ્યો છે 
પણ, માણસમાં ભગવાન છે એ
સમજાવામાં ધર્મ નિષ્ફળ રહ્યો  છે!!"

આનુ મુખ્ય કારણ ધર્મના નામે ચાલતા ધતિંગ અને ધર્મના એજન્ટો બાકી દુનિયાનો એક પણ ધર્મ ખરાબ નથી ફ્રાન્સ ,જાપાન અને અમેરીકાના લોકો સ્વતંત્ર વિચારી શાંતિમય વાતાવરણમાં પોતે વિકસે છે કારણ એ લોકો ધર્મનુ સાચુ અર્થઘટન કરે છે જ્યારે ભારતમાં આપણે ધર્મના નામે મુદ્દાઓ ઉછાળીને પબ્લિસીટી મળે ,રુપિયા મળે અને ઉંચ સ્થાન મળે એ તરફનાં પેંતરા કરતા હોઈએ છીએ આ જ કામ હોય છે ધર્મના નામે ધતિંગ કરનાર લુખ્ખાઓનુ જે લોકોને માનસિક રીતે ઝકડી રાખે છે .. 

હુ હમણાં S.C. માં  GPSC માં પ્રથમ છે એવા વિમલક્રિતિ ચક્રવર્તીના ઘેર જુનાગઢ ગયો હતો જે ડેપ્યુટી કલેક્ટરમાં નિમણુક પામ્યા છે એ સ્વતંત્ર વિચારો અને બુધ્ધના નિરાકારી વિચારોમાં જ માને છે ,એમાં મુર્તી અને વ્યક્તિ પુજા નેકોઈ સ્થાન જ નથી..

જ્યારે આપણે બધા  તો કોઈ બાવો આવે ભલે એ સુકો અને ગાંજો ફુંકતો એની આરતી ઉતારીશુ અને ચરણોમાં જ પડીશુ અને એથી પણ વિશેષ એને જે કીધુ એ સુવર્ણ મોતી માની લઈને એના જ વિચારો તર્ક લગાવ્યા વગર ફેલાવીશુ આ એક પ્રકારે એક માનસિક બંધન જ છે ,એક પ્રકારે મેન્પાલિટી સેટ કરી દેવામાં આવી છે કે જે હરહંમેશ એક ભય ના ઓથાર નીચે જીવીએ..

જ્યારે ધર્મ ના ઓરીજનલ વિચાર અને સિધ્ધાંત ને વળગી ને આપણે જીવનમાં સ્વરીતે જીવશુ ત્યારે જ સંપૂર્ણ વિકાસ સાધી શકાશે અને નવી પેઢીને આજ વસ્તુ સમજવાની જરુર છે કે ગણપતિ ફાળો આપ્યા કરતાં કોઈને મદદ કરીએ તો એ અતિ ઉપયોગી નિવડશે જ્યારે ગણપતિ તો અંતે વિસર્જન કરીએ છીએ જેની હાલાત વિસર્જન પછી જોવાની કે દસ દિવસ પુજા કરી એમાંથી અચાનક ભગવાન ક્યાં ગયા બસ થોડી માનસિકતા જ બદલવાની જરુર છે જે આપણને ગુલામ રાખે છે અને જાતિવાદ નુ મુખ્ય કારણ પણ એ જ છે.


અસ્તુ !જય ભીમ



એ.પી.પાલનપુરી

શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અને અંધશ્રદ્ધા નો અતિરેક

By Milan Kumar || 21 Aug 2017 


નમસ્કાર મિત્રો, ગઇ કાલે નરેન્દ્ર દાભોલકર ની પુણ્યતિથિ હતી, નરેન્દ્ર દાભોલકર વ્યવસાયે ડૉક્ટર અને અંધશ્રદ્ધા સામે પ્રચંડ ચળવળ ચલાવનાર વ્યક્તિ હતા. તેમણે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ ની સ્થાપના કરી હતી. જેમની પૂનામાં મોર્નિંગ વૉક દરમિયાન હત્યા કરવામાં આવી હતી. એમની સ્મૃતિમાં આજે આ લખવાનો વિચાર આવ્યો.



વર્ષોથી ચાલી આવેલી પણ હમણાં હમણાં પ્રસાર માધ્યમોના કારણે જાગૃતિ આવવાથી વધુ પ્રચંડ બનેલી વિચારોની આ લડત અનેક પ્રશ્નો ઊભા કરે છે. 



સૌ પ્રથમ વાત કરીએ શ્રધ્ધાની. 
શ્રદ્ધા એટલે શું??



તો બસ એમાં જલન માતરી નો આ એક શેર ઘણું બધું કહી જાય છે,


શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.


