March 03, 2018

સાંથણીની જમીન કોંગ્રેસનો લોલીપોપ હવે ભાજપ આપશે

By Raju Solanki  || 20 February 2018 at 21:13




જમીનના મુદ્દે અમે બહુ મોટા આંદોલન કરીએ છીએ એવી ડંફાશો મારતા કહેવાતા દલિત કોંગ્રેસી આંદોલનકારીઓની જાણ સારુ અહીં છેક 1982માં કોગ્રેસની સરકારે બહાર પાડેલો પરીપત્ર મુક્યો છે.





આ પરીપત્રનું શીર્ષક છે - સરકારી પડતર જમીન સાંથણીમાં મેળવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જમીનના વિકાસ માટે આર્થિક સહાયની યોજના. પરીપત્રનો ક્રમાક છે જમમ-3981-9839-અ-29-4-1982. આ પરીપત્ર તમને હાલ ઑનલાઇન પણ મળી શકશે.

36 વર્ષ પહેલાં મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી છગનભાઈ પટેલની સહીથી બહાર પડેલા આ પરીત્રમાં બહુ જ વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી છે કે સાંથણીની જમીન મેળવતા એસસી-એસટીને કઈ રીતે સરકારી રાહે સહાય કરવી. પરીપત્ર તો બહુ મજાનો છે. જો આનો પ્રમાણિકતાથી અમલ થયો હોત તો આજે દલિતોને સડકો પર ઉતરવાની હાકલો કોંગ્રેસને કરવી પડી ના હોત. એટલું જ નહીં ખામના નામે સૂંડલા ભરી ભરીને દલિતોના વોટો લઇને સત્તા ભોગવનારા અને મહાલનારા કોંગ્રેસીઓને ગામડાના ગરીબ, અભણ દલિતોએ આશીર્વાદ આપ્યા હોત અને ભાજપ જેવા નાલાયક પક્ષને સત્તા પર આવવાના કમનસીબ સંજોગો ઉભા જ થયા ના હોત.

જો અને તોની આ કરમકહાણી અત્રે મારે દોહરાવવી પડે છે, કેમ કે 1982માં આ પરીપત્રનો અમલ નહીં કરનારા કોંગ્રેસીઓના દીકરાઓ અત્યારે ફરી સત્તા પર આવવા માટે દલિતોને આત્મવિલોપનનો માર્ગ બતાવી રહ્યા છે. મારે તો લેખિત નિવેદન આ કોંગ્રેસીઓ જોડેથી લેવું છે કે નાલાયકો તમે સત્તા પર આવશો તો તમારા બાપાઓ પાંત્રીસ વર્ષ પહેલા જે નહોતું કરી શક્યા તે હવે આ વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની દુનિયામાં કઈ રીતે કરશો.

એને છેલ્લે બીજી મહત્વની વાત. જય ભીમ જય સરદાર બોલતા દલિત ક્રાંતિકારીઓ માટે. જ્યારે આ પરીપત્ર બહાર પડ્યો ત્યારે દલિતો જમીન મેળવવાનું તો દૂર પોતાની અનામતો બચાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા અને તમારા પરમ મિત્ર હાર્દિક પટેલના કાકા-મામાઓ અનામત હટાવવા ગુજરાતને બાનમાં લઈ રહ્યા હતા.

જય ભીમ.

ક્યા સુધી છેતરાશો?

By Raju Solanki  || 21 February 2018 at 15:21 


જ્યારે જ્યારે સત્તા પરીવર્તન થાય છે ત્યારે ત્યારે રણમેદાનમાં દલિતો મોખરે હોય છે. પેશવાઓ સામેના જંગમાં હજારો મહારોએ કુરબાની આપી હતી. સત્તા પર આવ્યા પછી અંગ્રેજો મહારોની દિલેરી ભૂલી ગયા હતા.

અંગ્રેજો સામે આઝાદીનો જંગ છેડાયો, ત્યારે ચૌરીચૌરામાં સિત્તેર જાટવો ફાંસીના માંચડે લટકી ગયા. ઇતિહાસમાં એમની જાનફેસાનીની નોંધ સુદ્ધા ના લેવાઈ.ગાંધીએ દાંડીકૂચ કાઢી એમાં પણ દલિતો પણ જોડાયા. આજે એમને કોઈ યાદ કરતું નથી.

