May 13, 2017

વધારે જરૂરી શું?? મદિર કે પુસ્તકાલય?? - નિકુંજ મકવાણા

મસ્ત મજાનો ઠંડો વાયરો વહી રહ્યો હતો.. અને એ પવન ની મજા લેતા હું અગાશી માં આરામ થી સુતો હતો.. વેકેશન ના લીધે સવારે વેહલા ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.. ધીમે ધીમે સુરજ આકાશ માં ચડવા લાગ્યો અને સુરજ ના કિરણો મારી ઉપર પડવા લાગ્યા, એટલે ઉઠીને હું  નીચે આવ્યો.. 

મારા ઘર મા એક નાનુ મંદિર છે ત્યાં દીવા પ્રગટતા હતા, આ એક નિત્ય ક્રમ છે.. હું પોતે તો આ બાબતો થી ઘણો દુર છું પણ માતા પિતા ને આ ઉંમરે સમજાવવા થોડું અઘરું કામ છે.. ઘણી વખત આ બાબતો નો વિરોધ ઘર માં કલહ પેદા કરે છે અને એટલે હું આ બાબતો ને ટાળું છું..

હુ અહી આસ્થા, વિશ્વાસ, ધર્મ નો વિરોધ નથી કરતો પણ અહી વાત છે તર્ક ની.. એક વિચારવાલાયક અને તર્કસંગત વાત.. 

આજ થી સદીઓ પેહલા જ્યારે આપને ગુલામ હતા, ત્યારે પણ આ દેવી-દેવતાઓ, માતાઓ, ભગવાનો હતા જ.. આપણે ગુલામો ના પણ ગુલામ હતા. આપણ ને બહાર હરવા ફરવા નો અધિકાર નહોતો.. વાંચવા લખવાનો ભણવાનો શિક્ષા મેળવવાનો અધિકાર નહોતો.. જાહેર સ્થળ પર જવાનો અધિકાર નહોતો.. જે કુવા તળાવ નું પાણી કુતરા બિલાડા પી સકતા હોય એ પાણી પીવાનો પણ આપણને અધિકાર નહોતો.. ગળા મા આગળ કુડલી હોય જેમાં થુકવાનું અને પાછલ બાંધેલું ઝાડુ જેના થી તમે ચાલો એના નિશાન ભૂસી જાય જમીન પર થી.. દિવસે ઘર મા રહેવુ પડતુ અને રાત્રે જ બહાર નીકળવુ પડતુ.. 

આવી એકદમ દયનીય જાનવરો થી પણ બદતર પરિસ્થિતિ માં, મંદિર માં પેસવાની, તથાકથિત દેવી દેવતાઓ ના દર્શન ની તો વાત જ ક્યાંથી આવે!!! 

અને પછી 14 એપ્રિલ 1891 ના રોજ એક મસીહા નો જન્મ થયો.. જેણે અથાક મેહનત, અતુલનીય ત્યાગ, સંઘર્ષ અને બલિદાન થકી પોતાની વિદ્વતા ના જોરે, આ અસમાનતાવાદી, જાતીવાદી, મનુવાદી વિચારધારા સામે સામે લડીને આપણને આ જંજીરો માંથી મુક્ત કરાવ્યા અને સંવૈધાનિક સંરક્ષણ થકી અધિકારો અને હકો અપાવ્યા.. જાનવરો કરતા ખરાબ જીંદગી જીવતા ગુલામો ને મનુષ્યો બનાવ્યા..


આજે આ જ સમાજ એ વ્યક્તિ ને ભૂલી ગાયો છે અને સાંજ સવાર 33 કરોડ દેવી દેવતા ની પૂજા કરવા મા વ્યસ્ત બની ગયો છે.. આઝાદી પેહલા જેમને મંદિરો માં જવાનો પૂજા પાઠ કરવાનો કોઈ અધિકાર નહોતો, આજે આઝાદી પછી એમના કરોડો ભગવાન પેદા થઇ ગયા..

આખુ વર્ષ માત્ર તહેવારો મા વ્યસ્ત હોય છે અને 14 એપ્રિલ ના દિવસે કોઇની પાસે સમય નથી હોતો 14 એપ્રિલ ની રજા મા પરિવાર ને લઈને ફરવા નીકળી પડે છે, પણ જેના ત્યાગ બલિદાન થકી આજે આ ગાડી બંગલા, શરીર પર સારા કપડા, હાથ માં મોંઘા મોંઘા સ્માર્ટ ફોન છે એ બાબાસાહેબ, અન્ય મહાપુરુષો અને માતાઓ વિશે પોતાના સંતાનો ને જણાવવાનો સમય નથી મળતો.. 

જે સમાજ માટે બાબાસાહેબ એ કહ્યું હતું કે, “જિસ દિન મંદિર જાને વાલે લોગો કી કતારે પુસ્તકાલય કી ઔર બઢેગી, ઉસ દિન મેરે ઇસ દેશ કો મહાશક્તિ બનને સે કોઈ નહિ રોક શકતા..”, અને એ જ સમાજ આજે તથાકથિત દેવી દેવતાઓ, માતાઓ ના દર્શન માટે મંદિરો ની બહાર લાંબી લાંબી લઈને લગાવે છે.. 

ક્યારેક જીંદગી ની વ્યસ્તતા માંથી, પરિવાર ની બાબતો માંથી નવરા પડો, સમય મળે ત્યારે શાંતિ થી તર્ક કરજો વિચારજો કે આજે સમાજ ને દેશ ને આપણા સંતાનો ને શેની વધારે જરૂર છે, મંદિરો ની લાઈન માં ઉભા રેહવાની કે પુસ્તકાલય તરફ જવાની??

 - નિકુંજ મકવાણા



No comments:

Post a Comment