શ્રધ્ધા ના વિષય માં કંઈક એવું જ છે, એની સામે આપણે તર્ક થી લડવા જઈએ તો પણ શ્રદ્ધાળુઓ જેની જેની શ્રદ્ધા એમ કહીને છૂટી પડતા હોય છે. હું એવું માનું છું કે જ્યારે ઘરેથી બહાર નીકળતી વખતે તમે તમારા ઇષ્ટ દેવને પ્રણામ કરીને નીકળો છો,કો બધું સારું થાય તો એ તમારી શ્રદ્ધા છે. તમે પેપર લખતા પહેલાં જય માતાજી , જય શ્રી રામ, જય ભીમ, મનમાં બોલો છો કે પછી જીસસ, અલ્‍લાહ ને યાદ કરો છો એ તમારી શ્રદ્ધા છે. તમે કંઇક ખરાબ કરવા જાઓ ને કોઈ નું સ્મરણ તમને રોકી લે તો એ તમારી તેના પ્રત્યેની શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા સામાજિક રીતે ખાસ અડચણરૂપ નથી, જો તે વ્યક્તિ ના મન અને ઘર પૂરતી સિમિત રહે તો.


હવે વાત કરીએ અંધશ્રદ્ધાની,
તો અંધશ્રદ્ધાનો જન્મ તો શ્રદ્ધામાંથી જ થાય છે, જ્યારે આપણે જરૂરી સમજણ નથી કેળવી શકતા અને કટ્ટર ધાર્મિકતા ને કારણે અમુક સત્યો નથી સ્વીકારતા. વ્યક્તિ ઇશ્વર માં માને છે,પણ એને અમુક ચોક્કસ ક્રિયાકાંડ કરશો તો જ પ્રસન્ન થશે, સાત પૂનમ ભરો તો જ નોકરી મળશે, ફલાણા વ્રત કરું તો જ ફલાણું સુખ મળશે આ આપણી અંધશ્રદ્ધા છે જેનો લાભ અનેક લોકો ઊઠાવે છે. તમે ફક્ત એની પૂજા કરો, ને એ તમારા કામ કરી દેશે. ઇશ્વર એટલો સ્વાર્થી છે?શ્રદ્ધા વર્તમાન પત્રો વાંચતા હશો તો લોકોની શ્રદ્ધા નો ફાયદો ઊઠાવતા ધૂતારાઓના કારનામા રોજ છપાતા હોય છે. શિક્ષિત કુટુંબો પણ એમાંથી બાકાત નથી જે લોકો અંધશ્રદ્ધા ને કારણે પોતાની જુવાન પુત્રી /વહુને પણ આવા ધુતારાઓની જાળમાં નાખી દેતા હોય છે, અનેક રૂપિયા નો વ્યય કરે છે ને અંતે પોલીસ ના શરણમાં જાય છે.આ તો સામાન્ય ઉદાહરણ છે, બાકી અત્યંત નિમ્ન કક્ષાની અંધશ્રદ્ધાઓ આપણા દેશમાં પ્રવર્તે છે, જેમાં મોટા ભાગે નિમ્ન ગણાતા અને ગરીબ લોકો ને જ નુકસાન થાય છે.બીજી એક વાત કે દેવી ને પૂજતા આપણા દેશમાં વિધવા સ્ત્રી ને અત્યંત અપવિત્ર માનવામાં આવે છે, એના હાથે શુભ પ્રસંગે કંઈ કરાવવામાં આવતું નથી. (આ પ્રથા ને પડકારવા અમે અમારા દરેક કાર્યક્રમ માં વિધવા મહિલાઓ ને હાથે અનેક સારા કામ કરાવીએ છીએ)આ પણ એક અંધશ્રદ્ધા જ છે ને આવી અનેકો અંધશ્રદ્ધાથી સ્ત્રી પણ અનેક પ્રકારની ગુલામી ભોગવે છે. 



હવે છેલ્લે અંધશ્રદ્ધા નો અતિરેક,
ગુગલમાં પશુ બલિ લખીને સર્ચ કરજો,ઇમેજસ જોજો અને માહિતી વાંચજો. ઇશ્વર ને નામે અનેક પ્રાણીઓ ની નિર્મમ હત્યા થઈ જાય છે, કેટલાક ઠેકાણે તો બાળકો ને બલિ ચઢાવી દેવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ઇશ્વર ને અલ્‍લાહ માટે માસૂમ લોકોની હત્યાઓ નો પણ આમાં જ સમાવેશ થઈ શકે. તમને આ દોષ નડે છે, આટલું કરો તો હું એનું નિરાકરણ લાવી દઈશ. ને આપણા ભણેલા ગણેલા લોકો એ બધું કરે છે જે પેલો કહે છે. અમારા ફળિયામાં કેટલાક ઘર એવા છે જ્યાં છોકરાઓ ને પૂરતી સગવડ નથી મળતી પણ ફલાણા માતાજી ના વ્રત આવે એટલે એ જ લોકોમાં મોંઘી ને મોટી મૂર્તિ લાવવાની હરિફાઇ હોય છે, મોટી મૂર્તિ વધારે કૃપા કરે કે શું?