1947માં સત્તા પરીવર્તન થયું અને કોગ્રેસ સત્તા પર આવી. કોંગ્રેસે અંગ્રેજોથીય બદતર વહેવાર કર્યો દલિતો સાથે. થોડાગણા (0.001 ટકા) દલિતો સૂખી થયા અનામતના લાભો લઇને, પરંતુ બહુમત દલિતો કંગાળ જ રહ્યા.

ગુજરાતમાં ભાજપ પણ સત્તા પર આવી એમાંય બલિદાનની વેદી પર તો દલિતો જ ચડ્યા. ગોધરા કાંડમાં હજારો દલિતો જેલમાં ગયા, કોમવાદીનું લેબલ દલિતો પર મીડીયા અને સેક્યુલર બૌદ્ધિકોએ લગાવ્યું, બદનામ દલિતો થયા અને માલ મલીદા સવર્ણોએ ચાટ્યાં.

આમ, ઇતિહાસમાં વારંવાર દલિતો પરીવર્તનની રણભેરી ફૂંકે છે, મરે છે, શહીદ થાય છે, આત્મવિલોપનો કરે છે. અને જ્યારે સત્તા મળે છે ત્યારે દલિતો ફરી પાછા હાંસિયા પર ધકેલાય છે. વારંવાર દલિતો છેતરાય છે, તોય એમની આંખો ઉઘડતી નથી.

આજે સમગ્ર દેશમાં મોદી અને ભાજપ સામે અસંતોષ વધી રહ્યો છે. દલિતો બલિદાનો આપી રહ્યા છે. સવર્ણ સમાજ માલ્યા, નીરવ મોદી, કોઠારી જેવા લૂંટારાઓને પેદા કરી રહ્યો છે અને દલિતો રોહિત વેમુલા, ભાનુભાઈ વણકર જેવા શહીદોને સર્જી રહ્યો છે. કાલે મોદી સત્તા પરથી ઉતરી જશે અને ભાજપ ઘરે જશે ત્યારે શું દલિતોને સત્તામાં એમનો ન્યાયોચિત હિસ્સો મળશે? શું કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો અસમાનતામૂલક, અન્યાયી સમાજવ્યવસ્થા બદલાશે? તમારી જાતને આ સવાલ પૂછો.

छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?

By Raju Solanki  || 2 March 2018



Caste based discrimination in Shree Shree Ravishankar's school. 
छी छी रविशंकर को शर्म क्युं नहीं आती?
अहमदाबाद के श्री श्री रविशंकर विद्यामंदिर ने गरीब बच्चों के लिए अलग क्लास बनाया और उसको नाम दिया वाल्मीकि. मैंने अहमदाबाद के district primary education officer को लेटर लिख कर कहा है, स्कुल के खिलाफ कारवाई की जाय.


In casteist, fascist land of Gujarat Shree Shree Ravishankar segregates poor student under the tag of ' valmiki' Congratulations Chhi chhi!
Shree Shree Ravishankar Vidhya mandir has compelled poor students admitted under RTE Act to sit in a separate class and named it 'Valmiki'. Dalit Hakk Rakshak Manch has written a letter to district primary education officer to immediately stop this caste-based discrimination and initiate penal proceedings against the school.

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )

March 01, 2018

હવે લીપાપોતી નહીં ચાલે

By Raju Solanki  || 22 February 2018 at 8:49pm  



અત્યાચારો કોંગ્રેસના રાજમાં પણ થતા હતા અને ભાજપના શાસનમાં પણ થાય છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વનો તફાવત છે. કોંગ્રેસના રાજમાં અત્યાચારો થતા ત્યારે “આ વખતે તો કોંગ્રેસને પાડી જ દો” એવું કોઈ બોલતું નહોતું. લોકો અત્યાચારોને કોંગ્રેસ સાથે identify કરતા નહોતા. કોંગ્રેસ દલિતોની માબાપ છે, દલિતો કોંગ્રેસના ઓશિંગણ છે, એવી છાપ એકંદરે જળવાઈ રહેલી. કોંગ્રેસ પર જીવતી એનજીઓ અને કોંગ્રેસની સમાજવાદી છબી ઘસી ઘસીને ઉજળી રાખતા સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિકોએ સમય સાથે અંદરથી સડતી જતી કોંગ્રેસને બહારથી લીલીછમ્મ રાખી હતી.

