November 22, 2018

અકબર મહાન કેમ છે?

By Vijay Makwana  || 9 June 2017 


ઘટનાઓને સમજવા આપણી દ્રષ્ટિ બહું સિમીત હોય છે. અકબર મહાન કેમ છે? કેમ કે, અકબર ઇસ્લામની કટ્ટરતા અને હિન્દુઓના પાખંડથી પૂરેપૂરો પરિચિત હતો. તે નવો ધર્મ સ્થાપવા માંગતો હતો. તેણે દિનેઇલાહી ધર્મની સ્થાપના કર્યા બાદ પોતાના શાસનકાળ દરમ્યાન ઇસ્લામિક કાયદાથી શાસન નહોતું કર્યું..અકબર ભારતનો પ્રથમ સેક્યુલર શાસક હતો..ગંગા-જમના સંસ્કૃતિ તથા ઇશ્વર-અલ્લાહ એક છે તે વિચાર તેના શાસનમાં પુખ્ત બન્યો. તેના સમયમાં 'અલ્લોપનિષદ' નામના ઉપનિષદની કાશીના બ્રાહ્મણોએ રચના કરી. જેમાં કુલ અગિયાર હજાર શ્લોક છે. તેના સમયમાં બનારસ-અલ્હાબાદ સંત સમાગમમાં હજારો હિન્દુ-મુસ્લિમ સંતોએ મળીને અકબરને અવતાર ઘોષિત કરેલો..અકબર બ્રાહ્મણને પ્રિય કેમ ન હોય? કુખ્યાત, અમાનુષી જજીયાવેરા જેવી વેરા પદ્ધતિમાં બ્રાહ્મણોને તેણે મુક્તિ આપેલી.

અલ્લોપનિષદ વિશે શંકા હોય તો સ્ક્રિનશોટ મુકેલ છે..ગીતાપ્રેસ(ગોરખપુર) માં છપાતો પ્રમાણિત ગ્રંથ છે.
#વિજયમકવાણા


No comments:

Post a Comment