આપણે કહેવાને માટે આઝાદ થઈ ગયા પણ આજે પણ આપણું મન અનેક માન્યતાઓની ગુલામીમાં છે. અંધશ્રદ્ધા નો કારોબાર કોણ ચલાવે છે,એનાથી એમને શું ફાયદો છે એ બધી વાત જવા દઈને એક જ વાત વિચારીએ, કે કોઈ તમને ત્યારે જ મૂર્ખ બનાવી જાય છે જ્યારે તમે મૂર્ખ બનવા તૈયાર હોવ છો, 


ક્યાં સુધી બનશો??

એક લેખમાં મેં વાંચ્યું હતું કે,
શ્રદ્ધા ના સેલ્સમેનો જાણે છે કે પ્રજા આંધળી છે.!

મિલન કુમાર 

August 21, 2017

आंबेडकरवादी बने, मार्क्सवादी नहीं

Translated By Vishal Sonara  || 21 Aug 2017 



जीवन अनुभवो का निचोड है, वो अनुभव जो आप अपने जीवन के हर एक पडाव मे रुबरु हो रहे है. आप अपनी जिंदगी को कैसे देखते है?? 

जीवन क्या है? क्या ये वो जीवन है जो आप को और आप के समाज के लिए जरुरी है?? 

मैं एक अलग तरीके से सोचता हूं क्योंकि यह आप पर निर्भर है कि आप अपने आप को कैसा बनाते हैं.  अगर मैं कहता हूं "यह आप पर निर्भर है" का मतलब यह नहीं है कि मैं संपुर्ण जीवन जी रहा हु. 

मे उपर कही गई फिलोसोफी मे मानता हु. हम पर ऐसे आचार और विचार थोपे जा रहे है जो हमारे जीवन मे इन दिनों प्रचलित नही है. हमें इस से बाहर आना होगा और इन सब मे से हम को सीमित करने से बचना होगा. 

हमारे पास भी नेतृत्व की क्षमता है, हम भी लोगो को प्रेरीत कर सकते है और नये सिद्धांत को बना सकते है. अम्बेडकरवादी आंदोलन के अनुयायी होने के नाते, हमे इन बातो पर बारबार सोचना होगा.  

अनैतिकता, असभ्यता, गड़बड़ी, उत्पीड़न, भेदभाव ये सब सिर्फ पढने योग्य शब्द नही है. प्रत्येक शब्द का एक इतिहास है जो कि सभ्यता की शुरुआत से ही मानवता को सताता आ रहा है, जो हमें अत्याचार के खिलाफ लड़ने के लिए एक मंच बनाने पर मजबुर करता है. 

हालांकि कार्ल मार्क्स ने इसे अच्छी तरह से परिभाषित किया है परंतु हमें मार्क्स के सिद्धांत को फिर से जांचना पडेगा क्योंकि मार्क्स के समय संजोगो से हमारी समस्या काफी अलग है. 

अगर दोनो पक्ष दूषीत है तो सिर्फ परस्पर दोषारोपण ही समस्या का समाधान नही है, आपको अपने स्थान पर सही रहना बेहद आवश्यक है , जिससे हम एक आंदोलन खडा कर सके अन्यथा हमारे जीवन के अंत में हम खुद को भी माफ ना कर पायेगे और अपने आप को अभागा और दोषी पाएगे.
यह एक जोखिमी अनुभव बन जायेगा. 

कार्ल मार्क्स का सिद्धांत न तो सुविधाजनक है और न ही भारतीयों की समस्याओं का प्रभावी समाधान प्रदान करता है.

यह "जाति" की समस्या है जो युगो से हमारे भारतीय समाज को जाती की बात पर कट्टर बनाये हुए है. भारतीय संविधान के जनक डॉ भीमराव अम्बेडकर ने "बुद्ध या कार्ल मार्क्स" नामक किताब में बुद्ध और कार्ल मार्क्स के बीच तुलना करके भारत में मार्क्सवाद की उपयुक्तता पर लिखा है. 