જેતલપુરમાં શકરાને જીવતો સળગાવી દેવાયેલો. હજારો દલિતો જેતલપુર ઉમટી પડેલા અને ગામને રીતસરનો ઘેરો ઘાલેલો. ઉનાકાંડ કરતા પણ ભયાનક હતો જેતલપુરકાંડ. ઉનાકાંડનો વીડીયો વાયરલ થયો એટલે એની ભયાનકતાનો તમને અંદાજ આવ્યો. જેતલપુરના હત્યાકાંડની કોઈને ગંધ સુદ્ધાં આવેલી નહીં. ત્યારે દલિત અત્યાચારની શોકસભાઓમાં કોંગ્રેસના દલિત આગેવાનોની હાજરી એકદમ સ્વભાવિક ગણાતી. દલિત કવિ નીરવ પટેલની અત્યંત જાણીતી કવિતા ‘જેતલપુર’માં કવિ તત્કાલીન કોંગ્રેસી દલિત અગ્રણીઓને ઉદ્દેશીને કહે છે,

“મનુભાઈ, શાંતાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

આજે અત્યાચાર થાય તો આ જ પંક્તિમાં થોડો ફેરફાર કરીને આપણે કહીએ છીએ, 
“રાહુલભાઈ, સોનીયાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

દલિતોની રેકર્ડ અટકી ગઈ છે.
દલિતોની રેકર્ડ ઘસાઈ ગઈ છે. 
હવે તો પિન પણ ઘસાઈ ગઈ છે, 
તોય કેટલાક લોકો નવી રેકર્ડ, નવી પિન લાવવા માંગતા નથી, નવું ગીત ગાવા માંગતા નથી. 

જેતલપુરમાં અત્યાચારો પટેલો કરતા હતા, કોંગ્રેસ કરતી નહોતી એવી સમજ (કે ગેરસમજ?) હતી. ગોલાણામાં અત્યાચારો દરબારોએ કર્યા, કોંગ્રેસે કર્યા એવું કોઈ કહેતું નહોતું. કોઈએ એવું પણ ના કહ્યું કે, કોંગ્રેસના રાજમાં દરબારોને બહુ ચરબી ચડી ગઈ છે. કોંગ્રેસ તો સારી છે, આ દરબારો અને પટેલો ખરાબ છે એવું કહેનારો વર્ગ મોટો હતો. અત્યાચારો થાય છે, પરંતુ કોંગ્રેસમાં આપણો અવાજ તો છે ને આવું માનનારા લોકોની સંખ્યા મોટી હતી.

કોંગ્રેસના રાજમાં લોકશાહીની ભ્રામકતા જળવાઈ રહેલી. કેમ કે, કોંગ્રેસ પાસે ગાંધીવાદ નામનો જોરદાર મલમ હતો. માર ખાનારના બરડે જઇને હાથ ફેરવતા, એમને સાંત્વન આપતા, હૈયાધારણ આપતા ઇન્દુચાચા, અનસુયાબેન, રવિશંકર મહારાજ, બબલદાસ મહેતા, ભાનુ અધ્વર્યુ, ઠક્કરબાપા, પરીક્ષિત મજમુદાર જેવા અસંખ્ય ગાંધીવાદીઓએ અસમાનતામૂલક સમાજવ્યવસ્થાને ટકાવી રાખતી કોંગ્રેસ સરકારોને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. આજે ભાજપ પાસે છી છી રવિશંકર, રામદેવ, આશારામ, રામરહીમ જેવા કહેવાતા સંતોની ફોજ છે, પરંતુ તેઓ દલિતોને આત્મીય કે પોતીકા લાગતા નથી.

કોંગ્રેસ પાસે ગાંધીવાદનો મલમ હતો. ભાજપ પાસે હિન્દુત્વનો કેફ છે. હવે મલમથી દુખાવો મટતો નથી. કેફ ઉતરી ગયો છે. દલિતો બાબાસાહેબ આંબેડકરે આપેલો ભીમબાણ ઇલાજ માંગે છે. સત્તામાં જ નહીં, તમામ ક્ષેત્રોમાં ભાગીદારી ઇચ્છે છે. હવે લીપાપોતી નહીં ચાલે.

- Raju Solanki
(Writer is freethinker and social activist based in Ahmedabad, Gujarat)