July 04, 2017

ભગવાન મોદીની લીલા અપરંપાર છે

By Rushang Borisa



"દંભી" તા.મે.કા.ઉ.ચ. :=

મોદી સરકારની એક પહેલ "સ્વચ્છ ભારત અભિયાન" વખાણવાલાયક છે. (જો કે ઇરાદાઓને લઈને વિવાદો હોય શકે.) લોકો માં સ્વયં સ્વચ્છતાની ભાવના કેળવાઈ તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જયારે આ અભિયાન શરૂ થવાનું હતું ત્યારે સરકારે ૯ પબ્લિક ફિગરને પ્રચાર-કામની જવાબદારી આપી હતી. જેમાનું એક નામ હિન્દી ટીવી સીરીઅલ "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" છે. જાગૃતિના કાર્યમાં મશગુલ આ સીરિયલના ડિરેક્ટર અસિત મોદી પોતાના એપિસોડ્સમાં આજ-કાલ સફાઈ કામ ને સામીલ પણ કરે છે.

પણ થોડું ઊંડે ઉતરીએ તો નિર્માતાઓનું દંભીપણું દેખી શકાય...

જયારે GPL -૧ (?) ની શરૂઆત થઇ ત્યારે એવી શરત ઉપર મેચ રમાયી કે જે ટીમ હારે તેનો કપ્તાન સોસાયટીની સફાઈ કરશે. ઝાડુ "ના" લગાવવાની હરીફાઈ આત્મારામ ભીડે અને જેઠાલાલ ગડા વચ્ચે હતી.

અહીં મુદ્દો એ છે કે જે સિરિયલ સમય જતા સફાઈ-કામનું બેડું લીધું તેમના નિર્માતાઓની અસલી માનસિકતા કેવી હતી તે દેખી શકાય છે. સફાઈ કામ ના કરવું પડે તે માટે સ્પર્ધા દર્શાવતી સિરિયલ આજ કાલ પોતાનો "દેશપ્રેમ" બતાવવા હેતુ સ્વછતાનો જોરશોરથી પ્રચાર કરે છે.

ખરેખર ભગવાન મોદીની લીલા અપરંપાર છે. "મોદી-ભગવાને"(નરેન્દ્ર) "મોદી-ભક્ત"(આસિત) ને બ્રહ્મજ્ઞાન આપ્યું.

જો કોઈને ફોટાના શબ્દોથી ખોટું લાગ્યું હોય તો માફી...શબ્દો તમારા "મહાત્મા" ના જે-તે સમયના છે. (ભાવનગરમાં 'કાઠિયાવાડ પોલિટિકલ કોન્ફરન્સ" માં ગાંધી એ પોતાના પ્રમુખપદ બદલ આપેલ ભાષણ....૮ જાન્યુઆરી ,૧૯૨૫ )

No comments:

Post a Comment