डॉ भीमराव अम्बेडकर ने कहा है की,  "समाज, अर्थशास्त्र और राजनीति पर कार्ल मार्क्स के सिद्धांत जो सामुहिक रुप से मार्क्सवाद से जाने जाते है, वो कहता हैं कि मानव समाज वर्ग संघर्ष के माध्यम से प्रगति करती है : एक ऐसा पूंजीपती और श्रमीक वर्ग का संघर्ष जीसमे एक उत्पादन को नियंत्रित करता है और दुसरा उत्पादन के लिए श्रम प्रदान करता है.  मार्क्सने पूंजीवाद को "पूंजीपति वर्ग की तानाशाही" कहा, जो अपने लाभ के लिए धनी वर्गों द्वारा चलाया जा रहा है; और उन्होंने भविष्यवाणी की थी कि, पिछली सामाजिक आर्थिक व्यवस्था की तरह, पूंजीवाद ने आंतरिक तनाव उत्पन्न किया है, जिसके कारण एक नई सोच उत्पन्न होगी जो इस पूंजीवाद का सर्वनाश करेगी और उस के स्थान पर नई व्यवस्था लागु होगी और वो है साम्यवाद."

क्लास संघर्ष एक अलग ही मुद्दा है, भारत में जाति के आधार पर लोगों का शोषण किया गया है और किया जाता है और कम्युनिस्ट लोग जाति के सवाल पर चुप्पी साध लेते हैं क्योंकि उनके पास इस समस्या का कोई हल ही नहीं है लेकिन उन्हें पता है कि ऐसे सवाल उठाकर राजनीति में कैसे लाभ उठाया जा सकता है. यदि हम जाति की समस्या का समाधान खोजना चाह रहा है तो वो समाधान हमे डॉ अम्बेडकर द्वारा लिखित पुस्तक "THE ANNIHILATION OF CASTE" मे ही मील सकता है. डॉ अंबेडकर भारत की ईस सामाजिक बीमारियों के यथार्थ डाक्टर हैं, जिस बीमारियों के लिए मार्क्सवाद के पास कोई समाधान नहीं है.

मेरा मानना है की हमे डॉ अंबेडकर का अनुसरण करना चाहीये, मार्कसवादी बनने की कोशिश करने के बजाय आंबेडकरवादी बनना चाहीये, क्योंकी मार्क्सवाद को भारतीय समाज की बुनियादी समस्या "जातिगत भेदभाव" के बारे मे कोइ जानकारी ही नही है.

Note: Translation of Original Article by Ashish Kapoor "Be an Ambedkarite, Not a Marxist".
I have tried my best to translate it in Hindi but there may be some differences so For the better understanding on this topic original article by the author in English is final. 


Ambedkarism - Purposeless, Projected or Real

By Dinesh Makwana  || 18 August 2017 


In the last three years, our people particularly young generation were awakened drastically and I feel proud to say that before posting any message related to Baba and his deed along with other great personalities like Kanshiram and Meshram, they read books in detailed. But what is Ambedkarism called purposeless ( ગુજરાતીમાં કોરો). Off course we should spread thoughts of all the great personalities to make our people aware what is the real history and how we reached the present position. For such purpose different messages are coming, I like to read, sometimes comment. But why I called it purposeless because what is the motto or purpose we want to convey to the society, we, in actual, are very far from such purpose, what we strongly condemned on what's up, we are indulged in such activities which are totally reverse to our public belief. We oppose Brahmin but we have many activities at home where Brahim do come at our home. We can not pursue our family.

Therefore I never tell anybody to believe what Baba had told because I could not ask my wife to keep herself away from so called God as she prays both the time Morning and Evening. Thus I ask myself, whether I have right to say any other to do so or not to do so. If charity begins at home then why not Baba's thought should start at my home first. But can we do? No, because we are purposeless Ambedkarian. Such belief is for the public, not for me.

When I oppose the Simant System being organised at other home but when it is for me and at my home, I keep mum, I don't have such guts to oppose the system. (કોરો આંબેડકરવાદ)

Projected Ambedkarism is to mean projecting something in opposing particularly. We project the great sentence of our great personalities but when our friend of those categories meets, We take U turn, Oh it's not for you. Similarly, we project ourselves on what's Group exactly reverse to our conduct. We oppose Brahmin, we oppose those our people who have the neutral observation. When Baba reached Kalupur Railway station there were many who opposed his arrival by showing the black flag.
But we can not bear just observations, we want to project ourselves as true or real Ambedkarian. Such persons are always busy in projecting something and thus it is projected Ambedkarian.

Real Ambedkarian. He never opposes anyone. If he does not like any message he puts his comments in a soft language. He rarely posts message rather believe in ground work. His ground works make him popular. Kanubhai Vyas, Vipul Vaghela of Navagam, Shri Narayan Acharya and his team. Narayan Acharya and his team visit the particular village with all the facilities and books of Baba, Mic system and others.

Think where we are.

Are we snob people?


Dinesh Makwana
Beawar Rajasthan
18/8/2017